SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર’ : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ કરાયેલા પ્રતિનિધિઓ તો નથી જ; રાજ્યશાસનની પરંપરાગત તાલીમ પામેલા ચુનંદા ક્ષત્રિયો કે તેના કુળના વંશજો છે. અલબત્ત, માત્ર સામાન્ય જીવનશક્તિઓ ધરાવનાર પ્રજાઓ તેમના તરફની વફાદારીમાં અને તેમની આજ્ઞા પાળવામાં ધન્યતા અનુભવે છે. ૩૨૨ આમાંનો પ્રથમ પ્રકાર ગ્રામપ્રધાન અર્થતંત્રવાળા મુખ્યત્વે કૃષિ-પશુપાલન કરતાં રાષ્ટ્રનું એવું સ્વશાસન જણાય છે, જેમાં અન્ય રાષ્ટ્રના કે સ્વરાષ્ટ્રના કોઈ માથાભારે વર્ગોના આક્રમક કે ઉપદ્રવી વ્યવહા૨ વખતે શાંતિકાળમાં અર્થોત્પાદક વ્યવસાયો કરવામાં રત રહેનાર ખડતલ પ્રજામાંના ચુનંદા ખમતીધરો શસ્રપ્રયોગનાં કૌશલ અને હામના બળે આક્રમણને સફળતાથી ખાળવામાં પ્રવૃત્ત થાય છે. લોભ કે મહત્ત્વાકાંક્ષાથી મુક્ત એવો આ નિરુપદ્રવી, સંકુલ પ્રવૃત્તિઓ વિનાનો, ખડતલ, સ્વાધીન અને સંતોષી આદિમ સમાજ જણાય છે, જેને રાજકારણ કાયમી ધંધા તરીકે પસંદ પણ નથી અને જરૂરી પણ લાગતું નથી. ખરેખર તો આ સ્વપોષિત, સ્વશાસિત, સ્વપ્રકાશિત સાદો આત્મનિષ્ઠ સમાજ઼ જણાય છે. કૌટિલ્યના સમયમાં આવાં થોડાં પણ ચોક્કસ નામનાવાળાં પ્રજાજૂથો હશે, જેમને સંકુલ શાસનવ્યવસ્થાનો ખપ એટલા માટે નહિ હોય, કે તેઓ પ્રાથમિક જરૂરિયાતો મેળવીને સંતોષ થાય તેવી ધિંગી-નરવી જીવનશૈલીમાં અને નિરુપદ્રવી-સ્વાધીન આજીવિકા-પદ્ધતિમાં સ્થિર થયેલા હશે. પણ આવાં પ્રજાજૂથો વિરલ હોઈ એવા સંઘો જૂજ હશે; અલબત્ત, સાંસ્કૃતિક રીતે વિશેષ સમૃદ્ધ પણ હશે. કૌટિલ્ય એવા સંઘોને વિશિષ્ટ આદરથી પણ જોતા જણાય છે. પણ સંકુલ માનવસ્વભાવ પર આશ્રિત અને નગરજીવનનો ફટાટોપ જરૂરી માનનારા બીજા પ્રકારના સંઘો વધુ સંખ્યામાં, વધુ પ્રસિદ્ધ અને વધુ અટપટા હોઈ આ અધિકરણમાં ચર્ચા એવા સંઘોને ધ્યાનમાં લઈને થયેલી છે એવો અધ્યા. શ્રી કંગલેનો અભિપ્રાય યોગ્ય લાગે છે. એવા સંઘોની જ મર્યાદાઓ અને બદીઓ ગંભીર વિચારણા માગે છે તે પણ ધ્યાનમાં રહે. આ ઉભયવિધ સંઘોને કૌટિલ્ય કેટલા ને કેવા સમભાવથી જુએ છે એ પણ અધિકરણના આરંભના નાના ગદ્યખંડ પરથી અને અંતના પઘ પરથી બરોબર સમજાય છે. આરંભે ચાર વાક્યનો ગદ્યખંડ આવો ઠરેલ અભિપ્રાય વ્યક્ત કરે છે : “સૈન્યલાભ કે મિત્રલાભ કરતાં પણ સંઘ [સાથેની મૈત્રી]ની પ્રાપ્તિ ચઢિયાતી છે; કારણ કે સંઘો ગાઢ સંગઠન પામેલા હોઈ શત્રુઓથી પડકારી શકાય એવા હોતા નથી. આવા સંઘો પૈકી જે સંઘો સહયોગી ગુણો ખરેખર ધરાવતા હોય, તેમને સામ અને દાનના વ્યવહારોથી આત્મસાત્ કરવા, અને જે સત્ત્વ વગરના હોય તેવા સંઘોને ભેદ કે દંડરૂપ ઉપાયોથી વશમાં રાખવા૪૮” છેલ્લે, પ્રથમ ગદ્યવાક્યમાં એક સમતુલાસાધક સંઘ-તરફી હિતવચન છે અને પછી શ્લોક છે. ગદ્યવાક્યમાં કહ્યું છે : “સંઘરાજ્યોએ પણ આ રીતે એકરાજાવાળા શાસન તરફથી (રીનાત્) પ્રયોજાતાં છટકાંઓથી પોતાના તંત્રને રક્ષવું.” પછીના પદ્યમાં કહ્યું છે : “સંઘના વડાએ સંઘના અધિકારીઓ તરફ (સ ઘેવુ) ન્યાયભાવનાવાળા, હિતકર, પ્રિય, આત્મસંયમી, સમર્પિત સેવકોવાળા અને સહુના ચિત્તના આરાધક બનીને સ્થિરતા સાધવી.૪૯” અગાઉ કહ્યા પ્રમાણે, આખા અધ્યાયમાં તે સંઘના ભ્રષ્ટ અધિકારીઓ વચ્ચે શત્રુતા પેદા કરવારૂપ ભેદયુક્તિઓ અને વ્યક્તિગત રીતે અતિભ્રષ્ટ અધિકારીઓ / મુખ્યાધિકારીના ગુપ્તવધ (દંડ) માટેનાં વિવિધ તરાહનાં છટકાં ગુપ્તચરોના વિશિષ્ટ સહયોગથી યોજવાની જ વાતો મૂકી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy