SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ 0 યતિધર્મવિંશિકાd ૨૪ ભાવોને વિશેષરૂપે જુએ છે ત્યારે તે તે ભાવો પ્રત્યે પક્ષપાતની વૃત્તિવાળો હોય છે અને તેથી તે પરસમયમાં વર્તતો હોય છે. આ રીતે સ્વસમય અને પરસમયના યોગથી સૂત્રાર્થની વિચારણા એ થાય કે, જ્યારે જીવ સ્વસમયમાં વર્તે છે ત્યારે જીવનો દશે પ્રકારનો યતિધર્મ વર્તે છે અને જ્યારે જીવ પરસમયમાં જાય છે ત્યારે દશે પ્રકારનો યતિધર્મવચિત્ આચરણારૂપે હોવા છતાં નિશ્ચયદષ્ટિથી જ્ઞાન થાય છે કે વિનાશ પામે છે. બુદ્ધિમાન પુરુષ જો મોક્ષનો કાંક્ષી હોય તો દસે પ્રકારના યતિધર્મમાં આ રીતે સૂક્ષ્મ પદાર્થને જોઇને આત્માને ભાવિત કરે, કે જેથી તે યતિધર્મો ઉપર અત્યંત પક્ષપાત થાય અને કેમ કરીને તેની નિષ્પત્તિ પ્રત્યે સુદઢ યત્ન થાય, અને જેના ફળ સ્વરૂપે અસંગ અનુઠાનની પ્રાપ્તિરૂપ મનોનિરોધની પ્રાપ્તિ થાય. II૧૧-૧૯TI. અવતરણિકા: દસ પ્રકારના યતિધર્મના વર્ણનનો ઉપસંહાર કરતાં કહે છે - संखेवेणं एसो जइधम्मो वनिओ अइमहत्थो । मंदमइबोहणट्ठा कुग्गहविरहेण समयाओ ॥२०॥ संक्षेपेणैष यतिधर्मो वर्णितोऽतिमहार्थः मन्दमतिबोधनार्थं कुग्रहविरहेण समयतः ||૨|| અqયાર્થ: વાળ કુગ્રહના વિરહ દ્વારા મંવમવો પ્રકા મંદમતિના બોધન માટે પક્ષો આ મહિલ્યો અતિ મહાન અર્થવાળો નફથમો યતિધર્મસમયામો આગમમાંથી (ગ્રહણ કરીને) સંવેમાં વન્નિો સંક્ષેપથી વર્ણન કરાયો. ગાથાર્થ: કુગ્રહના વિરહ દ્વારા મંદમતિના બોધન માટે આ અતિ મહાન અર્થવાળો યતિધર્મ આગમમાંથી ગ્રહણ કરીને સંક્ષેપથી વર્ણન કરાયો. ભાવાર્થ: દસ પ્રકારનો યતિધર્મ જૈન આગમમાં વર્ણન કરાયો છે. તે આગમમાંથી જ પોતે કહે છે, તેમ કહીને સર્વજ્ઞ ભગવંતે બતાવેલા યતિધર્મને પોતે કહે છે એ ઘોતિત થાય છે. આ દશે પ્રકારનો યતિધર્મ અતિ મહાન અર્થવાળો છે, કેમ કે પરિપૂર્ણ મોક્ષમાર્ગ આ યતિધર્મમાં વણાયેલો છે. તેથી ગંભીરતાપૂર્વક વિચારવાથી જ તેનો પરમાર્થ પ્રાપ્ત થાય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy