SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સદ્ગુરુ, સત્પુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાત્મ્ય ૩ સત્ (સ) વિદ્યાને પ્રાપ્ત કરવા, સિદ્ધ કરવા, વિનયની બહુ જ આવશ્યકતા, અગત્યતા સ્વીકારવામાં આવી છે. વિનય પ્રાપ્ત કરવા વિવેક આવવો જરૂરી છે અને વિવેક આવવા માટે આરંભ-પરિગ્રહ ભાવોનું અલ્પત્વ અથવા પોતાને મળેલ સંપત્તિ વગેરેનું અભિમાન ઘટાડવું જરૂરી બની જાય છે. વ્યવહારિક કાર્યમાં પણ જો આપણામાં વિનય હોય તો આપણું કાર્ય સરળતાથી પ્રાપ્ત થઈ જાય છે, બની જાય છે. તેવી જ રીતે આત્મવિદ્યા પ્રાપ્ત કરવા જે નિગ્રંથગુરુ છે, તેનો વિનય-વિવેક જાળવવો જરૂરી છે. વિનય-વિવેક જાળવવાથી તેમના અંતઃકરણમાં પ્રગટરૂપે રહેલી આત્મવિદ્યાને આપણે તેમના માર્ગદર્શન નીચે સરળતાથી પ્રાપ્ત કરી શકીએ તેમ છીએ; અને આપણા આ મનુષ્ય જીવનનું સાર્થક્ય થઈ શકે, કૃતકૃત્યભાવને પ્રાપ્ત કરી શકાય. માટે વિનય-વિવેક પ્રગટાવવા આરંભ-પરિગ્રહનું અલ્પત્વ, મંદત્વ કરવું ખાસ જરૂરી છે. (૪) ભગવાનની આજ્ઞા અને તેનું શુદ્ધ સ્વરૂપ યથાતથ્ય જાણવું-સ્વયં કોઈક જ જાણે છે, નહીં તો નિગ્રંથશાની ગુરુ જણાવી શકે, નિરાગી જ્ઞાતા સર્વોત્તમ છે. એટલા માટે શ્રદ્ધાનું બીજ રોપનાર કે તેને પોષનાર ગુરુ એ સાધનરૂપ છે. (શિ.પા.-૮૦/પા.૧૧૭) જો આપણે સંસાર પરિભ્રમણને ટાળવું છે, તો વીતરાગ ભગવાનનીં શું આજ્ઞાઓ છે અને તેઓનું જે શુદ્ધ સ્વરૂપ પ્રગટરૂપે રહેલું છે તે જાણવું જરૂરી છે. કોઈ જીવાત્મા પૂર્વનો આરાધક હોય તો આ ભવમાં સ્વયં પોતે જાણી શ` છે, નહિતર સામાન્યપણે આ સ્વરૂપ નિગ્રંથજ્ઞાની ગુરુ પાસેથી સાંભળીને મેળવી શકાય તેમ છે. અને જાણ્યા પછી તે સ્થિતિ મેળવવા પોતે તેઓની આજ્ઞા પ્રમાણે ચાલીને પુરુષાર્થ કરે તો મેળવી શકે. માટે આ ભવમાં શ્રદ્ધાનું-અધ્યાત્મ માર્ગ પ્રત્યેની શ્રદ્ધાનું બીજ રોપનાર અને પોષણ આપનાર નિગ્રંથગુરુ એ આપણા માટે સાધનરૂપ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005556
Book TitleSadguru Satpurush Sant Gyani Purushonu Mahatmya
Original Sutra AuthorN/A
AuthorRasikbhai T Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2010
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy