SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ રૂ995) न्यायावतार - श्लो० ३१ च नोपलभ्यन्ते इति तज्जन्या इत्युच्यन्ते, स्थितिरपि विनाशकारणसंनिधानात् प्राक् तबलादेव, तथा नाशोऽपि मुद्गरादिसंनिधानासंनिधानाभ्यां सदसत्तामनुभवतस्तत्कृतः प्रतीयते, नाहेतुकः, तत्कथमेतदिति । २८२. अत्रोच्यते-न वयं सर्वथा हेतूनां व्यापार वारयामः, किं तर्हि स्वयमुत्पादव्ययस्थित्यात्मना विवर्तमानस्य द्रव्यस्य हेतवस्तद्विशेषकरणे व्यापारमनुभवन्ति, तेनैव सार्धं तेषामन्वयव्यतिरेकानुकरणदर्शनात्, दृष्टस्य चापह्नवेऽस्माकमप्रवृत्तत्वात्, प्रतीतियुक्तिलक्षणद्वयपक्षपातित्वात्, केवलं प्रतीतिविकलां युक्तिं युक्तिविनाकृतां वा प्रतीतिं नाङ्गीकुर्महे, असंभवदर्थगोचरतया निरालम्बनत्वात्तस्या इत्यास्तां तावत् । २८३. 'स्वान्यनिसि' इत्यनेन प्रागुक्तस्वपराभासि प्रमाणविशेषणवन्मीमांसकान् –૦ન્યાયરશ્મિ - ઉપલબ્ધિ થતી નથી એમ વ્યતિરેક મળે છે. તેથી અન્વય-વ્યતિરેકના બળથી ઘટાદિ પદાર્થો કુંભાર વગેરેથી જન્ય છે. એમ નિશ્ચિત થાય છે, એમ સ્થિતિ પણ વિનાશ કારણના સંનિધાન પહેલા જ પોતાના કારણોથી હોય છે, નાશ પણ મુગરાદિ સામગ્રીના સંનિધાન અને અસંનિધાનના કારણે સત્ અને અસત્પણાને અનુભવતા પ્રતીત થાય છે, તેથી અન્વય-વ્યતિરેકના બળથી ઉત્પાદ, નાશ અને સ્થિતિ સહેતુક રૂપે જ પ્રતીત થાય છે, તો પછી તેને નિહેતુક કેવી રીતે કહી શકાય ? (૨૮૨) સમાધાન - આ શંકાનો જવાબ આપતા ટીકાકાર મહર્ષિ જણાવે છે કે, અમે જૈનો કાંઈ હેતુનો વ્યાપાર સંપૂર્ણપણે હોતો નથી એમ કહેતા નથી, પરંતુ અમે એટલું જ કહીએ છીએ, કે દ્રવ્ય પોતે ઉત્પાદ, વ્યય અને સ્થિતિ સ્વરૂપે રહેનાર છે અને એમાં કંઈક અંશે વિશેષતાને ઉત્પન્ન કરવા માટે જ આ હેતુઓ વ્યાપાર કરે છે, કારણ કે દ્રવ્યમાં ઉત્પન્ન થયેલી વિશેષતાની સાથે ઉત્પાદક વગેરે હેતુઓના અન્વય-વ્યતિરેકનું અનુસરણ દેખાયેલું છે. જે વસ્તુ સંસારમાં પ્રસિદ્ધ હોય એ પદાર્થોને લોપ કરવામાં અમારી પ્રવૃત્તિ નથી, કારણ કે અમે પ્રતીતિ અને યુક્તિ આ બન્ને પક્ષોને સ્વીકારનારા છીએ. જે પદાર્થમાં યુક્તિ નથી પરંતુ માત્ર પ્રતીતિ છે, તે પદાર્થનો વિષય અસંભવિત હોવાથી તથા જેમાં યુક્તિ છે પરંતુ પ્રતીતિ નથી તે પદાર્થનો કોઈ આલંબન ન હોવાથી, તે સ્વીકાર કરવા યોગ્ય નથી. તેથી પ્રતીતિ અને યુક્તિથી યુક્ત એવા પદાર્થને જ સ્વીકારવો જોઈએ. તેથી આત્મા, જીવ તે ક્ષણની પરંપરા સ્વરૂપ એકાન્ત અનિત્ય સિદ્ધ થતો નથી પરંતુ કથંચિત્ નિત્ય એવો જીવ સિદ્ધ થાય છે. જે પદાર્થોનું જ્ઞાન કરનાર પ્રમાતા છે. इति प्रमाता पद व्याख्यानं ૦ “સ્વા નિર્માસિ' પદની સાર્થકતા ૦ (૨૮૩) જીવનું બીજું વિશેષણ "સ્વા નિર્માસિ" એટલે કે પોતાને અને પોતાનાથી ભિન્ન એવા પદાર્થને જણાવનાર છે. તેના દ્વારા "સ્વપરીવમાસી જ્ઞાનું પ્રમા" આ પ્રમાણના વિશેષણની જેમ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy