SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સદ્ગુરુ, પુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાત્મ (૩) સપુરુષોના ચરિત્રોનું સ્મરણ કરવું - ભૂતકાળમાં થઈ ગયેલા અથવા વર્તમાનમાં જે કોઈ પુરુષ હોય, તેમનાં ચરિત્રોનું વાંચન, મનન, ચિંતન, નિદિધ્યાસન કરવું એટલે કે સ્મરણ કરવું એમ કહે છે. આ સપુરુષોના ચરિત્રોનું સ્મરણ શા માટે કરવાનું કહેવામાં આવ્યું છે તેનું સમાધાન. પ્રથમ નિરંતર ઉદાસીનતાની વાત કરી, ત્યારબાદ સપુરુષની ભક્તિ કરવાનું કહ્યું અને તેમની આજ્ઞા પ્રમાણે ચાલવાનું કહ્યું. તે વાતને જ પુષ્ટ કરવા માટે આ વાત કરવામાં આવી છે. તેમનાં ચરિત્રોનું સ્મરણ કરવાથી તેઓએ મુશ્કેલીના સમયમાં કેવી રીતે વર્તન કરી તેનો સામનો કર્યો અને તેમાંથી પાર ઊતરી ગયા, તેની જાણ થાય. તેમજ તેમણે પ્રગટ કરેલા ગુણોની પણ જાણ થાય તેથી આપણે પણ એ પ્રમાણે વર્તન કરી યથાર્થ પુરુષાર્થ દ્વારા આત્માને કર્મોના ભારથી હળવો કરી શકીએ. દા.ત. ભગવાન મહાવીરના ચરિત્રનું સ્મરણ કરવાથી તેઓએ ભોગવેલાં કર્મોનું વર્ણન જાણવામાં આવે અને તેનો સામનો તેઓએ કેવી રીતે કરીને આત્માના ગુણોને શુદ્ધ બનાવ્યા હતા તેની જાણ થાય. તે પ્રમાણે આપણે કરવાથી આપણે પણ આપણા આત્માના ગુણોનો આવિર્ભાવ કરી શકીએ. તેમાંથી પ્રેરણાબળ મળી રહે તે માટે સ્મરણ કરવાનું કહ્યું છે. પ.કૃ.દેવ પત્રાંક-૯૧૩માં કહે છે કે : “શાતા-અશાતાનો ઉદય કે અનુભવ થવાના મૂળ કારણોને ગવેષતા એવા તે મહત્ પુરુષોને એવી વિલક્ષણ સાનંદ આશ્ચર્યક વૃત્તિ ઉભવતી કે શાતા કરતાં અશાતાનો ઉદય સંપ્રાપ્ત થયે અને તેમાં પણ તીવ્રપણે તે ઉદય સંપ્રાપ્ત થયે તેમનું વીર્ય વિશેષપણે જાગૃત થતું, ઉલ્લાસ પામતું અને તે સમયે કલ્યાણકારી અધિકપણે સમજાતો.” (પ.-૯૧૩) “આત્મામાં રમણ કરી રહ્યા છે, એવા નિગ્રંથ મુનિઓ પણ નિષ્કારણ ભગવાનની ભક્તિમાં પ્રવર્તે છે, કારણ કે ભગવાનના ગુણો જ એવા છે.” (પ.-૨૭૮) (૪) સપુરુષોના લક્ષણનું ચિંતન કરવું જે વડે વસ્તુ કે પદાર્થ ઓળખાય તેને લક્ષણ કહે છે. લક્ષણ એ ગુણ પણ હોઈ શકે, પણ તેની વિશેષતા એ છે કે તે અન્યમાં હોતું નથી. દા.ત. ઉપયોગ એ ફક્ત જીવનો ગુણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005556
Book TitleSadguru Satpurush Sant Gyani Purushonu Mahatmya
Original Sutra AuthorN/A
AuthorRasikbhai T Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2010
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy