SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર’: દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ તાત્કાલિક ઊભા થયેલા તાકીદના સંજોગ બાદ કરતાં, તેઓ દરેક નવું કે ભિન્ન પગલું રાજાને જણાવીને જ ભરે તે જરૂરી છે. આ તપાસ મુજબ દરેક દોષ માટે યોગ્ય સજા પણ કરવી ઘટે; તો સામે પક્ષે આદેશ મુજબ તંતોતંત કે વધુ સારી રીતે કામ આટોપનારને ઉચ્ચતર સ્થાન અને માન પણ આપવાં ઘટે. ઉચ્ચાધિકારીઓની અર્થશુદ્ધિની તપાસનું એક અનૌપચારિક છતાં અગત્યનું પાસું તે જે-તે વ્યક્તિની પારિવારિક-સામાજિક જીવનશૈલીની આધારભૂત જાણકારી પણ ગણી શકાય. અધિકારી સમાજમાં, પરિવારમાં કેવા પારિવારિક વૈભવથી, કેટલા ધનવ્યયથી જીવે છે તે પણ તેની વાસ્તવિક આવક અને ધનસંપત્તિ સૂચવતી હકીકત ગણાય. તેની ચોપડે નોંધાયેલી આવકનો અને તેના આવા અંગત વ્યયનો મેળ કેવોક જણાય છે તે સહજપણે ધ્યાનમાં આવ્યા વગર રહેતું નથી. તેની જાણીતી આવકના પ્રમાણ સાથે તેના ખર્ચાઓ તાલમાં હોય તો તે ભ્રષ્ટ વ્યવહારોથી વધારાનો પૈસો પચાવી પાડતો નથી એમ માની શકાય, અને જો ધ્યાનપાત્ર રીતે આવકના પ્રમાણમાં વધારે પડતો ખર્ચો હોય તો તે તેના ભ્રષ્ટ વ્યવહારનો સામાજિક આડકતરો પુરાવો બની રહે; અલબત્ત, તે માટેનો ખાતાકીય તપાસતંત્ર માટે માન્ય ગણાય તેવો આધારભૂત વ્યક્ત પુરાવો તો શોધવો જ પડે. સામાજિક સ્તરનો પુરાવો માત્ર પૂરક કે દિશાદર્શક બની શકે. કૌટિલ્ય આ બાબતે પોતાનો અનુભવસિદ્ધ મત આપતાં કહે છે કે સામાજિક રીતે સારી કે વાંધાજનક દેખાતી હકીકત આમ કે તેમ પાકો નિશ્ચય ન કરાવી શકે; ગુપ્તચર દ્વારા થતી આધારભૂત તપાસ દ્વારા જ નિર્ણય થઈ શકે. આપણે જ્યારે ‘અર્થશાસ્ત્ર'માં વર્ણવેલી રાજનીતિની સામાજિક-સાંસ્કૃતિક અભિમુખતા ચાહીને પૂરી ઉત્સુકતાથી તપાસવા બેઠાં છીએ, ત્યારે આ ચર્ચાનું એક સુંદર લોકપૂજક પાસું જાણીને આપણને સંતોષ થશે; અલબત્ત, આ વ્યાખ્યાનમાં અન્યત્ર આનો ઉલ્લેખ કર્યો પણ છે. એ મુદાને અહીં વધુ સભાનપણે આપણા હૃદયમાં ઘૂંટીએ. મુદ્દો એ છે કે અર્થોત્પાદનના કોઈ પણ કાર્યસંગઠન દ્વારા ગમે તેમ કરીને વધારેમાં વધારે ઉત્પાદન થાય એવું લક્ષ્ય કૌટિલ્યને અભીષ્ટ નથી, પણ ઔચિત્ય જળવાય તે રીતે જ મહત્તમ ઉત્પાદન થાય તે જરૂર ઇષ્ટ છે. એટલે એવા મહત્તમ ઉત્પાદનમાં અધ્યક્ષના સંભવિત અજ્ઞાનાદિ-દોષથી જેટલી ઘટ આવે, તે સામે અધ્યક્ષના જે-તે ચોક્કસ દોષની કક્ષા ધ્યાનમાં રાખીને તેની પાસેથી તે ઘટ એટલા-ગણી વસૂલ કરવી ! સુંદર ન્યાય! એ અજ્ઞાન વગેરે સાત દોષો હમણાં જ આપણે અધ્યાય ૨.૭ના પરિચય દરમિયાન જોયા છે તે યાદ કરીએ. તે-તે દોષની ગંભીરતાના પ્રમાણ મુજબ ઘટની તેટલાગણી (યથા [v) વસૂલાત એટલા માટે આકારાઈ છે કે નાનકડો દોષ પણ વસ્ત્રમાંના કાણાની જેમ વિસ્તરતા વાર થતી નથી – ખાસ તો રાષ્ટ્રીય કક્ષાએ મોટી લાયકાતની અપેક્ષાએ ઊંચાં સ્થાન-માન પામતા અધિકારીની બાબતમાં. આથી ઊલટું, જો કોઈ અધ્યક્ષ પોતાના કાર્યક્ષેત્રમાંથી અપેક્ષા કરતાં બમણું કે ખૂબ વધારે ઉત્પાદન કરી બતાવે તો તેવી કામગીરીને પણ આવકારપાત્ર ન ગણતાં તેને પણ સદોષ માનવી; કારણ કે તે રાષ્ટ્રને કે મુલ્ક(જનપદ)ને એટલે કે આમપ્રજાને “ખાઈ જાય છે – તેમનું ભયંકર શોષણ કરે છે. (આજના કહેવાતા ‘ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ'ના, એટલે કે નઘરોળ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy