SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ८५२ पन्नतावधारितोच्छ्वासनिःश्वासादिजीवलिङ्गसद्भावासद्भावाभ्यां जीवसाक्षात्कारिप्रत्यक्षक्षूणेऽपि जीवन्मृतप्रतीतिदर्शनात्, अन्यथा लोकव्यवहाराभावप्रसङ्गात् । ४१. क्वचित्प्रत्यक्षगृहीतसंबन्धबलात्परोक्षं प्रवर्तत इति प्रत्यक्षस्य ज्येष्ठत्वकल्पने पश्य मृगो धावतीत्यादिशब्दबलात्कृकाटिकामोटनद्वारेण मृगविषयं, “तथा स्मरणात्संकेतग्रहणाद्वा अपूर्वापूर्वार्थदर्शनकुतूहलादिना वनदेवकुलादिगोचरं परोक्षपूर्वं प्रत्यक्षं दृष्टमिति परोक्षस्य ज्येष्ठतासज्येत । न्यायावतार અન્યાયરશ્મિ ૦ ઉત્તરઃ- પરોક્ષ હંમેશા પ્રત્યક્ષપૂર્વક જ હોય, એવો એકાંત નથી, પ્રત્યક્ષ વિના પણ પરોક્ષ થઈ શકે છે. તે આ રીતે - જીવનું પ્રત્યક્ષ તો છદ્મસ્થ જીવને કદી થતું નથી. છતાં, ઉચ્છ્વાસ - નિઃશ્વાસ, જીવ વિના (અન્યથા) હોઈ શકે નહીં (અનુપપન્ન છે) એટલે, તે જીવના લિંગ (અનુમિતિના હેતુ) છે. એટલે ઉચ્છ્વાસ - નિઃશ્વાસ રૂપ લિંગ હોય તો ‘આ જીવે છે’, ન હોય તો ‘આ મરેલો છે’ એવું જીવવિષયક પરોક્ષ (અનુમિતિ) જ્ઞાન થાય છે. તેવું જ્ઞાન ન માનો તો લોકવ્યવહાર જ થઈ ન શકે. એટલે, પ્રત્યક્ષ વિના પણ પરોક્ષ થાય છે. (૪૧) પ્રશ્નઃ- તો પણ અમુક ઠેકાણે તો પ્રત્યક્ષની અપેક્ષા રહે જ છે, જેમ કે વહ્નિ-ધૂમના સંબંધ(અવિનાભાવ)નું પ્રત્યક્ષ થાય તો જ તેના દ્વારા અગ્નિનું અનુમાન થાય છે – આમ અમુક સ્થળે પ્રત્યક્ષ વિના, પરોક્ષ ન થતું હોવાથી પ્રત્યક્ષ જ્યેષ્ઠ મનાય છે. ઉત્તર:- અમુકસ્થળે પ્રત્યક્ષપૂર્વક પરોક્ષ થાય, એટલા માત્રથી પ્રત્યક્ષને જ્યેષ્ટ ન માની શકાય, નહીંતર પરોક્ષ પણ જ્યેષ્ઠ માનવું પડશે. કારણ કે અમુક સ્થળે તો પ્રત્યક્ષ પણ પરોક્ષપૂર્વક થતું જોવાય છે - જેમ કે (૧) ‘જુઓ હરણ ભાગે છે' એવા શબ્દો સાંભળીને કોઈ ડોક મરડીને જુએ છે ત્યારે મૃગવિષયક પ્રત્યક્ષ થાય છે, આ પ્રત્યક્ષ શબ્દરૂપ પરોક્ષપૂર્વક થયું. (૨) પૂર્વે જે જોયું હોય તેનું સ્મરણ થવાથી - ‘આ સ્થળે કંઈ નવું જોવા મળશે' એવું કુતૂહલ થાય અને ત્યાં જઈને જુએ. આમ સ્મરણ (પરોક્ષ) પૂર્વક પ્રત્યક્ષ થાય. (૩) તેમ કોઈ કહે કે ‘આવા આવા સ્થાને કંઈ નવું જોવા મળશે’ તે સંકેતને ગ્રહણ કરીને ત્યાં જઈને જુએ, તો સંકેત (પરોક્ષ) પૂર્વક પ્રત્યક્ષ થાય. આમ પરોક્ષપૂર્વક પ્રત્યક્ષ થતું હોવાથી તો, પરોક્ષ જ જ્યેષ્ઠ માનવું પડશે. માટે પ્રત્યક્ષ અને પરોક્ષ - બંને, પ્રમાણ્યને આશ્રયીને સરખા જ છે - એમ સિદ્ધ થાય છે. - अर्थसंप्रेक्षण: Jain Education International (६५) तथा स्मरणादित्यादि । अपूर्वापूर्वार्थदर्शनविषये कुतूहलेन आदिशब्दात्प्रयोजनादिना कृत्वा हेतुना वा वनविषयं देवकुलादिविषयं वा परोक्षपूर्वमध्यक्षमीक्षितम्, कुतूहलाद्यपि कुत इत्याह-स्मरणात्, अनुभूतमर्थं हि स्मृत्वोत्पन्नकुतूहलः पुमान् प्रवर्तते इति । तथा संकेतग्रहणात्, गृहीतसंकेतो हि संकेतिते स्थाने जातदिदृक्षो द्रष्टुं प्रवर्तते ।। For Personal & Private Use Only - www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy