SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવેશક * * * ૨ પ્રારંભિક ભૂમિકામાં ત્યાં પ્રીતિઅનુષ્ઠાન હોય છે, ત્યાર પછી ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષામાં જ ભક્તિઅનુષ્ઠાન અને વચનઅનુષ્ઠાન અને અંતે અસંગઅનુષ્ઠાન કઇ રીતે પ્રાપ્ત થાય છે, તે યુક્તિથી બતાવેલ છે. વળી મુનિ આહાર, ઉપધિ અને વસતિમાં કઇ રીતે સંયમવાળા હોય છે કે જેથી તેમની ચારિત્રકાય નિર્મળ બને છે તે વાત યુક્તિથી બતાવેલ છે. તેરમીવિંશિકા * અગિયારમી વિંશિકામાં યતિધર્મ બતાવ્યો. યતિ થયા પછી શિક્ષા ગ્રહણ થાય છે. તેથી તેનું સ્વરૂપ બારમી વિંશિકામાં બતાવ્યું. અને તેવા યતિ કઇ રીતે ભિક્ષા ગ્રહણ કરે છે તેનું સ્વરૂપ તેરમી વિંશિકામાં બતાવે છે. સાધુને ભિક્ષાના ૪૨ દોષો, માંડલીના ૫ દોષો અને ૬ કારણથી મુનિ ભિક્ષા ગ્રહણ કરે છે તેનું સ્વરૂપ અને વસ્ત્ર, પાત્ર અને વસતિ આદિમાં પણ સાધુને કયા દોષો લાગે છે અને તે સર્વ દોષોથી રહિત ભિક્ષા, વસ્ત્ર, પાત્ર અને વસતિમાં યત્ન કરનાર મુનિ કઇ રીતે ભાવઆરોગ્ય પ્રાપ્ત કરે છે અને અંતે નિર્વાણ પામે છે તે વાત યુક્તિથી આ વિંશિકામાં બતાવેલ છે. ચૌદમીવિંશિકા ભિક્ષામાં જતા મુનિને કઇ રીતે ઉપયોગ કરવો જરૂરી છે તે બતાડવા માટે મુનિને ઉપયોગની વિશેષ ક્રિયા કરવાની આવે છે તેનું સ્વરૂપ ચૌદમી વિંશિકામાં બતાવવામાં આવેલ છે. દૈવયોગે આ વિંશિકાના ૬ શ્લોકો જ પ્રાપ્ત છે, બાકીના ઉપલબ્ધ નથી. છતાં મુનિની ઉપયોગની ક્રિયા કઇ રીતે કરવાની છે તેનો વિશદ બોધ આટલા શ્લોકોમાં પણ પૂ. હરિભદ્રસૂરિ મહરાજાએ કરાવેલ છે. પંદરમી વિંશિકા મુનિ દીક્ષા ગ્રહણ કર્યા પછી શિક્ષા ગ્રહણ કરવામાં અને નિર્દોષ આહારાદિમાં યત્ન કરે છે. આમ છતાં, ક્યારેક માયાથી વ્રતમાં સ્ખલના થાય તો તેની શુદ્ધિ માટે કઇ રીતે આલોચના કરવી તે બતાડવા માટે પંદરમી આલોચનાવિંશિકા કરેલ છે. ત્યાં ક્યારે આલોચના કરવી જોઇએ, કેવા ગુરુ પાસે આલોચના કરવી જોઇએ અને તેના માટે સિદ્ધકર્મા ગુરુ જ આવશ્યક છે, અન્ય કોઇ પાસેથી આલોચના કરવાથી હિત થતું નથી તે વાત યુક્તિથી બતાવેલ છે. અને સિદ્ધકર્મા ગુરુ પાસે પણ કેવી રીતે આલોચના કરવી જોઇએ કે જેથી પ્રમાદથી થયેલો દોષ અવશ્ય નાશ પામે, અને સશલ્ય આલોચનાથી કઇરીતે સંસારવૃદ્ધિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy