________________
૩૧
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવનઢાળ-૧૦ ગાથા-૪-૫ ભાવાર્થ :
જેઓ ગાડરિયા પ્રવાહની જેમ લોકો કરતા હોય તેમ ક્રિયાઓ કરે છે તેઓને ધર્મનું મહત્ત્વ સમજાયું નથી. વસ્તુતઃ જેમ કામકુંભ દેવાધિષ્ઠિત કુંભ છે અને જેને તે કુંભ પ્રાપ્ત થાય તે પુરુષ તે કુંભ પાસે યાચના કરીને સર્વ ભોગ સામગ્રી મેળવે છે તેમ કામકુંભ જેવો ધર્મ છે, કેમ કે ધર્મના સેવનથી જીવની સર્વ કામનાઓ પૂર્ણ થાય છે અને અંતે જીવ પૂર્ણ સુખમય મોક્ષને પ્રાપ્ત કરે છે. વળી, તે ધર્મ જીવના અંતરંગ પરિણામરૂપ છે અને તેનું મૂળ સર્વજ્ઞએ બતાવેલી આ ઉત્તમ ક્રિયાઓ છે અને સર્વજ્ઞના વચનથી નિરપેક્ષ રીતે ક્રિયાઓ કરનારા તે ક્રિયાઓને તુચ્છ બનાવે છે અર્થાત્ ધર્મની નિષ્પત્તિનું કારણ ન બને તેવી અસાર બનાવે છે; કેમ કે સર્વજ્ઞના વચનના નિયંત્રણ અનુસાર તે ક્રિયાઓ કરવાથી ધર્મની નિષ્પત્તિ થાય છે.
વસ્તુતઃ લોકપંક્તિથી ક્રિયા કરનારાઓને સર્વજ્ઞના વચનાનુસાર ક્રિયા કરવાનો અભિમુખ ભાવ માત્ર પણ નથી તેથી તે ક્રિયાઓથી અંતરંગ કોઈ ગુણની પ્રાપ્તિરૂપ ધર્મ નિષ્પન્ન થતો નથી. ફક્ત તે ક્રિયાઓ કરીને જનરંજન પ્રાપ્ત કરે છે અર્થાત્ લોકમાં આ ધર્મ કરનાર છે એવી ખ્યાતિને પ્રાપ્ત કરે છે પરંતુ તે ક્રિયાથી મોક્ષરૂપી વૃક્ષના ગુચ્છા જેવા શમસુખને લેશ પણ પ્રાપ્ત કરતા નથી. II૪ll અવતરણિકા :
વળી, અન્ય પ્રકારના જીવો પણ પ્રણિધાન આશય વગર ધર્મ ક્રિયા કરીને કર્મબંધ કરે છે તે બતાવવા અર્થે કહે છે –
ગાથા :
કરુણા ન કરે હીનની રે, વિણ પણિહાણ સનેહ રે;
દ્વેષ ધરત્તા તેહશું રે, હેઠા આવે તેહ રે. પ્રભુ ! પ ગાથાર્થ –
વિણ પણિહાણ સનેહ રે ક્રિયામાં પ્રણિધાન આશયનો જેમને સ્નેહ નથી તેવા જીવો કરુણા ન કરે હીનની રે-પોતે જે ધર્મ ક્રિયા કરતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org