SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૨ કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર': દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ જેવા અનિવાર્ય કાર્ય માટે ખપની હોય છે. એમ પણ લાગે છે કે તીક્ષ્ણ ગુપ્તચરે આવો વધ કાં તો યુદ્ધની પરિસ્થિતિમાં, કાં તો વધ્ય વ્યક્તિની ગાફેલિયતની ક્ષણમાં શસ્ત્ર દ્વારા કરવાનો હોય છે, કે જેમાં પ્રતિહિંસાની એટલે કે ગુપ્તચરના પોતાના પ્રાણ જોખમાવાની પણ શક્યતા રહે છે. એના અન્વયે જ આવી વ્યક્તિની, શરૂઆતમાં બતાવાયેલી લાક્ષણિકતાઓ ખપની છે. આમાંનો બીજો પ્રકાર છે “રસદ' (‘રસ' એટલે ઝર; તે દેનારો, અર્થાત્ ઝેરપાઉ તે ‘રસદ'). તે સામાજિક રીતે વધુ ખતરનાક છે. એ સ્વભાવથી જ પરિવાર પ્રત્યેની કોઈ પણ લાગણી વગરનો હોય છે; અર્થાત્ માણસ જેનાથી સામાજિક બની શકે એ પારિવારિક સંબંધરૂપ પાયો જ ન નાખી શકાય તેવી તેની ચિત્તભૂમિ છે. આ તો હજી નિરુપદ્રવી લાક્ષણિકતા થઈ; પણ એમાંથી ફલિત થનારી તેની મૂર્ત લાક્ષણિકતા છે ક્રૂરતા. તે માનવમાત્ર પ્રત્યે લાગણીશૂન્ય તો છે જ; તેમાં વળી હિંસારૂપી ખતરનાક શોખમાં રાચનારો છે ! આ લાક્ષણિકતાના સાથમાં ખતરનાક બની શકે તેવું તેનું ત્રીજું લક્ષણ છે આળસુપણું. આ બધાં લક્ષણોનો એકંદર અર્થ એ, કે એ નથી સમાજમાં કે દયામાં માનતો કે નથી ઉદ્યમમાં માનતો; પછી જોઈએ શું ? નવરું મન શેતાનનું ઘર ! આ તો ખરેખર છે જે-તે મુલ્કના પ્રત્યેક પરિવારની અને જન-જનની નિંદ હરામ કરનારો ખૂંખાર હત્યારો ! થોડાં વર્ષો પૂર્વે મુંબઈમાં આવા જ એક રમણ-રાઘવ' નામના શખ્સ લાંબા વખત સુધી હાહાકાર મચાવ્યો હતો. અવારનવાર દેશકાળભેદે આવા ખૂંખાર મનુષ્યો જોવા મળતા હોય છે. કેટલીક વાર એવું બને કે રાજયતંત્ર ચાહીને આવા ખૂંખાર મનુષ્યને પોતાનો સેવક બનાવવા ન ચાહતું હોય તો યે આવો કોઈ ખરેખરો ઉપદ્રવી જયારે સમાજને ધમરોળતો હોય, ત્યારે કોઈ દષ્ટિસંપન્ન, જ્યોતિઓમાંના એક અપૂર્વ જ્યોતિ (‘ળ્યોતિષાં વ્યોતિરમ્' “શિવસંકલ્પ’–સૂક્ત, યજુર્વેદ)રૂપ પ્રભાવક મનવાળો મંત્રી કે અન્ય રાજપુરુષ આવાને પ્રથમ અન્ય પરંપરાગત ઉપાયો થકી બાહ્ય રીતે વશ કરી, સમાજના અન્ય અધ્યાત્મવિદ્દ કે સંતની મદદ લઈને પણ તેના મનની કેળવણી કરીને, ક્રમશઃ આવા રાજસેવકપદમાં એને જોતરી, સમાજને નિર્ભય કરવા સાથે આવી વ્યક્તિને કલ્યાણપથ પર ચડાવી શકે. સૂક્ષ્મ મનોવિજ્ઞાન પર ઊભેલા અને વ્યવહારુ કૌશલ સૂઝાડતા સમાજવિજ્ઞાનની કેટલી ઊંચી કાર્યક્ષમતા શક્ય છે ! વિજ્ઞાનોમાંહેલું એ કેટલું ઊંચું વિજ્ઞાન છે ! આ પ્રકારનું “રસદ' નામ સૂચવે છે તેમ, આવા ગુપ્તચરે જરૂર પડ્યે જે તે વયોગ્ય રાજપુરુષનાં આહાર-પીણા-પાણી-આદિમાં ગુપ્તપણે ઝેર ભેળવી તેનો ખાતમો બોલાવવાની તૈયારી રાખવી પડે. માત્ર એટલા પ્રસંગ પૂરતી એની મૂળ પ્રકૃતિમાં ખપમાં લાગે; બાકી તો એની પોતાની ફરજ તરફની નવી સુખશાંતિપ્રદ લગની જ એને નાથતી રહેવાની અને સમાજાભિમુખ કરતી રહેવાની. એ “રસદ' કહેવાય છે. એનો અર્થ એ નથી કે એણે માત્ર ઝેર પાવાનું હોય ત્યાં જ ફરજ બજાવવાની છે. એવો ઉગ્ર ઉપાય ક્યાંક કરવાનો આવે તે વખતે આ પ્રકારનો ગુપ્તચર એ માટે સજજ હશે એટલો જ એનો અર્થ છે. બાકી એણે પણ પ્રાય: ગુપ્ત હકીકતો જાણી લાવવાનાં જ ગુપ્તચરકર્મો કરવાનાં છે. વળી ઝેરપાલ તરીકેની કામગીરી પણ તેણે જાતે નક્કી કરીને કરવાની નથી. આ ગુપ્તચરની કૌટિલ્ય બતાવેલી લાક્ષણિકતાઓ જોઈને, તે અન્યથા ગ્રાહ્ય ન લાગતાં, અત્રે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy