SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર’ : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ વિવાદો થયા હશે. એમ એક તબક્કે રાજ્યતંત્રનાં આવાં ‘તીર્થો'ની સંખ્યા અઢારના આંકડે સ્થિર થઈ લાંબો વખત ટકી હશે. એ યાદીમાં રાજાની ગણતરી એટલા માટે નથી કે સિદ્ધાંત તરીકે રાજા તો રાજ્યતંત્રનો ‘સ્વામી’ જ ગણાયો હોઈ એનો મહિમા સ્વતઃસિદ્ધ છે – એ ગુણસમૃદ્ધ પ્રતિભાનો સ્વામી હોય તે અપેક્ષિત છે. એટલે રાજાના કાર્યકલાપનાં અંગો બની રહેનારા મુખ્ય અધિકારીઓ જ એ યાદીમાં છે. તેમાં રાજાની અત્યંત નજીક રહેનારા અને દરબારના મુખ્ય સદસ્યોરૂપ મંત્રી, પુરોહિત, સેનાપતિ અને યુવરાજથી શરૂ કરી રાજભવનના મુખ્ય દ્વારપાળ, આખા રાજભવનની સમગ્ર વ્યવસ્થા જાળવનાર ‘અંતર્વશિક’, રાષ્ટ્રની ભૌતિક સમૃદ્ધિનું અને તેને જાળવનારા માળખાનું જતન કરનારો સન્નિધાતા, મહામહિમાયુક્ત સમાહર્તા, પ્રશાસ્તા, પ્રદેષ્ટા, સૈન્યનો ‘નાયક’, રાજધાનીની સુવ્યવસ્થા જાળવનાર ‘પૌરવ્યાવહારિક’ (?–સંભવતઃ કૌટિલ્યે અધ્યાય ક્ર. ૨.૩૫માં વર્ણવેલો ‘નાગરિક’રૂપ નગરપતિ અથવા તો નગરનો મુખ્ય ન્યાયાધીશ), ઔદ્યોગિક વિસ્તારનો વડો કાર્યાન્તિક, વિવિધ અર્થપ્રવૃત્તિઓના જુદા-જુદા અધ્યક્ષો, કિલ્લાના રક્ષક દુર્ગપાલ, સેનારક્ષક દંડપાલ, સરહદરક્ષક વિવિધ અંતપાલો – આ બધા ‘મહામાત્રો’ (મોટા અધિકારીઓ) જ ‘તીર્થ’ બિરુદથી ઓળખાવાયા. ‘મહાભારત’ વગેરેમાં મળતી અઢાર તીર્થોની યાદી સાથે આ યાદી લગભગ મળતી આવે છે. આ સૂત્ર ૧.૧૨.૬માં ‘તીર્થ’ શબ્દનો ઉપયોગ અને ‘અઢાર' સંખ્યાનો ઉલ્લેખ નથી એટલો જ ફેર છે; સરવાળો અઢારની નજીક પહોંચે છે ખરો. પરંતુ આ પછી આવતા શ્લોકાત્મક વીસમા સૂત્રમાં એ બંને વિગતોનો ઉલ્લેખ મળે છે. ૨૫૪ મૂળ વાતનું ફરી અનુસંધાન કરીએ તો ગુપ્તચરતંત્રની આ ક્રિયાશીલ ‘સંચાર’-શાખાએ કેવળ શુદ્ધ રાષ્ટ્રહિતની દૃષ્ટિએ આ ઉચ્ચતમ અધિકારીઓની ગૃહચર્યા અને બાહ્યચર્યાનું સૂક્ષ્મ-નિપુણ નિરીક્ષણ-પરીક્ષણ કરતા રહેવાનું છે. માનવસ્વભાવ જે-તે કાળે પ્રવર્તતા યુગબળ મુજબ વત્તે-ઓછે અંશે ચંચળ હોય છે. પણ સદ્ભાગ્યે કળિયુગમાં પણ બધા મનુષ્ય ચંચળ કે ભ્રષ્ટ નથી હોતા. સૃષ્ટિ દરેક યુગમાં સમાજના ધા૨ક-પોષક થોડાં પણ શુભ પરિબળોને તો સાચવી રાખે છે એવું સુંદર તારણ ‘મત્સ્યપુરાણ'ના ‘ધર્મવૃષભ’નું રૂપકાત્મક વર્ણન કરતા એક આખા અધ્યાયમાંથી નીકળે છે. એ રીતે ‘દોષને ઊગતો ડામવો' એ લાઘવસાધક (ટૂંકાણ સાધતા) ન્યાયે, આડે રસ્તે ચાલતા ‘મહામાત્ર’(ઉચ્ચાધિકારી)ને સીધે રસ્તે ચાલતો કરવા સમયસર યોગ્ય શિક્ષાત્મક પગલાં ભરાવાં જોઈએ. અથવા અસાધ્ય લાગતા અધિકારીને, તે જે ઉપાયથી રાષ્ટ્રને હાનિ કરતો અવશ્ય અટકે તે ઉપાયથી નિયમનમાં રાખવો જોઈએ. આવી કડક શિસ્ત જે રાષ્ટ્રના રાજપુરુષો, રાજસેવકો અને એકંદરે આખી પ્રજા ઝીલીને પચાવી શકે અને એના દ્વારા પોતાના શુભ સંકલ્પોને પૂરેપૂરા જાગૃત અને સક્રિય કરી શકે, તે રાષ્ટ્ર સાચું સર્વકલ્યાણસાધક અને ધડો લેવા જેવું (અનુસરવા જેવું) રાષ્ટ્ર બને છે. આમપ્રજામાંથી જ ભરતી કરાયેલા ગુપ્તચરો આવા ઉચ્ચતમ અધિકારીઓના સમીક્ષક થાય તે ઉચિત છે, કે શક્ય છે એવો પ્રશ્ન થાય. અહીં એ યાદ રાખવું જોઈએ કે ઘણી વાર સાવ સામાન્ય મનુષ્ય પણ ઉચ્ચાશયી સ્વામીનું કે તંત્રનું સમર્પિત અંગ બનીને એની આજ્ઞાના જ પીઠબળે તેના પાલન દ્વારા અને પોતાની સાદી-સીધી-સ્વચ્છ પ્રકૃતિમાંથી જન્મેલી અડીખમ વફાદારી અને કુશળતા દ્વારા મોટાં કામ કરી શકે છે. વળી એ ન ભુલાય કે સમાજ પરસ્પર-સમીક્ષાથી જ ટકી Jain Education International - For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy