SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ८४ 7 આલોયણાવિંશિકાઈ. આપેલ પ્રાયશ્ચિત્ત આદિનું સમ્યગૂ સેવન કરે, તો અવશ્ય તેનું ચારિત્ર વિશુદ્ધ બને છે. તેથી તે ચારિત્રની વિશુદ્ધિમાં મુખ્ય કારણ તે સિદ્ધકર્મા ગુરુ છે. II૧૫-9ll અવતરણિકા: ગાથા - ૬ માં કહ્યું કે જેની સમીપમાં વિધિપૂર્વક ચરણઆરોગ્ય થાય છે, તે ગુરુ સિદ્ધકર્મ છે. ત્યાં સામાન્યથી જોતાં એમ લાગે છે કે જે લોકોએ પોતાના જીવનમાં સારી રીતે ચારિત્ર પ્રાપ્ત કર્યું છે તેઓ સિદ્ધકર્મા હશે, આવા ભ્રમના નિવારણ અર્થે કહે છે - धम्मस्स पभावेणं जायइ एयारिसो न सव्वो वि । विजो व सिद्धकम्मो जइयव्वं एरिसे विहिणा ॥७॥ धर्मस्य प्रभावेण जायत एतादृशो न सर्वोऽपि । वैद्य इव सिद्धकर्मा, यतितव्यमीदृशे विधिना ॥७॥ અqયાર્થ: ભાવે ધર્મના =ચારિત્રધર્મના પ્રભાવથી સિદ્ધમાં વિજ્ઞો વ સિદ્ધકમ વૈઘની જેમ રો વિ સર્વ પણ ગુરુઓ પ્રતિસો ગાય આવા પ્રકારના સિદ્ધકર્મ થતા નથી. (આલોચના કરવા માટે) રિશે આવા પ્રકારના સિદ્ધકર્મા ગુરુમાં વિહિપ વિધિપૂર્વક વયવં યત્ન કરવો જોઇએ. ગાથાર્થઃ માત્ર ચારિત્રધર્મના સેવનના પ્રભાવથી, સિદ્ધકર્મ વૈદ્યની જેમ સર્વ પણ ગુરુઓ સિદ્ધકર્મા થતા નથી. આલોચના કરવા માટે સિદ્ધકર્મા ગુરુમાં વિધિપૂર્વકયત્ન કરવો જોઈએ. ભાવાર્થ: જેમ વૈધશાસ્ત્રના અભ્યાસથી જ કોઇક વૈદ્ય સિદ્ધકર્મા વિદ્ય બને છે, આમ છતાં, વિદ્યશાસ્ત્રના અભ્યાસથી બધા જ વૈદ્યો કંઈ સિદ્ધકર્મા વૈદ્ય બનતા નથી. મોટા ભાગના વૈદ્યો તો સામાન્ય કે મધ્યમ કક્ષાના જ વૈદ્ય બને છે. સિદ્ધકર્મા વિઘ તો કોઈક જ બને છે. તેમ સામાન્ય રીતે ચારિત્રધર્મના સેવનથી જીવ મહાત્મા બને છે અને ચારિત્રધર્મના સેવનના પ્રભાવથી જ સાધુઓ ભાવસાધુઓ બને છે, તો પણ અન્ય ભાવરોગીના રોગ મટાડી શકે એવા સિદ્ધકર્મા ગુરુ તો કોઇક જ સાધુ થાય છે. ભાવરોગની શુદ્ધિ માટે તો સામાન્ય સાધુ નહીં પણ તેવા પ્રકારના સિદ્ધકર્મા ગુરુના વિષયમાં જ આલોચના માટે વિધિપૂર્વક યત્ન કરવો જોઇએ, જેથી અવશ્ય ચારિત્રરૂપ આરોગ્યની પ્રાપ્તિ થાય. /૧૫-ળા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy