SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સદ્ગુરુ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાભ્ય (૧૨૧) જ્ઞાની પુરુષ સમતાથી કલ્યાણનું જ સ્વરૂપ બતાવે છે, તે ઉપકારને અર્થે બતાવે છે. જ્ઞાની પુરુષો માર્ગમાં ભૂલા પડેલા જીવને સીધો રસ્તો બતાવે છે. જ્ઞાનીના માર્ગે ચાલે તેનું કલ્યાણ થાય. (પા.-૭૦૮) જ્ઞાનીપુરુષનાં વચનો સાંભળી સાંભળીને ગાંઠે બાંધો તો આત્માની સામાયિક થશે. આ કાળમાં આત્માની સામાયિક થાય છે... જ્ઞાની પ્રત્યે બરાબર પ્રીતિ થાય તે રાત-દિવસ તે અપૂર્વ જોગ સાંભર્યા કરે તો સાચી ભક્તિ પ્રાપ્ત થાય. (પા.-૭૦૯) - (ઉ.બા.-૮) (૧૨૨) જ્ઞાનીઓ દોષ ઘટાડવા માટે અનુભવનાં વચનો કહે છે, માટે તેવા વચનોનું સ્મરણ કરી જો સમજવામાં આવે, શ્રવણ, મનન થાય, તો આત્મા સહેજે ઉજ્જવળ થાય. પુરુષો ઉપકાર અર્થે જે ઉપદેશ કરે છે તે શ્રવણ કરે, ને વિચારે તો જીવના દોષો અવશ્ય ઘટે. પારસમણિનો સંગ થયો, ને લોઢાનું સુવર્ણ ન થયું કાં તો પારસમણિ નહીં, અને કાં તો ખરું લોઢું નહીં. તેવી જ રીતે જે ઉપદેશથી સુવર્ણમય આત્મા ન થાય તે ઉપદેષ્ટા કાં તો સપુરુષ નહીં, અને કાં તો સામો માણસ યોગ્ય જીવ નહીં. યોગ્ય જીવ અને ખરા સપુરુષ હોય તો ગુણો પ્રગટ્યા વિના રહે નહીં. (પા.૭૧૦).... સત્પુરુષનું એક પણ વચન સાંભળી પોતાને વિષે દોષો હોવા માટે બહુ જ ખેદ રાખશે અને દોષ ઘટાડશે ત્યારે જ ગુણ પ્રગટશે. પુરુષ તો જેમ એક વટેમાર્ગુ બીજા વટેમાર્ગુને રસ્તો બતાવી ચાલ્યો જાય છે, તેમ બતાવી ચાલ્યા જાય છે. ગુરુપદ ધરાવવા કે શિષ્યો કરવા માટે પુરુષની ઈચ્છા નથી. સપુરુષ વગર એક પણ આગ્રહ, કદાગ્રહ મટતો નથી. દુરાગ્રહ કર્યો તેને આત્માનું ભાન થાય છે. પુરુષના પ્રતાપે જ દોષ ઘટે છે.જ્ઞાની અનુકંપા અર્થે માર્ગ બોધે છે. (પા.-૭૧૧).....જ્ઞાનીપુરુષનાં વચનોનું અવલંબન હોવાથી જાણપણું થાય. સાધન છે તે ઉપકારના હેતુઓ છે. જેવા જેવા અધિકારી તેવું તેવું તેનું ફળ. સત્પરુષના આશ્રયે લે તો સાધનો ઉપકારના હેતુઓ છે. પુરુષની દૃષ્ટિએ ચાલવાથી જ્ઞાન થાય છે....લોકનો ભય મૂકી સપુરુષોનાં વચનો આત્મામાં પરિણમાવે તો સર્વ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005556
Book TitleSadguru Satpurush Sant Gyani Purushonu Mahatmya
Original Sutra AuthorN/A
AuthorRasikbhai T Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2010
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy