SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૩૦૯ સૂઝ-સમજથી કરાય છે. આમાં પણ છેવટે આક્રમણ ને યુદ્ધ ટળે છે તે નરવું પરિણામ ગણાય. ખોટું જોર મારનારને એની વાસ્તવિક ભૂમિકામાં લાવનારો આ ઉપાય પણ ખરેખર નરવો જ ગણાય. દંડ એટલે કાં તો શત્રુને ભારે આર્થિક ફટકો પહોંચાડવો યા તેની વિવિધ સ્તરની વિપુલ રાષ્ટ્રીય ખાનાખરાબી થાય, યા તે સત્તા સુધ્ધાં ગુમાવે તેવો સૈન્યવ્યાપાર અર્થાત્ યુદ્ધ પ્રયોજવું. આગલા ત્રણ ઉપાયની નિષ્ફળતા કે અશક્યતાના સંજોગોમાં જે યુદ્ધરૂપ દંડ-ઉપાય પ્રયોજવાનો છે, તે સરવાળે “ઉપાયરૂપ એટલે કે કાર્યસાધક બને તે માટે પણ ભારતીય-રાજનીતિમાં ખૂબ તટસ્થ ને સ્વસ્થ ચિંતનનું તેમ જ અમલની ઊજળી પરંપરાનું ખેડાણ થયેલું છે. એથી સરવાળે બંને પક્ષ પોતપોતાની શક્તિ અંગેની વાસ્તવિકતાના ભાનથી અવાસ્તવિક ખર્ચ અને ખુવારીનો માર્ગ ત્યજીને સ્વરાષ્ટ્રને સંભાળવામાં જ પરોવાય છે. આ પરથી એમ પણ કહી શકાય કે યુદ્ધની અનિવાર્યતા પારખીને, એની સહજ મર્યાદાઓ જાળવીને, પૂરી શક્તિથી યુદ્ધ કરી છૂટવું તે સરવાળે તો પુષ્કળ અનર્થોનું નિવારક જ બને છે. પણ આજના યુગમાં મર્યાદાની જાળવણીનું વલણ પણ નહિવત્ છે અને ખુવાર કરવાનાં સાધનો પણ સરવાળે આત્મઘાતક જ બની રહે તેમ હોઈ કોઈ પણ યુદ્ધ ઉપાયરૂપ જ નથી રહ્યું તે ધીરે-ધીરે સમજાતું જાય છે. સાચું યુદ્ધ તો ઉધઈથી ખોખલા થયેલા વૃક્ષ જેવા શત્રુને તોડી પાડવા જેવું સહજ કર્મ હોય અને તેથી એમાં લાઘવ (ટૂંકાણ) હોય. પાછળના સમયના પ્રાચીન-ભારતીય નીતિ(દંડનીતિ)ગ્રંથોમાં આ સાથે એક પાંચમો ઉપાય બતાવ્યો છે “ઉપેક્ષા' – દા.ત. કામંદકીય નીતિસાર'માં. અગાઉ કહ્યા પ્રમાણે “અર્થશાસ્ત્ર'માં પણ એની આડકતરી સ્વીકૃતિ સમજાય છે – ખાસ તો ગ્રંથના “શમવ્યાયામિમ્' અધ્યાય(૬.૨)માંની શમ'-વિષયક ચર્ચા પરથી. વળી રાજનીતિના છ “ગુણો' ( ષાગ્યમ્ – લાભકારક છે પરદેશનીતિઓ) પૈકીના ત્રીજા માસન ગુણની તો ૩પેક્ષણમ્ (ઉપેક્ષા) એવી જ એક વૈકલ્પિક વ્યાખ્યા અપાઈ છે તે પણ એની ઉપાય તરીકેની આડકતરી સ્વીકૃતિ સૂચવે છે. હકીકતે, સામાદિ ઉપાયોની ચર્ચા ગ્રંથમાં પ્રાસંગિક રીતે જ અન્ય વિષયના પ્રકરણમાં ટૂંકમાં કરાઈ છે. “શાસનાધિકાર: એ અધ્યાય ક્ર. ૨.૧૦માં રાજદ્વારી પત્રના વિષયોની ભિન્નતા ચર્ચતાં આ ચાર ઉપાયો પણ લેખના ભિન્ન વિષયો તરીકે સમજાવાયા છે. અન્ય કેટલાંક પ્રકરણોમાં પણ આના પ્રયોગના પ્રસંગો ચર્ચાયા છે. ઉપેક્ષા ઉપાયનો વિચાર કરતાં ખાસ કરીને “ઋગ્વદમાં અનેક સ્થળોએ પ્રયોજાયેલો ‘થીર શબ્દ યાદ આવે છે. કોઈ પણ સારા-માઠા પ્રસંગે સમતાયુક્ત (તટસ્થ) બુદ્ધિને જે પ્રયોજે તે ધીર – ધિયં તિ સ ધીર: (“ધી” અર્થાત્ બુદ્ધિને પ્રેરે, પ્રવૃત્ત કરે તે ધીર). ખુદ ઉપેક્ષા શબ્દનો પણ મૂળ અર્થ યાસ્કના “નિરુક્ત' ગ્રંથમાં, તેમાં રહેલાં ધાતુના વિશિષ્ટ પ્રયોગ દ્વારા ધ્યાનપૂર્વક તપાસવું” એવો સૂચવાય છે. મહાકવિ કાલિદાસે કુમારસમવ-મહાકાવ્યમાં ધીરની વ્યાખ્યા આમ આપી છે : “વિકારનું કારણ હોય, ત્યારે જેમનાં ચિત્ત વિકૃત નથી થતાં તેઓ જ ધીર છે.૪૨ ૩પેક્ષામાં પણ શત્રુપક્ષની વિશિષ્ટ ચેષ્ટા પ્રસંગે એ ચેષ્ટાનું સ્વરૂપ ચોક્કસ પ્રકારે સમજાય તે માટે પોતાની કોઈ પણ જાતની પ્રતિક્રિયાને તત્કાલ શાંત રાખવાની વાત છે. મહાકવિ ભારવિ પોતાના વિરતાળુનીય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy