SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ હું સામાન્યરૂપે આત્મા નિત્ય, નિરવયવ (અંગરહિત) એક, અક્રિય હું અને સર્વપ્રદેશ ગુણપર્યાયમાં વ્યાપક છે. જ્યારે આત્મા વિશેષરૂપે 3 અનિત્ય, સાવયવ,અનેક, સક્રિય, દેશગત છે. પણ વ્યક્તિ, જે પદાર્થ છે છે તથા ગુણાંતર તેના ભેદે જેનું જુદાપણું પડે, એટલે કે સર્વ વ્યક્તિને $ વિષે વિશેષપણું જુદું જુદું છે. તે વિશેષ સ્વભાવમાં જ્ઞાનાદિક ગુણના ભેદ સમજવા. આમ આત્માનું સામાન્ય તથા વિશેષરૂપ સમજાવ્યું. એકતા પિંડને નિત્ય અવિનાશતા, અતિ નિજ ઋદ્ધિથી કાર્યગત ભેદતા; ભાવ શ્રુત ગમ્ય અભિલાખ અનંતતા, ભવ્ય પર્યાયની જે પરાવર્તિતા. .... ૩ એકતા, નિત્યતા, અસ્તિતા, ભેદતા, અભિલાપ્યતા અને ભવ્યતા શું એ સામાન્ય સ્વભાવ છે અને આ દરેક દ્રવ્ય-ગુણમાં હોય છે. છે. ૧. એકતા સ્વભાવઃ એક સ્વભાવ પિંડપણુ એટલે કે દ્રવ્યના સર્વ જે પ્રદેશ, ગુણ, પર્યાય તેનો સમુદાય તે એક પિંડરૂપ છે. આને એકતા સ્વભાવ કહે છે. ૨. નિત્યતા (નિત્ય અવિનાશતા)ઃ દ્રવ્યનું ધ્રુવપણું એટલે ત્રણે કાળ શું રહેવાપણું. ૩. અસ્તિ સ્વભાવઃ સ્વભાવથી જ સર્વ દ્રવ્યો સત્ છે. તેઓ ક્યારે હું પણ પોતાની ઋદ્ધિ (ગુણરૂપ) ને મુકતા નથી. તે અસ્તિ સ્વભાવ છે. 3૪. ભેદ સ્વભાવ (ભેદતા) આ ભેદ કાર્યગત છે એટલે કે જ્ઞાનાદિક ગુણ તે સર્વ પોતપોતાના કાર્યને કરે છે અને તે બીજા ગુણના કાર્યને કરતા નથી તેથી કાર્ય ભેદે આ ભેદ સ્વભાવ છે. ૫. અભિલાપ્ય સ્વભાવઃ (અભિલાપ્યતા) વચન દ્વારા કહી શકાય તેવા આત્મદ્રવ્યના અનંતા ધર્મ છે. જે ભાવ શ્રુતજ્ઞાનથી જાણી શકાય ' શ્રીમદ દેવચંદ્રજી કત ચોવીસી ૧૦૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy