SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-તગાથા-૧૮-૧૯ અવતરણિકા: વળી, સુવિહિત પુરુષોએ કરેલી આગમ ઉપરની તૃત્યાદિને સ્વીકારવામાં ન આવે તો શું દોષ પ્રાપ્ત થાય ? તે બતાવે છે – જિળ ગાથા : પુસ્તક અર્થ પરમ્પરા, સઘલી જેહને હાથ; જિનજી ! તે સુવિહિત અણમાનતાં, કિમ રહસે નિજ આથ ? જિનાજી ! ૧૮ ગાથાર્થ - પુસ્તક આગમના મૂળ સૂત્ર, અર્થ સૂત્રથી વાચ્ય વિશિષ્ટ અર્થ, પરંપરાગુરુની પરંપરા, સઘળી જેમના હાથમાં છે જેમને પ્રાપ્ત થયેલી છે, તે સુનિહિતોને અણમાનતા=અપ્રમાણ કહેતા, નિજ આથ કિમ રહસે પોતાની સમ્યક્તરૂપ લક્ષ્મી કેમ રહેશે ? અર્થાત્ સમ્યક્ત નાશ પામશે. II૧૮ll ભાવાર્થ - જે પૂર્વોના પુરુષોએ આગમ ઉપર નૃત્યાદિ રચી છે તેઓને આગમના સૂત્ર, આગમસૂત્રનાં વિશિષ્ટ અર્થો અને ગુરુ પરંપરાથી પણ કેટલાક પદાર્થો પ્રાપ્ત હતા. જેઓના હાથમાં આ ત્રણે વસ્તુ હતી તે સુવિહિતોએ આગમના અર્થોનો બોધ કરાવવા માટે વૃત્યાદિ રચેલ છે અને તેને પ્રમાણ માનવામાં ન આવે તો પ્રમાણભૂત એવા સુવિહિત મહાપુરુષોના વચનને અપ્રમાણ કહેવાથી પોતાનું સમ્યક્ત કેમ રહી શકે ? અર્થાત્ રહી શકે નહિ. l/૧૮ અવતરણિકા : પૂર્વપક્ષી કહે છે કે આગમ ઉપર રચાયેલ નિર્યુક્તિ આદિમાં પરસ્પર વિરોધ પ્રાપ્ત થાય છે માટે અમે તેને પ્રમાણ માનતા નથી, તેને ગ્રંથકારશ્રી કહે છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005546
Book TitleSimandhar Swami 350 Gathanu Stavan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy