SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ શિક્ષામૃત જે જિનાગમાદિ આત્માના હોવાપણાનો તથા પરલોકાદિના હોવાપણાનો ઉપદેશ કરવાવાળાં શાસ્ત્રો છે તે પણ જ્યાં પ્રત્યક્ષ સદ્ગુરુનો જોગ ન હોય ત્યાં સુપાત્ર જીવને આધાર રૂ૫ છે; પણ સદ્ગુરુ સમાન તે ભ્રાંતિના છેદક કહી ન શકાય. - ૧૩ ' જ્યાં પ્રત્યક્ષ સદ્ગુરુનો જોગ ન મળે ત્યાં આત્મા છે એવું નિરૂપણ કરનારાં શાસ્ત્રોનો આધાર લેવો જોઈએ. અથવા સદ્ગુરુએ કહ્યાં, જે અવગાહન કાજ; તે તે નિત્ય વિચારવાં, કરી મતાંતર ત્યાજ. ૧૪ અથવા જો સદ્ગુરુએ તે શાસ્ત્રો વિચારવાની આજ્ઞા દીધી હોય, તો તે શાસ્ત્રો મતાંતર એટલે કુળધર્મને સાર્થક કરવાનો હેતુ આદિ ભ્રાંતિ છોડીને માત્ર આત્માર્થે નિત્ય વિચારવાં - ૧૪ રોકે જીવ સ્વછંદ તો, પામે અવશ્ય મોક્ષ; પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિનનિર્દોષ. ૧૫ જીવ અનાદિકાળથી પોતાના ડહાપણે અને પોતાની ઇચ્છાએ ચાલ્યો છે, એનું નામ સ્વચ્છેદ છે. જો તે સ્વચ્છંદને રોકે તો જરૂર તે મોક્ષને પામે; અને એ રીતે ભૂતકાળ અનંત જીવ મોક્ષ પામ્યા છે. એમ રાગ, દ્વેષ અને અજ્ઞાન એમાંનો એક્કે દોષ જેને વિશે નથી એવા દોષરહિત વીતરાગે કહ્યું છે. ૧૫ પોતાના ડહાપણે અને ઇચ્છાએ જીવ ચાલવાનું બંધ કરે તો સ્વછંદને રોકી શકાય. સ્વચ્છંદને રોકવાથી અવશ્ય ધ્યેયને પ્રાપ્ત કરે. પ્રત્યક્ષ સદ્ગુરુ યોગથી, સ્વછંદ તે રોકાય; . અન્ય ઉપાય કર્યા થકી, પ્રાયે બમણો થાય. ૧૬ પ્રત્યક્ષ સદ્ગુરુના યોગથી તે સ્વચ્છંદ રોકાય છે, બાકી પોતાની ઇચ્છાએ બીજા ઘણા ઉપાય કર્યા છતાં ઘણું કરીને તે બમણો થાય છે. ૧૬ સ્વછંદ મત આગ્રહ તજી, વર્તે સદ્ગુરુ લક્ષ; સમકિત તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ. ૧૭ સ્વચ્છેદ તથા પોતાના મતના આગ્રહને તજીને જે સરના લક્ષે ચાલે તેને પ્રત્યક્ષ કારણ ગણીને વીતરાગે “સમકિત' કહ્યું છે. ૧૭ સ્વછંદ છે તે પ્રત્યક્ષ સદ્ગુરુના યોગથી જ રોકી શકાય છે. તે સિવાયના બીજા ઉપાય કરે તો બમણો થાય છે. સાધક સ્વચ્છંદ, મતાગ્રહ છોડીને પ્રત્યક્ષ સદ્ગુરુની આજ્ઞાએ ચાલે તો કારણને કાર્ય ગણીને તેને સમકિત છે એમ કહ્યું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005553
Book TitleShikshamrut
Original Sutra AuthorN/A
AuthorLadakchand Manekchand Vora
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy