SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૩૧૭ નવા રાજ્યતંત્રે અંધ કે ખુશામતી લોકપૂજા પણ ન કરતાં, વૈચારિક કે માનવધર્મીય પ્રગતિશીલતા પણ બતાવવાની સંતર્પક વાત પણ આમાં છે. પ્રજાજૂથોના જે રિવાજો કોશ કે સૈન્યની વૃદ્ધિ-સમૃદ્ધિના બાધક હોય કે અધર્મરૂપ (અમાનુષી) હોય, તેનો પ્રતિષેધ કરીને ધર્માનુકૂળ પ્રથાઓ સ્થાપવાની છે. રાજયની આવી વૈચારિક પ્રગતિશીલતા અને જાગૃતિ સંસ્કૃતિને શુદ્ધ અને દઢ કરવામાં મોટી ચાલના આપી પ્રજામાં વૃદ્ધિકારક એકરસતા સ્થાપે છે. રાષ્ટ્રમાં પૂર્વરાજાના શાસનમાં અવશ્યપણે જામેલી ગુન્હાખોરી અને બદીઓને નિષ્ફળ બનાવવા વિવિધ ઉપાયો કરવાના છે. ચોરી માટે પંકાયેલાં પ્રજાજૂથોનાં અને અનેક મિથ્યા કે સમાજ-વિઘાતક પ્રવૃત્તિઓમાં રત મ્લેચ્છજાતિઓનાં રહેણાંક બદલીને તેમને વેરવિખેરપણે જ રહેવાની ફરજ પાડવાની છે, જેથી તેમની પરંપરાગત મિથ્યાપ્રવૃત્તિઓ અટકે અને અન્ય સમજદાર સમાજોનો પ્રભાવ પોતે ઝીલી શકે. એ રીતે દુર્ગ, જનપદ, સૈન્યના ઉચ્ચાધિકારીઓની પણ સ્થાન બદલી કરતાં રહેવાનું છે – આજની જેમ ! ઉપદ્રવસમર્થ યા રાજાના નાશની તક ઝંખતા મનુષ્યોનો ગુપ્તવધ કરવાનો છે. સમજીને દૂર કરાયેલા જૂના અધિકારીઓને સ્થાને રાજાએ પોતાના મૂળ રાષ્ટ્રના મનુષ્યોને યા પૂર્વરાજાએ જેમને રૂંધી રાખેલા તેવા તેનાથી મિથ્યાપીડિત એવા મનુષ્યોને નીમવા. જૂના રાજાનો અસંતુષ્ટ કોઈ કુળબંધુ માથાભારે હોય યા તેનો કોઈ દરબારી ઉમરાવ વિદન ઊભા કરવાની ગણતરીએ સરહદ પર કે વનપ્રદેશમાં છુપાયેલો હોય, તેને તેના ઇષ્ટ માપની નબળી જમીન યા તેથી ચોથા ભાગની સારી જમીન આપી ટાઢો પાડવો; પણ તેમાં ય કોશ અને સૈન્ય માટેની મોટી ખંડણીની શરત રાખવી, જેને લીધે તેને પ્રજાનું શોષણ કરવું પડે ને તેથી પ્રજામાં વિદ્રોહ જન્મે; એ રીતે જ એનો ઉચ્છેદ કરવો. પ્રજાથી જાકારો પામેલા પૂર્વાધિકારીને દૂર કરવો કે ખરાબ સ્થાને નીમવો. પોતાના ભૂતપૂર્વ મુલ્કને જ જો પાછો જીત્યો હોય તો પોતાના અને પોતાના તંત્રના જે દોષોથી રાજય ગુમાવેલું તે પોતાના કે રાજયાંગોના અન્ય દોષોને દૂર કરવા. કેવી સીધી-સટ નીતિની ભલામણ ! પિતાએ ગુમાવેલું રાજ્ય પાછું મેળવતાં પિતાના અને તેના તંત્રના જે દોષોએ હાનિ કરી હોય તે શમાવી, પિતાના ને તેના તંત્રના ગુણો પોતાના દ્વારા ને પોતાના તંત્ર દ્વારા વધારવા. સારી-સાચી પ્રજાને સારો-સાચો શાસક નિરંતર મળતો રહે એની જદોઝદ એ જ માનવીય રાજનીતિ, સંસ્કૃતિસંવર્ધક રાજનીતિ. સમગ્ર પરદેશનીતિસંબંધી ચર્ચાનું કેવું મધુરતમ સમાપન ! આ અધ્યાયને છેડે આવેલા શ્લોકમાં તો જાણે આ મંદિરને પ્રગતિશીલતાથી ચકચકતો કળશ લાગે છે ! શ્લોકમાં કહ્યું છે : પોતાને ધર્મવર્ધક લાગતું હોય તેવું આચરણ ક્યાંક બીજાએ પણ આચર્યું હોય યા કદાચ કોઈએ પણ ન આચર્યું હોય તો યે રાજાએ પોતાની શાસનચર્યામાં તો તે દાખલ કરવું જ. વળી પોતાને ધર્મવિરુદ્ધ લાગતું આચરણ આચરવું નહિ અને બીજાએ આચર્યું હોય તો પણ પોતાના દષ્ટાંતથી અટકાવવું.” (અનુવાદ મુક્ત રીતે કર્યો છે.) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy