SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ કૌટિલ્ય અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ રાજ્યતંત્ર પર આસ્થા અને સ્થિર વફાદારીના ભાવો પેદા કરે એમાં નવાઈ નથી. તેથી મોટા ભાગના પ્રજાજનો પણ આવા ગુપ્તચરોને અજાણપણે પણ સહકાર જ આપતા રહે. આને પરિણામે રાષ્ટ્રકંટકરૂપ ભ્રષ્ટ કે દુષ્ટ તત્ત્વો લઘુમતીમાં આવી, એકલા પડી, જુદાં તરી આવ્યા વગર રહે નહિ. જે રાષ્ટ્રના મોટા ભાગની પ્રજાની ઊંચી નીતિભક્તિ (morale) ટકી રહે, એ રાષ્ટ્ર દુનિગ્રહ દ્વારા સજજનોના કાળજીભર્યા પરિરક્ષણ માટે નિત્યસજજ ગણાય. ભારતીય રાજનીતિશાસ્ત્રમાં રાજાઓને વારંવક્ષ: (વીર અર્થાત્ ગુપ્તચરો – તે સ્વરૂપની આંખ ધરાવતા, એટલે કે ગુપ્તચરો જેમની આંખો છે તેવા) કહ્યા છે. અગાઉ આપણે રાજાની જે દિનચર્યા જોયેલી, તેમાં કાર્યોની સમયબદ્ધ ગોઠવણીમાં એ પણ જોયેલું કે દિવસ દરમિયાન રાજાના જાગૃતિના કુલ તેરેક વિભાગોમાં ત્રણ વિભાગો ગુપ્તચરો સાથેની, પરસ્પર ચોક્કસ ભિન્ન સ્વરૂપની મુલાકાતો માટે ફાળવાયેલા છે. એ પરથી એ તંત્રનું પણ રાજ-કાજમાં કેવું ચાવીરૂપ મહત્ત્વ છે તે સમજાય છે. જેમ કોઈ તબીબને માટે પ્રથમ દર્દીની કાળજીભરી તપાસ સૂક્ષ્મ નાડી જ્ઞાન, રોગલક્ષણો-સંબંધી જ્ઞાન કે આધુનિક ઢબનાં યાંત્રિક પરીક્ષણો દ્વારા કરી લેવાનું અનિવાર્ય છે, તેમ રાષ્ટ્રહિત અર્થે, શાસન કરનારે વ્યાપકપણે અને ઝીણવટથી લોકમાંના જુદા જુદા વર્ગો કે તેમાંની વિવિધ વ્યક્તિઓની હિલચાલોની કે તેમના ઇરાદાઓની તપાસ કરવી આવશ્યક બને છે. એવી તપાસ પાછળ કોઈ વ્યક્તિ કે પ્રજાજૂથ તરફ તોછડાઈ, તિરસ્કાર કે વાંકદેખાપણું હોતાં નથી, પણ તે-તે દેશકાળમાં લોકપ્રકૃતિનાં કે રાજસેવકોનાં ક્યાં-કયાં અને કેવા-કેવાં શુભ કે અશુભ લક્ષણો પ્રવર્તી રહ્યાં છે, તેની ધ્યેયલક્ષી, કર્તવ્યબોધજનક પૂર્ણ સભાનતા જ સ્થાપવાનો હેતુ હોય છે. એ જ રીતે પડોશી રાજયોની તેમનાં રાજયોમાં થતી, તેમ જ તેમના ગુપ્તચરો દ્વારા આપણા રાજયમાં થતી મલિન ઇરાદાઓવાળી કે ચોખ્ખી રીતે શત્રુતાભરી હિલચાલો પણ જાણવા ચુનંદા, વફાદાર ગુપ્તચરોની વિસ્તૃત સેવાની કાયમપણે જરૂર પડે છે. “શત્રુને અને રોગને ઊગતો જ ડામવો જોઈએ” એ શાણી નીતિ અનુસાર, આવા સ્થાયી ગુપ્તચરતંત્રની આવશ્યકતા પ્રસ્થાપિત થાય છે. આનાથી જેમ રાષ્ટ્રનું સ્થળ કે ભૌતિક અહિત સમયસર અટકી શકે છે, તેમ તે-તે મલિન ઇરાદાઓને સમયસર નિષ્ફળ કરવા દ્વારા દુષ્ટવનિવારણરૂપ સામાજિક શુદ્ધિનો ક્રાંતિકારી માર્ગ પણ ખૂલે છે. વળી આવી તપાસ રાજાને પોતાના તંત્રનું અને સાથી-તંત્રવાહકોનું મૂલ્યાંકન કરી, તેમાં જાગૃતિ સુધારણા કરતા રહેવાની સૂઝ પણ આપે છે. કોઈ વ્યક્તિ કે સમુદાય માટેની ઊંડી નિસ્બત જ તેની ઉપર આવવા પાત્ર શક્ય સંકટની આગોતરી શંકા કે ચિંતા કરાવે છે તે વાત કાલિદાસે પોતાના મશાનીનતત્તમાં પાત્રમુખે ઉચ્ચારાયેલી આ ઉક્તિથી સરસ રીતે ચીંધી છે : “કોઈ પ્રત્યેનો ખૂબ ઊંડો સ્નેહ તેના પ્રત્યે આચરાનારા કે તેના દ્વારા અંજ્ઞાને થનારા પાપરૂપ કાર્યની આગોતરી શંકા કરાવે છે” (“ગતિને વનુ પાપશી” અંક ચોથો, શ્લો. ૨૧મા પછી). આમ રાજયતંત્રની પ્રબુદ્ધ પ્રતિભાની દૃષ્ટિએ જોઈએ તો, ગુપ્તચરતંત્ર પારકી પંચાતરૂપ નહિ, પણ સરવાળે તો સતતના પ્રામાણિક આત્મપરીક્ષણરૂપ છે. “બધું બરોબર ચાલે છે એવા મિથ્યાભિમાન કે મિથ્યા આત્મસંતોષમાં રાચનાર રાષ્ટ્ર દારુણ પતન જ પામે છે. તેથી ધોરણસર ઊભું કરાઈને સતત કાળજીથી અને ન્યાયી રીતે નિભાવાતું ગુપ્તચરતંત્ર કોઈ પણ રાજયતંત્રને નિત્ય-નમ્ર, નિત્ય-ઉદ્યમી અને વાસ્તવિકતાના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy