SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ શિક્ષામૃત જે મોક્ષાર્થી જીવ હોય તે આ વિનયમાર્ગાદિનો વિચાર સમજે, અને જે મતાર્થી હોય તે તેનો અવળો નિર્ધાર છે, એટલે કાં પોતે તેવો વિનય શિષ્યાદિ પાસે કરાવે, અથવા અસદ્ગુરુને વિશે પોતે સદ્ગુરુની ભ્રાંતિ રાખી આ વિનય માર્ગનો ઉપયોગ કરે. ૨૨ હોય મતાર્થી તેહને, થાય ન આતમ લક્ષ; તેહ મતાર્થી લક્ષણો અહી કહ્યાં નિર્પક્ષ. ૨૩ જે મતાર્થી જીવ હોય તેને આત્મજ્ઞાનનો લક્ષ થાય નહીં; એવા મતાર્થી જીવનનાં અહીં નિષ્પક્ષપાતે લક્ષણો કહ્યાં છે. ૨૩ સાચો મુમુક્ષુ હોય એ આ માર્ગનો વિચાર સમજે, મતાર્થી હોય તે અવળું પકડે. આવા મતાર્થી જીવનાં લક્ષણો અહીં કહેવામાં આવ્યાં છે, તે લક્ષણો જાય નહીં ત્યાં સુધી આત્મજ્ઞાનનો લક્ષ થાય નહીં. મતાથી-લક્ષણ + બાહ્યત્યાગ પણ જ્ઞાન નહીં, તે માને ગુરુ સત્ય; અથવા નિજકુળધર્મના, તે ગુરુમાં જ મમત્વ. ૨૪ જેને માત્ર બાહ્યથી ત્યાગ દેખાય છે પણ આત્મજ્ઞાન નથી, અને ઉપલક્ષણથી અંતરંગ ત્યાગ નથી તેવા ગુરુને સાચા ગુરુ માને, અથવા તો પોતાના કુળધર્મના ગમે તેવા ગુરુ હોય તો પણ તેમાં જ મમત્વ રાખે. ૨૪ જેજિનદેહ પ્રમાણને, સમવસરણાદિ સિદ્ધિ; વર્ણન સમજે જિનનું, રોકી રહે નિજ બુદ્ધિ. ૨૫ જે જિનના દેહાદિનું વર્ણન છે તેને જિનનું વર્ણન સમજે છે, માત્ર પોતાના કુળધર્મના દેવ છે માટે મારાપણાના કલ્પિત રાગે સમવસરણાદિ માહાભ્ય કહ્યા કરે છે, અને તેમાં પોતાની બુદ્ધિને રોકી રહે છે; એટલે પરમાર્થ હેતુસ્વરૂપ એવું જિનનું જે અંતરંગ સ્વરૂપ જાણવા યોગ્ય છે તે જાણતા નથી, તથા તે જાણવાનો પ્રયત્ન કરતા નથી, અને માત્ર સમવસરણાદિમાં જ જિનનું સ્વરૂપ કહીને મતાર્થમાં રહે છે. ૨૫ બાહ્ય ત્યાગ હોય પણ આત્મજ્ઞાન નથી તેમાં અથવા કુળધર્મના ગુરુમાં મમત્વ રાખે, તીર્થકરના બાહ્ય અતિશયોને જ જિનની મહત્તા માને, અને એમાં જ પોતાની બુદ્ધિને રોકી રાખે તે મતાર્થી છે. પ્રત્યક્ષ સદ્ગુરુ યોગમાં, વર્તે દૃષ્ટિ વિમુખ; અસગુરુને દઢ કરે, નિજ માનાર્થે મુખ્ય. ૨૬ પ્રત્યક્ષ સદ્ગુરુનો કયારેક યોગ મળે તો દુરાગ્રહાદિ છેદક તેની વાણી સાંભળીને તેનાથી અવળી રીતે ચાલે, અર્થાત્ તે હિતકારી વાણીને ગ્રહણ કરે નહીં, અને પોતે ખરેખરો દઢ મુમુક્ષુ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005553
Book TitleShikshamrut
Original Sutra AuthorN/A
AuthorLadakchand Manekchand Vora
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy