________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૭/ગાથા-૪-૫
૧૭૫
કરુણા રસથી સિંચન કરાયેલી શુભમતિરૂપ કલ્પવેલી, એકલી જ્ઞાન દર્શનરૂપ પુષ્પ અને શ્રેષ્ઠ ચારિત્રરૂપ મંજરી અને અંતે મુક્તિરૂપ ફળને આપશે. IIઠા
ભાવાર્થ :
ગ્રંથકારશ્રી ભગવાનને વિનંતી કરતાં કહે છે કે સંસારનું અને સંસારથી ૫૨ એવી મુક્ત અવસ્થાનું વાસ્તવિક સ્વરૂપ જાણીને મારા મનમાં શુભમતિરૂપ કલ્પવેલી ઊગેલી છે. તેનું વિપુલ કરુણારસથી આપ સિંચન કરો તો તે કલ્પવેલી સારી ખીલે અને તે કલ્પવેલી ઉપર સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શનરૂપ પુષ્પો અને ત્યારપછી ચારિત્રના પરિણામરૂપ મંજરી આવે તો તે ઇષ્ટ એવા મુક્તિરૂપ ફળને આપશે. પોતાનામાં પ્રગટ થયેલી શુભમતિ ભગવાનના ઉપદેશરૂપ કરુણા૨સથી સદા સિંચન પામે તે પ્રકારના પોતાના સત્વના પ્રકર્ષ અર્થે ગ્રંથકારશ્રી ભગવાનને વિનંતીરૂપે કહે છે કે આપ મારી શુભમતિરૂપ કલ્પવેલીનું સદા સિંચન કરજો. જેથી મારામાં સભ્યશ્રુતજ્ઞાન પ્રકર્ષવાળું થાય, ભગવાનના વચનની શ્રદ્ધા દૃઢ દેતર થાય જે શુભમતિરૂપ કલ્પવેલીમાં આવેલ પુષ્પ જેવી સુંદર અવસ્થા છે અને તે જ્ઞાન-દર્શનનો પરિણામ સ્થિર થયા પછી ભગવાનના વચનના સ્મરણપૂર્વક વીતરાગતાને અનુકૂળ અંતરંગ વીર્યમાં દૃઢ યત્ન કરાવે તેવી ચારિત્રરૂપી મંજરી પોતાની શુભમતિરૂપ કલ્પવેલીમાં પ્રગટ થાય જેથી અત્યંત ઇષ્ટ એવી મુક્ત અવસ્થાની પ્રાપ્તિ પોતાને થાય. III
ગાથા :
લોકસન્ના થકી લોક બહુ વાઉલો, રાઉલો દાસ તે સવિ ઉવેખે;
એક તુઝ આણસું જેહ રાતા રહે,
તેહને એહ નિજ મિત્ર દેખે. આજ. ૫
ગાથાર્થ ઃ
ભગવાનને વિનંતી કરતા ગ્રંથકારશ્રી કહે છે કે લોકસંજ્ઞાથી ઘણો લોક વાઉલો છે–ઘેલો છે, અને રાઉલો એવો=ભગવાન પ્રત્યે રાગવાળો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org