SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ न्यायावतार 10 भोक्ता । विवर्तनमपरापरपर्यायेषु गमनं विवृत्तिः परिणामः, सा विद्यते यस्येति विवृत्तिमान्। स्व आत्मा संवेद्यतेऽनेनेति स्वसंवेदनं तेन सम्यक सिद्धः प्रतिष्ठितः प्रतीतो वा स्वसंवेदनसंसिद्धः। क्षितिः पृथिव्यादिर्येषां तानि क्षित्यादीनि, आदिशब्दादम्बुतेजोवाय्वाकाशानि गृह्यन्ते । न विद्यते आत्मा स्वरूपमस्येत्यनात्मकः, किं स्वस्वरूपापेक्षया ? न, क्षित्यादीनामनात्मकः क्षित्याद्यनात्मकः क्षित्यादिस्वरूपो न भवतीत्यर्थः । तत्र 'जीवः प्रमाता' इत्यनेन ये पारमार्थिकं प्रमातारं नाभ्युपगच्छन्ति अपितु विज्ञानक्षणपरंपरानुभवबलप्रबोधितानादिप्ररूढवासनासंपादितसत्ताकं मिथ्याविकल्पपरिकल्पितमपारमार्थिकं तं मन्यन्ते प्रतिक्षणविलयवादिनः तान्निराचष्टे, क्षणविलयस्य प्रागेव प्रतिषिद्धत्वात्, बहिरन्तश्च परिणामिवस्तुनः प्रसाधनात्। २७६. ननु च घटादयस्तावद्विनाशमाविशन्तो दृश्यन्ते, तेषां च विनाशो लकुटादिकारणकलापेन अविनश्वरस्वभावानां वा क्रियेत विनश्वरस्वभावानां वा । 'यद्याद्यः कल्पः, तदयुक्तम्, –૦નાયરશ્મિ – આ વ્યુત્પત્તિની અપેક્ષાએ નિરૂપચરિત રીતે મુક્તાત્માઓમાં જીવ પદનો વ્યપદેશ થઈ શકે છે. આ જીવ (૧) પ્રત્યક્ષાદિ પ્રમાણો વડે વસ્તુને વિશેષ પ્રકારે જાણતો હોવાથી પ્રમાતા કહેવાય છે (૨) પોતાના સ્વરૂપ અને પદાર્થનો અવભાસક હોવાથી સ્વાનિર્ભસી. (૩) પોતાના કર્મો વગેરેનો કરનાર હોવાથી કર્તા (૪) કરેલા કર્મોને સાક્ષાત્ રીતે ભોગવતો હોવાથી ભોક્તા (૫) અલગ-અલગ પર્યાયોને પ્રાપ્ત કરવા તેને નિવૃત્તિ = પરિણામ કહેવાય છે અને તે પરિણામ જેમને વિદ્યમાન છે તે વિવૃત્તિમાન (૬) સ્વસંવેદનસિદ્ધ છે એટલે જે પોતાનું સંવેદન કરાવે, તે સ્વસંવેદન, તેનાથી પ્રતીત છે (૭) પૃથ્વી, અપૂ, તેજ, વાયુ અને આકાશ આ પાંચ ભૂતોનું સ્વરૂપ જેને વિદ્યમાન નથી તેને પંચભૂતાનાત્મક (પોતાના સ્વરૂપની અપેક્ષાએ તો વિદ્યમાન જ છે.) આ સર્વ વિશેષણો આત્માના ભિન્ન-ભિન્ન સ્વરૂપને સ્વીકાર કરવાવાળા દર્શનોને ખંડન કરવાના અભિપ્રાયથી પ્રવૃત્ત થયેલ છે. ૦ (૨૭૬) બૌદ્ધમતથી ક્ષણિક પ્રમાતાની આશંકા અને ખંડન ૦ અહીં જીવ, પ્રમેયનો પરિચ્છેદક એવા પ્રમાતા છે, આ કહેવા દ્વારા જે બૌદ્ધ દર્શનકારો (ક્ષણિકવાદી) પારમાર્થિક પ્રમાતાને સ્વીકારતા નથી, પરંતુ વિજ્ઞાનક્ષણની પરંપરાના અનુભવના બળથી પ્રબોધિત થયેલ, અનાદિકાલીન વાસનાના કારણે ઉત્પન્ન થયેલ, મિથ્યા વિકલ્પથી જ તેની કલ્પના થતી હોવાથી તે અપારમાર્થિક છે, એમ સ્વીકાર કરે છે, તેમનું ખંડન થાય છે. પદાર્થનો ક્ષણમાં નાશ થાય, એ વાતનું ખંડન તો પૂર્વે કરેલ છે અને સાથે-સાથે બાહ્ય કે આત્યંતર વસ્તુઓ પરિણામી છે, તે પહેલા સિદ્ધ કરેલ છે. ૦ બૌદ્ધ દ્વારા ક્ષણિકતાની સિદ્ધિ માટે પૂર્વપક્ષ ૦ બૌદ્ધ પોતાના પૂર્વપક્ષને જણાવતા કહે છે કે, ઘટ વગેરે પદાર્થો નાશ થતા દેખાય છે. જે ઘટાદિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy