________________
૩૮૦
* શિક્ષામૃત
સર્વ મંગલમાંગલ્ય, સર્વ કલ્યાણકારણે;
પ્રધાન સર્વ ધર્માણાં, જેન જયતિ શાસનમ્ - ૫ સર્વ મંગળમાં મંગળરૂપ, સર્વ કલ્યાણનું કારણ અને સર્વ ધર્મોમાં પ્રધાન એવું જૈનશાસન તે જય પામો. (જય પામે છે) ૫
અરિહંત ચેઈયાણં સૂત્ર
અરિહંત ચેઇયાણ કરેમિ કાઉસ્સગ્ગ, - ૧ અરિહંતની પ્રતિમાઓને વાંદવા માટે હું કાઉસ્સગ કરું છું - ૧
વંદણવત્તિયાએ, પૂઅણ વત્તિયાએ, સક્કાર વત્તિયાએ, સમ્માણવત્તિયાએ,
બોદિલાભ વતિયાએ, નિસગ્ગવત્તિયાએ – ૨ વંદનથી થતા ફળ માટે, પૂજા કરવાથી થતા ફળ માટે, સત્કાર કરવાથી થતા ફળ માટે સન્માન કરવાથી થતા ફળ માટે, બોધિબીજના લાભને માટે, મોક્ષ સ્થાન પામવાને માટે (હું કાઉસ્સગ કરું છું) સદ્ધાએ, મેહાએ, ધીઈએ, ધારણાએ, અણુપેહાએ,
વઢમાણીએ, કામિ કાઉસ્સગ્ગ... ૩ શ્રદ્ધાથી, નિર્મળબુદ્ધિથી, ધીરજથી, ધારણાથી અને સ્મૃતિપૂર્વક વારંવાર સંભારવા વડે તત્ત્વ ચિંતનથી એ પાંચ વૃદ્ધિ પામતા થકા હું કાઉસગ્ન કરું છું. - ૩
શ્રી કલ્યાણકંદં સ્તુતિ સૂત્ર કલ્યાણ કંદ પઢમં નિણંદ, સંતિતઓ નેમિજિર્ણ મુણિદં;
પાસ પયાસ સુગણિwઠાણે, ભત્તિ) વંદે સિરિવદ્ધમાણ - ૧ કલ્યાણના જ કંદરૂપ એવા પહેલા શ્રી ઋષભ જિનેન્દ્રને, શ્રી શાંતિનાથને અને મુનિઓના ઇન્દ્ર એવા શ્રી નેમિનિને તેમજ ત્રણ ભુવનમાં પ્રકાશ કરનાર એવા શ્રી પાર્શ્વનાથને અને સારા ગુણોવાળા શ્રી વર્ધમાન સ્વામીને હું ભક્તિપૂર્વક વંદુ છું. - ૧
“શિક્ષામૃત” ગ્રંથ સંપૂર્ણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org