SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ ) न्यायावतार - श्लो० २२ १६८. सांप्रतं हेतुलक्षणं स्मारयन् तदपास्तान् हेत्वाभासानाह _138अन्यथानुपपन्नत्वं हेतोर्लक्षणमीरितम् તપ્રતીતિવિપર્યસ્તતામતા | ૨૨ || –૦ન્યાયરશ્મિ - (५) ज्ञानं क्वचिदात्मनि प्रकर्षवत् स्वावरणहान्युत्कर्षे सति प्रकाशात्मकत्वात् चक्षुर्दीपादिवत् । જ્ઞાન કોઈક આત્મામાં પ્રકર્ષપણાને પ્રાપ્ત કરે છે, કારણ કે પોતાના આવારક કર્મોની હાનિનો ઉત્કર્ષ થયે છતે, પોતે પ્રકાશાત્મક છે. જેમ ચક્ષુ, દીપક વગેરે પ્રકાશાત્મક છે, તો પોતાના આવરણની હાનિ થયે છતે, પ્રકર્ષપણાને પ્રાપ્ત કરે, તેમ દોષરૂપ જ્ઞાનાવરણ કર્મનો સંપૂર્ણપણે ક્ષય થયે છતે, પોતાના સ્વાભાવિક એવા જ્ઞાનગુણનો પૂર્ણ પ્રકાશ થાય જ. તેથી ‘સર્વજ્ઞ છે જ. આ રીતે અનેક અનુમાનો વડે, સર્વજ્ઞની સિદ્ધિ થતી હોવાના કારણે, “સર્વજ્ઞનો અભાવ છે' એ પક્ષ અનુમાનથી બાધિત થઈ જાય છે. આમ અનુમાનબાધિત પક્ષાભાસનું નિર્વચન થયું. (D) લોકબાધિત પક્ષાભાસ- જે અનુમાનમાં પક્ષ, વ્યવહાર્ય એવા વ્યક્તિ વડે બાધિત હોય, તે પક્ષ લોકબાધિત પક્ષાભાસ કહેવાય છે. જેમકે કોઈ કહે કે, “માતા ભોગવવાનો યોગ્ય છે', આ વસ્તુ શિષ્ટ પુરૂષો વડે બાધિત થઈ જાય છે, કારણ કે માતા તો પૂજા, સત્કાર અને સન્માન કરવા યોગ્ય છે અને તેને ભોગવવાનું કહેવું, તે તો સામાન્ય માણસો વડે પણ નિંદિત છે. | (E) સ્વવચનબાધિત પક્ષાભાસ- જે અનુમાનમાં વાદીના ઉચ્ચારણ કરાયેલા વચનોમાં જ, પરસ્પર વિરોધ આવતો હોય, તેને સ્વવચનબાધિત પક્ષાભાસ કહેવાય છે. જેમ કે “સર્વે ભાવી ન સન્તિ' પહેલા કહે કે સર્વે ભાવ છે (અર્થાત્ વિદ્યમાન છે) અને પછી કહે કે તે નથી. તે જ પ્રમાણે “માતા મે વધ્યા’ માતા હોય તો વાંઝણી ક્યાંથી, અને વાંઝણી હોય તો માતા ક્યાંથી ? આ પરસ્પર વિરોધી વચનો જ્યાં હોય, તે સ્વવચનબાધિત પક્ષાભાસ જાણવો. આમ અનેક પ્રકારે પક્ષાભાસો હોઈ શકે. આનો બોધ થાય તો જ પક્ષનો યથાવસ્થિતરૂપે બોધ થાય છે. એટલે જ અહીં તેનો ઉલ્લેખ કર્યો છે. (૨૧) ૦ હેત્વાભાસનું લક્ષણ ૦ ' (૧૯૮) પક્ષાભાસનું લક્ષણ જણાવ્યા બાદ, હવે હેતુના લક્ષણને સ્મરણ કરાવવા પૂર્વક, હત્વાભાસનું લક્ષણ ગ્રંથકારશ્રી જણાવે છે. શ્લોકાર્થ- અન્યથા અનુપપન્નપણે એ હેતુનું લક્ષણ કહેવામાં આવ્યું. તે લક્ષણની અપ્રતીતિ, સંદેહ અને વિપર્યાસને લીધે હેત્વાભાસપણું કહેવાયેલું છે. (૨૨) –શાસ્ત્રસંતો – (138) "ચૂથનુપપન્નવરહિત રે વિસ્વિતા / હેતુત્વેન પરસ્તેષાં દેવામારૂત્વમીશ્યતે” - ચાય. ૧૭૪7 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy