SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ શિક્ષામૃત એક અજ્ઞાનપણે પવનની સ્થિરતા કરે છે, પણ શ્વાસોચ્છવાસ રોધનથી (પૂરક, કુંભક અને રેચક રૂપ પ્રાણાયામ રૂપી ક્રિયાથી) તેને કલ્યાણનો હેતુ થતો નથી, અને એક જ્ઞાનીની આજ્ઞાપૂર્વક શ્વાસોચ્છવાસનો રોધ કરે છે, તો તેને તે કારણથી જે સ્થિરતા આવે છે, તે આત્મા પ્રગટવાનો હેતુ થાય છે. શ્વાસોચ્છવાસની સ્થિરતા થવી એ એક પ્રકારે ઘણી કઠણે વાત છે. તેનો સુગમ ઉપાય મુખરસ એકતાર કરવાથી થાય છે, માટે તે વિશેષ સ્થિરતાનું સાધન છે; પણ તે સુધારસ-સ્થિરતા અજ્ઞાનપણે ફળીભૂત થતી નથી; એટલે કલ્યાણરૂપ થતી નથી, તેમ તે બીજજ્ઞાનનું ધ્યાન પણ અજ્ઞાનપણે કલ્યાણરૂ૫ થતું નથી, એટલો વિશેષ નિશ્ચય અમને ભાસ્યા કરે છે. જેણે વેદનપણે આત્મા જાણ્યો છે તે જ્ઞાની પુરુષની આજ્ઞાએ તે કલ્યાણ રૂપ થાય છે, અને આત્મા પ્રગટવાનો અત્યંત સુગમ ઉપાય થાય છે. એક બીજી અપૂર્વ વાત પણ આ સ્થળે લખવાનું સૂઝે છે. આત્મા છે તે ચંદન વૃક્ષ છે. તેની સમીપે જે જે વસ્તુઓ વિશેષપણે રહી હોય તે તે વસ્તુ તેની સુગંધનો (!) વિશેષ બોધ કરે છે. જે વૃક્ષ ચંદનથી વિશેષ સમીપ હોય તે વૃક્ષમાં ચંદનની ગંધ વિશેષપણે ફુરે છે. જેમ જેમ આઘેનાં વૃક્ષો હોય તેમ તેમ સુગંધ મંદપરિણામને ભજે છે; અને અમુક મર્યાદા પછી અસુગંધરૂપ વૃક્ષોનું વન આવે છે, અર્થાત્ ચંદન પછી તે સુગંધપરિણામ કરતું નથી. તેમ આ આત્મા વિભાવ પરિણામને ભજે છે, ત્યાં સુધી ચંદનવૃક્ષ કહીએ છીએ અને સૌથી તેને અમુક અમુક સૂક્ષ્મ વસ્તુનો સંબંધ છે, તેમાં તેની છાયા (!) રૂ૫ સુગંધ વિશેષ પડે છે; જેનું ધ્યાન જ્ઞાનીની આજ્ઞાએ થવાથી આત્મા પ્રગટે છે. જંગલ છે એમ માની લ્યો. એમાં ચંદનવૃક્ષ છે. હવે આપણે અજાણ્યા છીએ, પણ કોઈ એમ કહે કે આ કેડીએ ચાલ્યા જાઓ પછી આવશે. પછી એ ચંદનવૃક્ષ આટલામાં છે એમ કોઈ જાણનાર કહે. તો આપણે જઈએ છીએ. હજી ચંદનવૃક્ષ આવ્યું નથી. પણ બીજા ઝાડ છે એમાં ચંદનવૃક્ષની સુવાસ સુગંધ આવે છે ત્યારે આપણને ઉલ્લાસ થાય કે આટલામાં ક્યાંક ચંદનવૃક્ષ હોવું જોઈએ. એમ આ વિભાવિકઆત્મા જ્યાં સુધી વિભાવ પરિણામને ભજે છે, ત્યાં સુધી એને ચંદનવૃક્ષ કહીએ છીએ, એમ કૃપાળુદેવ કહે છે. આપણે આત્માને શોધવા નીકળ્યા છીએ. જો જ્ઞાનીની આજ્ઞાએ ધ્યાન થાય તો આત્મા પ્રગટ થાય. આત્માનાં દર્શન થાય, ભગવાન આત્માનાં દર્શન થાય. અનુભવ થાય. પવન કરતાં પણ સુધારસ છે તેમાં આત્મા વિશેષ સમીપપણે વર્તે છે. આત્મા, જે આ ઋષિ મુનિઓ પ્રાણાયામ કરે છે એના કરતાં પણ સુધારસ અડીને જ છે. એ કરતાં કરતાં જરાક આમ થાય એટલે આત્મા પ્રગટ થઈ જાય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005553
Book TitleShikshamrut
Original Sutra AuthorN/A
AuthorLadakchand Manekchand Vora
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy