SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના શ્રી સદ્ગુરુ, સત્પુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાત્મ્ય - વિષે ઈન્દોરની પૂ. કૌશલ્યાબાઈ મહાસતીજીના દર્શનાર્થે જવાની યાત્રામાં વિચારની સ્ફુરણા થઈ. તેથી તે વચનોનું સંકલન તથા તેના પર જે કાંઈ સદ્ગુરુના અનુગ્રહથી સમજણમાં સ્થિર થયું છે તેના આધારે ઘોડી વિચારણારૂપ વાતો મૂળ વચનો ઉપર કરવાનો અવસર પ્રાપ્ત થયો. તે વચનો શ્રીમદ્ રાજચંદ્ર ‘વચનામૃત’ તથા પ.પૂ. સદ્ગુરુ દેવ લાડકચંદ માણેકચંદ વોરાના હસ્તલિખિત વચનો છે. તે વિચારણા બીજા મુમુક્ષુઓને ઉપયોગી થાય તેથી આ પુસ્તક રૂપે સંકલિત કરીને મુમુક્ષુઓને વિચારણા અર્થે અને સાધનામાં ઉપયોગી થાય તેવા ભાવ સાથે રજૂ કરેલ છે. પરમકૃપાળુદેવ તથા પરમ પૂજ્ય શ્રી સદ્ગુરુ દેવના વચનો આપણને મળ્યાં તે આપણું સદ્ભાગ્ય છે, કારણ કે આ વચનો તેમના આત્માને સ્પર્શીને નીકળેલાં છે. અને તેના પર વિચારણા કરી સદ્ગુરુ પ્રત્યે શ્રદ્ધા દૃઢ થતી જાય તો આ પ્રયત્ન સફળ થયો ગણી શકાય. આપને સૌને ઉપયોગી થાય એ ભાવના સહ.. 11 39 11 Jain Education International અસ્તુ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005556
Book TitleSadguru Satpurush Sant Gyani Purushonu Mahatmya
Original Sutra AuthorN/A
AuthorRasikbhai T Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2010
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy