SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વ્યાખ્યાનમાર-૨ ૧. જ્ઞાન વૈરાગ્ય સાથે અને વૈરાગ્ય જ્ઞાન સાથે હોય છે; એકલાં ન હોય. ૨. વેરાગ્ય શૃંગાર સાથે ન હોય, અને શૃંગાર સાથે વેરાગ્ય ન હોય. . ૩. વીતરાગવચનની અસરથી ઇંદ્રિયસુખ નીરસ ન લાગ્યાં તો જ્ઞાનીનાં વચનો કાને પડ્યાં જ નથી, એમ સમજવું. ૪. જ્ઞાનીનાં વચનો વિષયનું વમન, વિરેચન કરાવનારાં છે. ૫. છેવસ્થ એટલે આવરણયુક્ત. ૭. શેલેશીકરણ - શૈલ = પર્વત + ઈશ = મોટા, એટલે પર્વતોમાં મોટા મેરુ જેવા અકંપ ગુણવાળા. ગંગાસતી તેમનાં ભજનમાં કહે છે કે :- “મેરુ તો ડગે પણ જેના મનડા ડગે નહીં” એ જ પ્રમાણે આ કહ્યું છે. ૭. અકંપ ગુણવાળા = મન, વચન, કાયાના યોગની સ્થિરતાવાળા. ૮. મોક્ષમાં આત્માના અનુભવનો જો નાશ થતો હોય તો તે મોક્ષ શા કામનો ? ૯. આત્માનો ઊર્ધ્વ સ્વભાવ છે. આત્માનો સ્વભાવ જ ઊંચે ઊડવાનો છે. એટલે આ ખોળિયામાંથી નીકળી એ સીધો સરેરાટ પહેલાં ઊંચે જાય પણ એની સાથે કર્મ હોય એટલે એ નીચે આવે. તે પ્રમાણે પ્રથમ ઊંચો જાય અને વખતે સિદ્ધશિલાએ ભટકાય; પણ કર્મરૂપી બોજો હોવાથી નીચે આવે. નીચે આવીને જ્યાં ગર્ભ ધારણ કરવો હોય ત્યાં કરે. કેવી રીતે તો કહે છે કે - Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005553
Book TitleShikshamrut
Original Sutra AuthorN/A
AuthorLadakchand Manekchand Vora
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy