SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૩૦૩ અને આ સૂચન પરથી ખાસ લાગે છે કે એ વખતે એવાં ખૂબ વિશાળ માનવકૃત, ચોપાસથી બંધ જળાશયોના નિર્માણની પરંપરા હશે; જેમ કે જૂનાગઢ પાસેનો સુદર્શન સેતુબંધ ને તેનું વિશાળ જળાશય –, તો તેના દ્વારા આહારપ્રાપ્તિ કરાવનાર બે વ્યવસાયો સૂચવાયા છે : ધાન્ય, શાક, કંદમૂળ અથવા/અને ફળની બાગાયતી ખેતી (Horticulture) અને માછીમારી. તદુપરાંત સેતુબંધોના કાંઠે ફાલેલાં કે અન્યત્ર ટકી રહેલાં વનોમાં હરણ, અન્ય પશુ, હિંસક પ્રાણીઓ, પક્ષી વગેરેનો શિકાર પણ માંસાહારની ટેવવાળી આમપ્રજાનો શરીર-નિર્વાહ કરી શકે. હિંસાજન્ય માંસાદિનો આહાર કૃષિયુગમાં પણ પ્રાયઃ અન્નાહારની સમાંતરે મોટા ભાગની પ્રજામાં ચલણી હતો તે સત્ય તો આજના સંદર્ભે ય સ્વીકારવું રહ્યું. અહિંસાધર્મી માંસાદિત્યાગની વિભાવના એ ઉત્ક્રાંતિક્રમે હજી નાનકડું બાળ છે – અલબત્ત, અત્યંત પ્રતિભાશાળી નીવડે તેવું હોનહાર (ઊંચા ભવિષ્યવાળું) બાળ. એ ધ્યાનમાં રહે કે એ વખતે શિકારની વ્યાપક પરંપરા હોવા છતાં, એકંદરે આખી ને આખી પ્રાણી-જાતિઓનો ખાતમો કે તેમની ગણનાપાત્ર સંખ્યાહાનિ થાય એવી સમસ્યા ઊઠી નહોતી; એમાં જંગલોની વિપુલતા પણ કારણરૂપ ગણી શકાય. “અર્થશાસ્ત્ર'માંના સૌથી વધુ વિસ્તૃત અને મહત્ત્વનાં અધ્યક્ષપ્રવીર: એ બીજા અધિકરણમાં કોઈ વનાધ્યક્ષનો (આજના જંગલ-વિભાગ અને જંગલમુખ્યાધિકારીની જેમ) ઉલ્લેખમાત્ર પણ નથી; આખા ગ્રંથમાં પણ ક્યાંય નથી ! સામે પક્ષે, વનોમાં ત્યાંની ગણનાપાત્ર સંખ્યાબળ ધરાવતી વન્ય માનવજાતિઓનું પડકારી ન શકાય તેવું જોરદાર સ્વાધીન રાજયતંત્ર હોવાના સંકેતો ગ્રંથમાં ઠેર-ઠેર મળે છે, અને આવા તંત્રના મુખિયાઓ (જેને માટે બાટવિ કરતાં પણ જંગલના પર્યાયરૂપ ખુદ ટવી શબ્દ લાક્ષણિક રીતે વપરાયો છે તે) ચાલુ રાજયતંત્ર માટે કંઈક અંશે માથાભારે પડકારરૂપ બતાવાયા છે; અલબત્ત, અનુનય (મનામણાં, ‘ભાબાપા') દ્વારા વશ કરી શકાય એવા ખરા. આ થઈ દુકાળ અંગેની ખૂબ રસપ્રદ ચર્ચા. ઉંદરની રાષ્ટ્રીય આપત્તિ માટે પણ કેટલાક કાર્યક્ષમ વ્યવહારુ ઉપાયો સૂચવાયા છે. ઉંદરભક્ષી બિલાડા અને નોળિયાનો વ્યાપક ઉછેર કરી એમનો ઠેર-ઠેર ફેલાવો કરવો; એટલું જ નહિ, તે બે જીવોને હણવા બદલ આકરો દંડ કરવો. ઉપરાંત એ બે જીવોને વ્યાપકપણે હણનારા કૂતરાઓની વસ્તીને અને ચેષ્ટાઓને કાબૂમાં રાખવાની ફરજ પાડતો કાયદો અમલી બનાવવો. વળી ઉંદરો જાતે મરી જાય તે માટે ઝેરી દૂધ પાયેલાં કે ગૂઢ ઝેરી બનાવટોવાળાં ધાન્યો ઠેર-ઠેર વેરવાં. (મૌલિક અહિંસા-સંશોધન માટેનો પડકાર ! અહિંસાપ્રેમીઓએ ખૂબ-ખૂબ ધીરજ અને સાર્વત્રિક માનવવત્સલતા ધારણ કરવી રહી.) એક કલ્પનાશીલ, રમૂજી લાગતો ઉપાય છે કરની અવેજીમાં મૃત ઉંદરો સ્વીકારવાનો ! નરવાં ધાર્મિક શાંતિકારક અનુષ્ઠાનો પણ કર્તવ્યરૂપ બતાવાયાં છે. જંગલોના અસાધારણ વ્યાપના અન્વયે વસતીઓમાં હિંસક પ્રાણીઓના ઉપદ્રવને કાબુમાં લેવા બેભાન કરનારાં રસાયણ (મનરલ) ભેળવેલાં પશુશબો, એવાં પ્રાણીઓનાં સંચારસ્થાનોમાં મૂકવાં, અથવા મૃતપશુનાં આંતરડાં માદક કોદરા ભરીને મૂકવાં – એવા ઝટ અસર કરનાર વ્યવહારુ ઉપાયો સૂચવાયા છે. કૂતરાને ખપમાં લેતા શિકારીઓ દ્વારા ગુપ્ત ખાડા કે પાંજરાનો ઉપયોગ કરીને પ્રાણીઓને ફસાવીને, પકડીને પૂરી દેવાની વધુ કૌશલ પરિશ્રમ માગતી યુક્તિ પણ સૂચવી છે. વધુ પરાક્રમશક્તિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy