SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સદ્ગુરુ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાભ્ય પ૩. અને સંસારમાં રખડાવ્યા છે. માટે જાગૃતપણે રહી નિર્વિકલ્પ સ્થિતિ પ્રગટાવવી જરૂરી છે. તે સ્થિતિ પ્રગટાવી આત્મસ્વભાવમાં સહજપણે રમણતા કરતા રહેવું અને બાહ્ય અને અંતરના પરિણામોના દષ્ટા બની જવું જોઈએ. એમ પૂર્વે થયેલા અને હયાત જ્ઞાનીઓનો વારંવારનો આ જ બોધ છે, શિક્ષા છે. યથાર્થ બોધનું પરિણમન અંતરમાં થવાથી ચોક્કસપણે આ જીવનું કલ્યાણ થાય. (૮૮) “જ્ઞાનનું ફળ વિરતિ છે.' વીતરાગનું આ વચન સર્વ મુમુક્ષુઓએ નિત્ય સ્મરણમાં રાખવા યોગ્ય છે. વિચારવૃત્તિ સાથે ત્યાગવૃત્તિ ઉત્પન્ન કરવી તે જ વિચાર સફળ છે, એમ કહેવાનો જ્ઞાનીનો પરમાર્થ છે. (૫.-૭૪૯/પા.-પ૬ ૮,૫૬૯) જો આપણામાં આત્મજ્ઞાન પ્રગટેલ છે, તો આપણા જીવનમાં વિરતિ આવવી જોઈએ એમ વીતરાગે કહેલું છે. માટે આ વચનને નિત્યસ્મરણમાં રાખીને વિચારણા દ્વારા ત્યાગભાવને પોતાનામાં પ્રગટાવવો એ જ સફળતાની નિશાની છે. જ્ઞાન પ્રગટ થવાથી જીવનમાં હિંસક પરિણામો, વિષયો તરફની દૃષ્ટિ ઘટતી જવી જોઈએ. એ જ વિરતિ તરફ જવાની શરૂઆત છે. વિરતિ આવ્યેથી જ અહિંસા જીવનમાં સ્થિર થાય છે. (૮૯) સારા દેશકાળમાં પણ વિચિત્ તેવા મહાત્મા (જ્ઞાનીપુરુષ)નો યોગ બની આવે છે, કેમ કે તેઓ અપ્રતિબદ્ધ વિહારી હોય છે. ત્યારે એવા પુરુષોનો નિત્યસંગ રહી શકે તેમ શી રીતે બની શકે કે જેથી મુમુક્ષુ જીવ સર્વ દુઃખ ક્ષય કરવાનાં અનન્ય કારણોને પૂર્ણપણે ઉપાસી શકે ?... તે મહાત્મા પુરુષના ગુણાતિશયપણાથી, સમ્યફચરણથી, પરમ જ્ઞાનથી, પરમ શાંતિથી, પરમ નિવૃત્તિથી મુમુક્ષુ જીવની અશુભ વૃત્તિઓ પરાવર્તન થઈ શુભ સ્વભાવને પામી સ્વરૂપ પ્રત્યે વળતી જાય છે. (પ.-૭પપ/પા.-૫૭૮) જયારે દેશકાળ આધ્યાત્મિક સાધના માટે અનુકૂળ હોય તેવા કાળમાં પણ ક્વચિત થઈ આવે તેવા મહાત્માનો આપણને સહેલાઈથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005556
Book TitleSadguru Satpurush Sant Gyani Purushonu Mahatmya
Original Sutra AuthorN/A
AuthorRasikbhai T Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2010
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy