SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સદ્ગુરુ, સત્પુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાત્મ્ય ૨૯ પુરુષ ! અમે તારામાં અને સત્પુરુષમાં કંઈ ભેદ હોય એમ સમજતા નથી; તારા કરતાં અમને તો સત્પુરુષ જ વિશેષ લાગે છે; કારણ કે તું પણ તેને આધીન જ રહ્યો છે; અને અમ સત્પુરુષને ઓળખ્યા વિના તને ઓળખી શક્યા નહીં, એ જ તારું દુર્ઘટપણું અમને સત્પુરુષ પ્રત્યે પ્રેમ ઉપજાવે છે. (૫.-૨૧૩/પા.-૨૬૯) આ વાક્યોમાં સત્પુરુષ (સદ્ગુરુ)નું માહાત્મ્ય કેટલું હોવું જોઈએ તે દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જો આટલું માહાત્મ્ય આપણા હ્રદયમાં સ્થિર થાય તો આપણું મોક્ષમાર્ગમાં આગળ વધવાનું કાર્ય ખૂબ જ ઝડપથી થાય.. (૩૭) જ્યાંથી ‘સત્’ની પ્રાપ્તિ હોય છે એવા સંતના શરણ વગર છુટકો નથી, એમ સમજી તે શોધી શરણાપન્ન થઈ ‘સત્’ પામી ‘સત્’ રૂપ હોય છે. (પ.-૨૧૮/પા.-૨૭૩) ‘સત્' એટલે આત્મા. સત્ આત્માની પ્રતીતિ થવા માટે સંતના ચરણ સેવવાં જરૂરી છે. માટે તેનો યોગ થવા માટે શોધ કરવાનું કહ્યું છે. શોધીને તેઓની આજ્ઞા પ્રમાણે ચાલવાથી સત્ની પ્રાપ્તિ થાય છે અને પોતે ‘સત્’ રૂપ થઈ જાય છે. (૩૮) જેને પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે, એવો દેહધારી પરમાત્મા તે પરાભક્તિનું પરમ કારણ છે. તે જ્ઞાનીપુરુષના સર્વ ચરિત્રમાં ઐક્યભાવનો લક્ષ થવાથી તેના હૃદયમાં વિરાજમાન પરમાત્માનો ઐક્યભાવ હોય છે; અને એ જ પરાભક્તિ છે. જ્ઞાનીપુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી; જ્ઞાની તો પરમાત્મા છે તેની ઓળખાણ વિના પરમાત્માની પ્રાપ્તિ થઈ નથી; માટે સર્વ પ્રકારે ભક્તિ કરવા યોગ્ય એવી દેહધારી દિવ્યમૂર્તિ-જ્ઞાનીરૂપ પરમાત્માને નમસ્કાર. આદિ ભક્તિથી માંડી પરાભક્તિના અંત સુધી એક લયે આરાધવી, એવો શાસ્ત્ર લક્ષ છે. પરમાત્મા આ દેહધારીરૂપે થયો છે એમ જ જ્ઞાનીપુરુષ પ્રત્યે જીવને બુદ્ધિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005556
Book TitleSadguru Satpurush Sant Gyani Purushonu Mahatmya
Original Sutra AuthorN/A
AuthorRasikbhai T Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2010
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy