SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ વિદ્યામંદિરના નિયામક સ્નેહી મિત્ર શ્રી જિતેન્દ્ર શાહ સાથે વાતવાતમાં જ “સંગોષ્ઠી'ના વાર્તાલાપ માટેના નિમંત્રણ અન્વયે વિષય તરીકે મેં ‘અર્થશાસ્ત્ર' પર જ પસંદગી ઉતારી. ત્યાં બે દિવસ બાદ, બહુ જ અનુરૂપ રીતે, એમણે આ વિષય માટે વધુ સમયવિસ્તાર ફાળવવાનું ઉપકારક ગણી વિદ્યામંદિરની શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈ સ્મૃતિ વ્યાખ્યાનમાળા'નાં ત્રણ વ્યાખ્યાન રૂપે આ વિષય નિરૂપવા સૂચવ્યું; મને તરત જ વાત યોગ્ય પણ લાગી, અને એ વિષય માટેનો મારો ભક્તિપૂર્ણ ઉત્સાહ પણ મદદે આવ્યો. તેથી, કેવળ લોકાભિમુખ મૃદુ હૃદયથી કર્તવ્ય રૂપે જ એ વાત સ્વીકારી. વચ્ચેનો સમય તો ટૂંકો હતો, છતાં આ ઇષ્ટ વિષયને સર્વહૃદયગ્રાહી સ્વરૂપે નિરૂપવા માટેનો વિશિષ્ટ આકાર પણ તરત જ સૂઝયો અને વ્યાખ્યાનમાળાની ઉચ્ચતા જળવાય એવો દેઢ આત્મવિશ્વાસ પણ, ઊલટભર્યા અધ્યાપનયત્નની સુદઢ ભૂમિકાએ જન્માવ્યો. છતાં વચ્ચેનો દોઢ-બે માસનો સમય ગ્રંથના ઉચિત આવર્તનમાં તો વિતાવ્યો જ. વ્યાખ્યાનમાળાના ત્રણ દિવસો દરમિયાન પણ પુસ્તક ઉથલાવતાં, અમે અભ્યાસક્રમમાંથી બાકાત કરાવેલા કેટલાય અડાબીડ ગ્રંથાંશો પણ જોવાનું થયું, અને હું ચોંક્યો ! કૌટિલ્યનું ગૌરવગાન કરવાના ઉત્સાહ પર આઘાત થાય એવી કુટિલ રાજનૈતિક યુક્તિ-પ્રયુક્તિઓ અને કપટ-રીતિઓ શીખવતા અનેક અંશો પર અલપ-ઝલપ નજર પડી. ઘડીક મૂંઝાયો પણ ખરો – “પ્રામાણિકતાનું શું ?' પણ તરત એનાં સમાધાન પણ સમજણમાં ડોકાયાં. પરંતુ, વ્યાખ્યાનો બાદ અગાઉ ટાળેલા મોટા ભાગના એ અંશો બરોબર જોઈ જવાનો અને પૂરી સજ્જતા સાથે જ વ્યાખ્યાનોને વધુ સર્વગ્રાહી પરિષ્કૃત રૂપે લખવાનો નિશ્ચય ત્યારે જ બંધાયો. બીજા વ્યાખ્યાન વખતે તે નિશ્ચય જાહેર પણ કર્યો. એ મુજબ મૂળના શેષ ભાગોના વાચનની અને સમાંતરે થોડા-થોડા લેખનની ગાડીઓ, કસરોથી ભરેલા શરીરની અનુકૂળતા મુજબ, ઠચૂક-ઠચૂક ચાલુ રાખી. ચિંતન અને મૂલ્યાંકનમાં બને એટલી સમગ્રતા અને સચ્ચાઈ આવે તે માટે હું બને એટલો જાગૃત રહ્યો. તો યે કબૂલવું જોઈએ કે વેરવિખેર રીતે અને કોઈ પણ સૈદ્ધાંતિક ચર્ચા વગર રજૂ થયેલી અનેક યુક્તિ-પ્રયુક્તિઓને સમજવાની કે મૂલવવાની સજ્જતા મારા ઘડતરમાં ન સધાઈ હોવાનું અનુભવ્યું. પણ એવી ઘણી સામગ્રી તો ‘અર્થશાસ્ત્રના કસાયેલા વિદ્ધાનું અનુવાદક અધ્યા કંગલજીને પણ કાઠી પડતી જોઈ મન મનાવ્યું! ઘણાં પ્રકરણો તો વારંવાર વાંચ્યાં હોવા છતાં એની સામગ્રી યાદદાસ્ત કે સમજણમાંથી છૂટી જતી પણ જોઈ; છૂટવા દીધી – કારણ કે વચ્ચે વચ્ચે ચોટદાર સત્સિદ્ધાંતોરૂપ વાક્યરત્નોની પાકી અને વછૂટે નહિ એવી કમાણી પણ થતી રહી ! સંસ્કૃત ભાષાનું જ્ઞાન પણ વધુ કસાયું ને ઊંડું બન્યું. “નબળો-નબળો તો યે તારા ચરણનો ઉપાસક વિદ્યાર્થી તો છું જ” એમ ગ્રંથદેવતા સમક્ષ પેટછૂટું નિવેદન કરતો ! હવે વધારે લોભ અત્યાર પૂરતો છોડીને શ્રોતા સમક્ષ લેખક તરીકે ઉપસ્થિત થાઉં છું. આ લખાણમાં વ્યાખ્યાનનું મૂળ માળખું અને એકંદર કથન તો જળવાય જ છે, પણ વધુ વિગતો કે કેટલાક નવા મુદ્દાની ખિલવટ ઉમેરાય છે. આ વ્યાખ્યાનમાળા સાવ સામાન્ય માણસ માટે હોવાનો દાવો તો ન જ કરી શકાય; એવું અપેક્ષિત પણ નથી. પણ રસથી શિક્ષણ મેળવનાર અથવા તો ધોરણસરનું માનવજીવન જીવવા માટે ઉત્સુક હોય એવા સમજદાર, વિચારનિષ્ઠ સામાન્ય મનુષ્યને હૈયે ધરીને, એની ચેતનાની વિશેષ સમૃદ્ધિ અર્થે આ વ્યાખ્યાનો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy