SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ Uસિદ્ધસુખવિંશિકા) ૨૨૪ ભાવાર્થ: સર્વ કર્મથી મુક્ત થયેલ સિદ્ધનો જીવ જ્યાંથી મુક્ત થાય છે ત્યાંથી બરાબર ઠીક તેના ઉપરમાં લોકના અંત ભાગમાં સદા માટે સ્થિર રહે છે. મોક્ષ અઢી દ્વીપમાંથી જ થાય છે. અનંત એવા ભૂતકાળમાં પણ મોક્ષમાર્ગ સદા હતો, તેથી અઢી દ્વિીપના દરેક ક્ષેત્રમાંથી અનંત-અનંત આત્માઓ મોક્ષમાં ગયેલા છે. તેથી જ્યાં એક સિદ્ધનો આત્મા છે, ત્યાં ભવક્ષયને કારણે મુક્ત થયેલા અનંત આત્માઓ રહેલા છે. ત્યાં પ્રશ્ન થાય કે એક જ ક્ષેત્રમાં અનંતા સિદ્ધના આત્મા હોય તો પરસ્પર એકબીજાને બાધા થાય. તેથી કહે છે કે એક જ ક્ષેત્રમાં હોવા છતાં પણ અન્યોન્ય બાધા વગર રહેલા છે. વળી સર્વ કર્મોથી મુકાયેલા હોવાને કારણે સુખને પ્રાપ્ત થયેલા એવા તેઓ સદા સુખી રહે છે. ૨૦-૧૮ અવતરણિકા: પૂર્વની ગાથામાં સિદ્ધના આત્માઓ સિદ્ધશિલા ઉપર કઈ રીતે રહેલા છે તે બતાવ્યું. હવે, કેટલાક વાદીઓ સિદ્ધના આત્માનો શુદ્ધ બ્રહ્મમાં લય માને છે. તે કઇ અપેક્ષાએ સંગત છે તે બતાવીને, જે વાદીઓ પરમ બ્રહ્મમાં સંપૂર્ણ વિલિન થવારૂપ લયને માને છે તે સંગત નથી, તે બતાવવા માટે કહે છે एमेव लवो इहरा ण जाउ सन्ना तयंतरमुवेइ । एगेए तह भावो सुक्खसहावो कहं स भवे ? ॥१९॥ एवमेव लयं इतरथा न जातु संज्ञा तदन्तरमुपैति । एकैकस्मिन् तथा भावः सौख्यस्वभावः कथं स भवेत् ।।१९।। અqયાર્થ: મેવ નવો આ પ્રકારે જ=અઢારમી ગાથામાં કહ્યું કે એક ક્ષેત્રમાં અનંતા સિદ્ધના જીવો અન્યોન્ય બાધા વગર રહે છે. એ રીતે જ લય છે હર ઇતરથા =એવું ન માનો તો=એકબીજામાં પોતાનું અસ્તિત્વ વિલિન થાય છે એ રૂપ લય માનો તો સન્ન તયંત ન નાડ ૩ સંજ્ઞા તદન્તરને-સંજ્ઞાન્તરને પામે નહીં. (અહીં પૂર્વપક્ષી એમ કહે કે સંજ્ઞા તદન્તરને સંજ્ઞાન્તરને પ્રાપ્ત ન થાય, અને દરેક સિદ્ધના આત્માઓ એકબીજામાં વિલિન થાય છે એમ માનીએ તો શું વાંધો? તેથી કહે છે.) પણ તદ માવો એકેકમાં તે પ્રકારનો ભાવ=દરેકનો બીજામાં સર્વથા વિલિન થવાનો ભાવ (હોય તો) સુવરદાવો ન જ બવે સુખસ્વભાવવાળો તે સિદ્ધનો જીવ કેવી રીતે થાય? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy