SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ ) o न्यायावतार - श्लो० ३१ स्वयं स्थिरस्वभावानां किं स्थितिहेतुना ? परः स्थितिर्नेष्यते एव, तेनानभ्युपगतोपालम्भ एवायमिति चेत्, हन्त हतोऽसि, एवं हि भावाः क्षणमात्रमपि न तिष्ठेयुः । क्षणभाविनीष्यते एवेति चेत्, सा तर्हि अस्थितिस्वभावानां हेतुशतैरपि कर्तुं न पार्यते इति ब्रूमः | तत्स्वभावत्वे पुनर्हेतुव्यापारनैरर्थक्यात् । अहेतुका सती सकलकालं भवतीति दत्तो जलाञ्जलिः प्रतिक्षणविलयस्य, २८०. तथोत्पादहेतुरपि 'तत्स्वभावस्योत्पत्तिं विदध्यात् अतत्स्वभावस्य वा । 'न तावदाद्यः पक्षः कक्षीकर्तुं युक्तः, स्वयमुत्पादकस्योत्पादने व्याप्रियमाणो हि हेतुः पिष्टं पिनष्टि, शङ्ख –૦નાયરશ્મિ – તેમાં કાંઈ ફેરફાર થતો હોય, તો પછી તે સ્વભાવ તરીકે જ કહી ન શકાય. જો બીજો પક્ષ સ્વીકારી કરવામાં આવે તો તે યોગ્ય નથી, પદાર્થ પોતે રહેવાના સ્વભાવવાળો છે, તો પછી તેને રાખવા માટે અન્ય કારણોની અપેક્ષા શું કરવા રાખવાની, તે સર્વકારણો વ્યર્થ જ છે. શંકા - અમે સ્થિતિને સ્વીકાર કરતાં જ નથી, તો પછી જે વસ્તુ માની જ ન હોય, તે વસ્તુનો ઠપકો અમને શા માટે આપો છો ? સમાધાનઃ- આ તો અત્યંત ખેદની વાત છે, આ પ્રમાણે સ્વીકારતા તમને માન્ય પણ વસ્તુની સિદ્ધિ થઈ શકતી નથી. સ્થિતિ જો સ્વીકારશો નહીં તો પદાર્થ ક્ષણમાત્ર પણ રહી શકશે નહીં અને જો એમ કહો કે અમે એક ક્ષણની સ્થિતિનો સ્વીકાર કરીએ છે, તો પછી તે અસ્થિર સ્વભાવવાળો એવો પદાર્થ હોય, તો એક સમય પણ પદાર્થોની સ્થિતિ, હજારો હેતુઓ આવી જાય તો પણ થાય નહીં અને જો પદાર્થ પોતે એક ક્ષણ રહેવાના સ્વભાવવાળો છે, તો પછી ત્યાં સ્થિતિને કરાવનાર એવા હેતુઓનો વ્યાપાર નિરર્થક થઈ જશે અને જો આ ક્ષણસ્થિતિને નિહેતુક સ્વીકાર કરશો તો પછી સ્થિતિ હંમેશા થવાની આપત્તિ આવશે. સ્થિતિ હંમેશા થતી હોવાના કારણે તમારા ક્ષણિક સિદ્ધાન્તને ગંગાજલ સમર્પણ કરી દેવો પડશે અર્થાત્ તમારો સિદ્ધાન્ત નષ્ટ થઈ જશે. ૦ ઉત્પાદ હેતુઓમાં વિકલ્પ ૦ (૨૮૦) આ જ પ્રમાણે ઉત્પાદના હેતુઓ તે (૧) ઉત્પત્તિ થવાના સ્વભાવવાળા પદાર્થોની ઉત્પત્તિ કરે છે કે (૨) ઉત્પન્ન ન થવાના સ્વભાવવાળા પદાર્થની ઉત્પત્તિ કરે છે ? જો ઉત્પન્ન થવાના સ્વભાવવાળા પદાર્થોને ઉત્પાદક હેતુઓ ઉત્પન્ન કરે છે એમ પ્રથમ પક્ષ સ્વીકાર કરવામાં આવે તો તે યોગ્ય નથી, કારણ કે પોતે ઉત્પન્ન થવાના સ્વભાવવાળો છે, તેથી તેની ઉત્પત્તિ માટે વ્યાપાર કરતા હેતુઓ ધોળા એવા શંખને ધોળો કરવાની ચેષ્ટા કરે છે, પીસાયેલાને ફરીથી પીસે છે. તે કારણ સામગ્રીનો અભાવ હોય, તો પણ તે પદાર્થ પોતાના સ્વભાવથી ઉત્પન્ન થઈ જ જવાનો છે. તેથી પ્રથમ પક્ષ સ્વીકાર કરવો યોગ્ય નથી, જો બીજો પક્ષ સ્વીકાર કરાય છે, અનુત્પત્તિ સ્વભાવવાળા એવા પદાર્થને કારણો ઉત્પન્ન કરે છે તે પણ યોગ્ય નથી, જે પોતે અનુત્પત્તિ સ્વભાવવાળો હોય તેને કોઈપણ ઉત્પન્ન કરી શકતો નથી. પોતે ઉત્પન્ન થવાના સ્વભાવવાળો ન હોવા છતાં પણ ઉત્પત્તિ થતી હોય, તો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy