SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ ५५० શ્રદ્ધા જ્ઞાન લહ્યાં છે તોપણ, જો નવિ જાય પમાયો (પ્રમાદ) રે; વંધ્ય તરુ ઉપમ તે પામે, સંયમ ઠાણ જો નાયો રે; ગાયો રે, ગાયો, ભલે વીર જગદ્ગુરુ ગાયો. (સંયમ શ્રેણી સ્તવન ૪-૩, ૫૦ ૫. શ્રી ઉત્તમવિજયજી) શ્રદ્ધા અને જ્ઞાન પ્રાપ્ત થયાં છે છતાં પણ પોતે સાધનામાં થતો પ્રમાદ ન છોડે તો આત્મસ્વભાવમાં સ્થિર ન થઈ શકાય, તેથી શ્રદ્ધા, જ્ઞાન હોય છતાં પ્રમાદનો ત્યાગ ન કરે તો તે વાંઝિયા ઝાડ જેવો ગણાય. તેને સંયમની પ્રાપ્તિ ન થાય. પછી ભલેને તે ભગવાન શ્રી મહાવીરની સ્તુતિ કરતો હોય, તોપણ સ્થિરતા ન થાય. શિક્ષામૃત ५५४ સર્વ પ્રકારના ભયને રહેવાના સ્થાનકરૂપ આ સંસારને વિશે માત્ર એક વૈરાગ્ય જ અભય છે. મોટા મુનિઓને જે વેરાગ્યદશા પ્રાપ્ત થવી દુર્લભ, તે વૈરાગ્યદશા તો ગૃહવાસને વિશે જેને પ્રાયે વર્તતી હતી, એવા શ્રી મહાવીર, ઋષભાદિ પુરુષો પણ ત્યાગને ગ્રહણ કરી ચાલી નીકળ્યા, એ જ ત્યાગનું ઉત્કૃષ્ટપણું ઉપદેશ્યું છે. ગૃહસ્થાદિ વ્યવહાર વર્તે ત્યાં સુધી આત્મજ્ઞાન ન થાય, કે આત્મજ્ઞાન હોય તેને ગૃહસ્થાદિ વ્યવહાર ન હોય એવો નિયમ નથી, તેમ છતાં પણ જ્ઞાનીને પણ ત્યાગવ્યવહારની ભલામણ પરમપુરુષોએ ઉપદેશી છે; કેમકે ત્યાગ એશ્વર્યને સ્પષ્ટ વ્યક્ત કરે છે, તેથી અને લોકને ઉપકારભૂત છે તેથી, ત્યાગ અકર્તવ્યલક્ષે કર્તવ્ય છે, એમાં સંદેહ નથી. Jain Education International સ્વસ્વરૂપને વિશે સ્થિતિ તેને ‘પરમાર્થસંયમ’ કહ્યો છે. તે સંયમને કારણભૂત એવા અન્ય નિમિત્તોના ગ્રહણને ‘વ્યવહારસંયમ' કહ્યો છે. કોઈ જ્ઞાનીપુરુષોએ તે સંયમનો પણ નિષેધ કર્યો નથી. પરમાર્થની ઉપેક્ષા (લક્ષ વગર) એ જે વ્યવહારસંયમમાં જ પરમાર્થસંયમની માન્યતા રાખે તેના વ્યવહારસંયમનો, તેનો અભિનિવેશ ટાળવા નિષેધ કર્યો છે. પણ વ્યવહારસંયમમાં કંઈ પણ પરમાર્થની નિમિત્તતા નથી, એમ જ્ઞાનીપુરુષોએ કહ્યું નથી. ५५७ મહાત્મા બુદ્ધ (ગોતમ) જરા, દારિત્ર્ય, રોગ અને મૃત્યુ એ ચારને એક આત્મજ્ઞાન વિના અન્ય સર્વ ઉપાયે અજિત દેખી, જેને વિશે તેની ઉત્પત્તિનો હેતુ છે, એવા સંસારને છોડીને ચાલ્યા જતા For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005553
Book TitleShikshamrut
Original Sutra AuthorN/A
AuthorLadakchand Manekchand Vora
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy