SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ न्यायावतार 10 १२. संस्तां वा, तथापि विकल्पतः पर्यनुयोज्यो भवान् । किमेते ग्रहणकारणं 'पार्थक्येन उत 'सामस्त्येन । तद् 'यद्याद्यः पक्षः, कपालक्षणो घटान्त्यक्षणस्य ग्राहकः प्राप्नोति तज्जन्यत्वात्, १७जलचन्द्रो वा नभश्चन्द्रस्य ग्राहकः स्यात् तदाकारत्वात् । अथ द्वितीयः, तथा सति घटोत्तरक्षणः पूर्वक्षणस्य ग्राहकः प्रसजति, तदुत्पत्तेस्तदाकारत्वाच्च । १३. जडत्वादर्थस्य न ग्राहकत्वमपि तु ज्ञानस्य तदुत्पत्तितदाकारतयोः सत्योरिति चेत्, –૦ન્યાયરશ્મિ - ૦ ગ્રાહ્ય-ગ્રાહકભાવના કારણરૂપે તદુત્પત્તિ તદાકારતા માનતાં થતી દોષપરંપરા ૦ (૧૨) ‘તુળતુ દુર્બન ' એ ન્યાયે તદુત્પત્તિ-તદાકારતાને ગ્રાહ્ય - ગ્રાહકભાવના કારણ રૂપે માની પણ લઈએ, તો પણ એટલા દોષો આવે છે કે જેનાથી છુટકારો થઈ શકશે જ નહીં. તે આ રીતે - ગ્રાહ્ય-ગ્રાહકભાવના કારણ તરીકે તદુત્પત્તિ અને તદાકારતા, બંને ભિન્ન-ભિન્ન રૂપે કારણ બને છે, કે બંને મળીને કારણ બને છે ? (૧) જો તદુત્પત્તિ અને તદાકારતા બંને ભિન્ન-ભિન્ન રૂપે કારણ માનવામાં આવે, તો તદુત્પત્તિ કપાલની પ્રથમ ક્ષણમાં પણ છે, અર્થાત્ ઘડો ફૂટ્યા બાદ જે તેના ઠીકરા બને તે કપાલ કહેવાય છે, આમ ઘટના અંત્યક્ષણથી કપાલના પ્રથમક્ષણની ઉત્પત્તિ થતી હોવાથી, તદુત્પત્તિ તો અહીં પણ છે જ, માટે કપાલની પ્રથમક્ષણ ઘટની અંત્યક્ષણની ગ્રાહક બનશે, પણ એવું તો જોવાતું નથી. તેથી એકલી તદુત્પત્તિ વસ્તુના ગ્રહણમાં કારણ બની શકે નહીં. એકલી તદાકારતા પણ ગ્રાહ્ય-ગ્રાહકભાવમાં કારણ નથી, કારણ કે આવી તદાકારતા તો જલગત ચંદ્રમાં પણ છે (ચંદ્રનું જળમાં જે પ્રતિબિંબ પડે, એને જલચંદ્ર કહેવાય છે) જો તદાકારતા માત્રથી ગ્રાહકત્વ આવી શકતું હોય, તો જલચંદ્ર પણ નભોગત ચંદ્રનો ગ્રાહક બનવો જોઈએ, પણ તેવું થતું નથી. તેથી તદુત્પત્તિ કે તદાકારતા ભિન્ન-ભિન્ન રૂપે ગ્રાહ્ય-ગ્રાહકભાવમાં કારણ બની શકે નહીં, માટે પ્રથમ વિકલ્પ તો અયુક્ત છે. (૨) તદુત્પત્તિ અને તદાકારતા બંને મળીને ગ્રાહ્ય-ગ્રાહકભાવનું કારણ બને, એ વિકલ્પ પણ અનુપાદેય છે, કારણ કે એમ માનવાથી ઘટની ઉત્તરાણ પણ ઘટની પૂર્વેક્ષણની ગ્રાહક બનશે, અહીં ઘટની ઉત્તરક્ષણ પૂર્વક્ષણથી ઉત્પન્ન થઈ હોવાથી, તેમાં તદુત્પત્તિ પણ છે અને પૂર્વેક્ષણસદશ જ ઉત્તરક્ષણનો આકાર હોવાથી, તેમાં તદાકારતા પણ છે. આમ સામગ્રી હોવા છતાં ઉત્તરક્ષણ તે પૂર્વેક્ષણની ગ્રાહક હોય, એવું જોવાતું નથી. તેથી બીજો વિકલ્પ પણ અયુક્ત છે. (૧૩) બૌદ્ધઃ- અર્થ તો જડ હોવાથી, એમાં તદુત્પત્તિ-તદાકારતા હોવા છતાંય ગ્રાહકતા આવી -૦૫ર્થસંપ્રેક્ષT_ __(१७) जलचन्द्रो वेति । यद्यपि कथंचिन्नभश्चन्द्रेणाम्भश्चन्द्रस्य जन्यमानत्वात्तदुत्पत्तिरप्यत्र विद्यते, तथापि तदाकारतैव प्राधान्येन विवक्षिता । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy