SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સદ્ગુરુ, સત્પુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાત્મ્ય (૧૨) જગતમાં સપરમાત્માની ભક્તિ-સદ્ગુરુ, સત્સંગ, સત્શાસ્ત્રધ્યયન, સમ્યક્દષ્ટિપણું અને સત્યોગ એ કોઈ કાળે પ્રાપ્ત થયાં નથી. થયાં હોત તો આવી દશા હોત નહીં. પણ જાગ્યા ત્યાંથી પ્રભાત એમ રૂડા પુરુષોનો બોધ ધ્યાનમાં વિનયપૂર્વક આગ્રહી તે વસ્તુ માટે પ્રયત્ન કરવું એ જ અનંતભવની નિષ્ફળતાનું એક ભવે સફળ થવું મને સમજાય છે. સદ્ગુરુના ઉપદેશ વિના અને જીવની સત્પાત્રતા વિના એમ થવું અટક્યું છે. તેની પ્રાપ્તિ કરીને સંસાર તાપથી અત્યંત તપાયમાન આત્માને શીતળ કરવો એ જ કૃતકૃત્યતા છે. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો. (પ.-૪૭/પા.૧૭૮, ૧૭૯) અત્યાર સુધી જીવને પરમાત્માની ભક્તિની પ્રાપ્તિ, સદ્ગુરુની પ્રાપ્તિ, સત્સંગની પ્રાપ્તિ, સત્ શાસ્ત્રાધ્યયનનું કરવું, આદિ કાં તો પ્રાપ્ત થયાં નથી, અથવા થયાં છે તો જીવાત્મા સન્મુખપણે વર્તો નથી. તેથી સત્યોગ મળ્યા છતાં ફળવાન થયા નથી, તેથી સમ્યગ્દષ્ટિપણું પ્રગટ થયું નથી. જો થયું હોત તો અત્યારની આપણી આવી દશા હોત નહીં, પણ હવે આ ભવમાં સદ્ગુરુ અને તેમનો યોગ પ્રાપ્ત થયો છે, તો તેમનાથી પ્રાપ્ત થતા યથાર્થબોધને ધ્યાનમાં લઈને, વિનયાન્વિત થઈને તે વસ્તુને, આત્માને પ્રગટ કરવા પ્રયત્નશીલ બની જવું જરૂરી છે. જો તે વસ્તુ આ ભવમાં પ્રગટાવી શકાય તો અનંતભવમાં મળેલી નિષ્ફળતાઓનું સાટું વળી જઈ, સફળતાની પ્રાપ્તિ થઈ જાય. પણ જ્યારે જ્યારે વીતરાગનો કે સદ્ગુરુનો યોગ મળ્યો છે ત્યારે ઉપદેશ સાંભળ્યો નથી કે અવધાર્યો નથી અથવા પોતાની યોગ્યતા-પાત્રતા નહીં હોવાથી આમ થતું અટક્યું છે. માટે જે યોગ મળ્યો છે તેને સફળ બનાવી, સંસારના ત્રિવિધ તાપથી છોડાવી, આપણા આત્માને શાંતદશામાં રમણતા કરાવવારૂપ સ્થિતિ પ્રગટ કરાવવાનો પુરુષાર્થ કરી લેવો એ જ હિતાવહ છે. સત્પુરુષાનું યોગબળ તો જગતના જીવોનું કલ્યાણ થાય એમ જ ઈચ્છતું હોય છે, પણ જીવો જ ઊંધા ચાલે ત્યાં ઉપાય ક્યાંથી કારગત નીવડે ? જીવન વીર્ય સ્ફુરાયમાન તો જ થઈ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005556
Book TitleSadguru Satpurush Sant Gyani Purushonu Mahatmya
Original Sutra AuthorN/A
AuthorRasikbhai T Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2010
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy