SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણ અનંત હો પ્રભુ, ગુણ અનંતનો વૃંદ, નાથ હો પ્રભુ, નાથ અનંતને આદરેજી; દેવચંદ્ર હો પ્રભુ, દેવચંદ્રને આનંદ, પરમ હો પ્રભુ, પરમ મહોદય તે વરેજી. ...૭ હે પ્રભુ ! આપ જ્ઞાનાદિક અનંત ગુણના સમુહ છો, એવા આપને જે આદરે, આરાધના કરે તે પ્રાણી પરમાનંદમયી એવું જે મોક્ષરૂપ છે સ્થાનક તેને મેળવે. આપની સેવા કરતા સર્વ કર્મ- ક્લેશથી રહિત 3 થાય. ઉત્કૃષ્ટ મહોદયને પ્રાપ્ત કરે એટલે મોક્ષને પામે. એ જાણીને છે દેવચંદ્રજી મ.સા.ને આનંદ થાય છે. ૧૫. શ્રી ધર્મનાથ જિન સ્તવન ધર્મ જગનાથનો ધર્મ શુચિ ગાઇએ, આપણો આતમા તેહવો ભાવિયે; જાતિ જસુ એકતા તેહ પલટે નહીં, શુદ્ધ ગુણ પજવા વસ્તુ સત્તામયી.... ૧ છે - શ્રી ધર્મનાથ જિનેશ્વર ભગવંત જે ધર્મને પામ્યા છે તે શુદ્ધ સ્વભાવરૂપ છે. તેનું ગાન, સ્મરણ, ધ્યાન કરીને આપણા આત્માને પણ તેમના જે જેવો જ પરમાત્મારૂપે ભાવવો જોઇએ, કારણ કે બધા જીવોની જાતિ છે સંગ્રહનયની અપેક્ષાએ એક જ છે. એટલે કે શુદ્ધ સંગ્રહાયે વસ્તુ- 3 આત્માની સત્તા શુદ્ધ ગુણ પર્યાયમયી છે. તેથી સંગ્રહનય સર્વ જીવોને છે સિદ્ધ સમાન માને છે. તેથી આપણા આત્મસ્વરૂપને શ્રી ધર્મનાથ ? સ્વામીના જેવું જ વિચારવું એ જ તત્ત્વાલંબની થવાનો માર્ગ છે. નિત્ય નિરવયવ વળી એક અક્રિયપણે, સર્વ ગત તે સામાન્ય ભાવે ભણે; તેહથી ઇતર સાવયવ વિશેષતા, વ્યક્તિ ભેદ પડે જેહની ભેદતા. ૨ ૧૦૮ વીર-રાજપથદર્શિની - ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy