SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સદ્ગ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાભ્ય પ્રગટતો જાય છે. આમ થવાથી જ આપણે અનંતસુખના ધણી બનવા તરફ આગળ વધી શકીશું અને અનંત ચતુષ્ટયરૂપ ભાવ પ્રાણનો ભોગવટો કરવા સ્થિતિ પ્રગટી જશે. (૨૪) “ચારિત્ર એટલે સ્વભાવ પરિણતિ.” અનાદિકાળથી જીવ પર પરંપરિણતિમાં જ રાચી રહ્યો છે, કારણ કે અનાદિકાળથી મિથ્યાત્વભાવમાં રાચવાપણું ચાલતું આવ્યું છે. તો હવે આ ગ્રંથિ જે મોહનીય કર્મની સાત પ્રકૃત્તિની બનેલી છે તેને તોડવા પુરુષાર્થ કરવાનો અવકાશ, યોગ મળ્યો છે. તો તેના સહારે આ ગ્રંથિનો ભેદ કરતાં સ્વભાવ પ્રગટવારૂપ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. સમ્યગદર્શનની પ્રાપ્તિ થતાં સમજણ હતી તે સમ્યફજ્ઞાનરૂપે પરિણમી જાય છે. સમ્યક્દર્શન અને સમ્યજ્ઞાનથી પ્રગટેલ સ્વભાવમાં જ રમણતારૂપ સ્થિતિ સમ્મચારિત્ર છે. એટલે કહ્યું કે ચારિત્ર એટલે સ્વભાવ પરિણતિમાં સ્થિર રહેવું. જેટલો સમય જીવાત્મા સ્વભાવ પરિણતિમાં સ્થિર રહે તેટલો સમય અસંખ્યાતા કર્મોની નિર્જરા ક્ષણવારમાં કરવા માટે શક્તિમાન બની જાય છે એટલે કે સ્વભાવમાં રહેવું એ જ કર્મનો ક્ષય કરવાનો રસ્તો છે. (૨૫) “જેની નજર સ્વાર્થ પાછળ જ આંટા મારે છે, તેને પરમાર્થ માર્ગ અગર અધ્યાત્મ માર્ગનો સ્વાં સુધી દરવાજો બંધ રહે છે” જેની દષ્ટિ ભૌતિક સુખ મેળવવા તરફ જ રહેલી છે તે સ્વાર્થી બની જાય છે એટલે કે પોતાને ભૌતિક સુખ મળવું જ જોઈએ, એ મેળવતાં બીજા જીવોને નુકસાન થાય તો પણ તેની દરકાર તે કરતો નથી. અને પોતાને મળેલા સુખને ભોગવવામાં તથા તે ચાલ્યું ન જાય તેની ચિંતામાં તેનું જ આયોજન કરતો રહે છે. તેમાં કોઈ જીવ આડો આવે તો તેનું અપમાન કરતાં કે તેને કોઈપણ રીતે હટાવી દેવાના પ્રયત્નમાં જ રાચતો રહે છે. આવા સ્વાર્થી જીવ માટે પરમાર્થ માર્ગનો દરવાજો બંધ જ રહે છે. તે અધ્યાત્મમાર્ગમાં-મોક્ષમાર્ગમાં આગળ વધવા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005556
Book TitleSadguru Satpurush Sant Gyani Purushonu Mahatmya
Original Sutra AuthorN/A
AuthorRasikbhai T Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2010
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy