SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા આને લીધે દુકાળસમયે, રાષ્ટ્રમાં કાયમી લોકોપયોગી સુવિધાઓની વૃદ્ધિ અને રોજગારી દ્વારા તાત્કાલિક પ્રજા-પોષણ એ બંને નક્કર હેતુઓ સાથે સધાય છે. આ વિકલ્પમાં ખાદ્યસામગ્રી રાષ્ટ્રમાં જ છતવાળા પ્રદેશો રહ્યા હોય તો ત્યાંથી અથવા મિત્ર એવા નજીકના રાજ્યમાંથી મેળવવાની રહે. દુષ્કાળકાલીન એક સમભાવી આયોજન એવું પણ હોઈ શકે કે નિક-ગરીબ સર્વ પ્રજાજનોને સમાન રીતે માથાદીઠ ખાધા-ખોરાકીની વહેંચણી કરવી એક પૂરક અને તાત્કાલિક ઉપાય તરીકે. બાકી, પ્રજાને બેઠાડુ તો રાખવાની જ નથી. ૩૦૧ બીજા વ્યાખ્યાનના અંતે જોયેલું તેમ પ્રાચીન-ભારતીય રાજનીતિમાં મૂર્ત થયેલી રાજમંડલની કલ્પના તત્ત્વતઃ રાષ્ટ્રો વચ્ચે માત્ર પ્રતિસ્પર્ધા કે પરસ્પર-શત્રુતાની વ્યૂહરચના માટે જ પુરસ્કાર પામી નહોતી, પણ શક્યતા પ્રમાણે પરસ્પર-સહયોગ, દુષ્ટતત્ત્વ સામે સહ-અભિયાન વગેરે સાંસ્કૃતિક હેતુ માટે પણ હતી. તે મુજબ દુકાળના પ્રસંગે ઉપાયરૂપ એક વિકલ્પ બતાવાયો છે પોતાના દુષ્કાળગ્રસ્ત રાષ્ટ્રને અન્ય મિત્રરાષ્ટ્ર પાસે ‘થાપણ’ તરીકે મૂકવાનો. આમ તો દેશને ગિરો મૂકવાની આ વાત છે, પણ રાજનૈતિક સાવચેતી રાખીને અને પોતાના દેશની સામા રાષ્ટ્રમાં બંધાયેલી શાખમાં વિશ્વાસ મૂકીને, રાષ્ટ્રગૌરવને જફા ન પહોંચે તેમ આ વિકલ્પ પણ અજમાવી શકાય. આ વિકલ્પ . સ્વીકારવાથી, થાપણ તરીકે દુકાળગ્રસ્ત રાષ્ટ્રને સ્વીકારનાર રાષ્ટ્રને થાપણ મૂકાયેલા રાષ્ટ્રનાં જે કોઈ અંગો કે મુલ્કો દુકાળની અસરોથી મુક્ત હોય, તેનો પોતાના વિકાસમાં ઉપયોગ કરવાની તક મળે છે અને સામે દુકાળગ્રસ્ત રાષ્ટ્રને પણ રોજગારી અને નિર્વાહસાધનો મળે છે. : રાજ્યાંગરૂપ સાત ‘પ્રકૃતિ'ઓ (પાયાનાં ઘટકો) પૈકી સાતમી પ્રકૃતિ તરીકે ‘મિત્ર’ ગણાવાય છે. એની સાર્થકતા દુકાળના સંદર્ભે સૂચવાયેલા આ સહેજ જુદા વિકલ્પમાં પણ દેખાય છે ઃ દુકાળમાં મિત્રરાષ્ટ્રનો આશ્રય લેવો. અગાઉ એવા રાષ્ટ્ર સાથે બહુમુખી સહયોગનાં જેટલાં વ્યાપ, ઊંડાણ અને ઔદાર્યથી મૈત્રી પોષી હોય, તે પ્રમાણમાં દુકાળ પાર કરવામાં એવા રાષ્ટ્રનો મજબૂત ટેકો મળી રહે. આ અરસપરસ ઉપકારની વાત હોઈ એક સહજ રાજનૈતિક સંસ્કૃતિ અને સદાચારનો જ ભાગ ગણાય. = બીજા બે વિકલ્પો પણ દૃષ્ટિસંપન્ન અને હિંમતભર્યા છે. એક વિકલ્પ છે ‘કર્શન’ (કૃશ અર્થાત્ પાતળું કે ઓછું કરવું) – રાષ્ટ્રની દુકાળગ્રસ્ત પ્રજાને સંપન્ન એવા અન્ય રાષ્ટ્રમાં ફેરવવી (પરિસ્થિતિ મુજબ લાંબા-ટૂંકા ગાળા માટે). એને ખૂબ મળતો અન્ય વિકલ્પ છે ‘વમન’ (બહાર ઠાલવવું) – રાષ્ટ્રના દુષ્કાળગ્રસ્ત ભાગની પ્રજાને રાષ્ટ્રના જ અન્ય સંપન્ન ભાગમાં ફેરવવી. અહીં એ વિગત યાદ કરીએ કે નૈનપનિવેશ (‘નવા જનસ્થાનની સ્થાપના') નામના અધ્યાય ક્ર. ૨.૧માં નવા ગ્રામસમાજની સ્થાપનાનો એક મહત્ત્વનો હેતુ આના પર્યાયરૂપ શબ્દ અમિર્ચન્દ્ર-વમન દ્વારા બતાવ્યો છે વસ્તીના જમાવ(મિસ્ચન્દ્ર)ને ઘટાડવા માટે, સ્થાનફેર ઇચ્છતા પરિવારોની નવી વસાહતમાં ફેરવણી (વમન) કરવી. આ વાત સામાન્ય સંદર્ભે છે; દુકાળના સંદર્ભે નહિ. પણ બંનેમાં પાયાનો વિચાર સમાન છે – વસ્તીનું સમવિસ્તરણ કરી પુરવઠા-તંત્ર પરની પ્રાદેશિક તાણ દૂર કરવી. આ એક સંસ્કૃતિપોષક ઠરેલ વિચાર છે, જેને ન્યાય આપવાનો પડકાર દૃષ્ટિસંપન્ન રાષ્ટ્રીય અર્થતંત્રે ઊંડી સૂઝ-સમજ દાખવીને ઝીલવાની જરૂર છે. સંતતિ-નિયમન કરતાં પણ રાષ્ટ્રમાં પ્રજાનું સમવિસ્તરણ એ વધુ પાયાનો નીતિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy