SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨0 ઉસિદ્ધસુખવિંશિકાઓ સુખોનો ભેદ થાય. એ જ વાતને દષ્ટાંતથી બતાવે છે. આજના અને કોટિ વર્ષ પૂર્વે મરેલામાં તેસ્વરૂપથી કાંઇ ભેદ હોતો જ નથી. ભાવાર્થ: બધા સિદ્ધના જીવોનું સુખ સમાન છે તે સૂક્ષ્મ પદાર્થ બતાવવા માટે અસંભવ સ્થાપના વડે કરીને સિદ્ધના સુખને કરોડની કલ્પના કરી. અર્થાત્ સિદ્ધના સુખની સ્થાપના વાસ્તવિક થઇ શકે નહિ, પરંતુ બુદ્ધિથી સ્થાપના કરી કે સિદ્ધનો જીવ મોક્ષમાં પહોંચે છે. ત્યારે તેમનું જે સુખ છે તે અનંત હોવા છતાં, કલ્પનાથી કરોડની સંખ્યાનું છે તેમ સ્થાપના કરવામાં આવે, તો સિદ્ધનો જીવ કરોડસુખનો સ્વામી થાય. તે રીતે વિચારીએ તો જેમ કોઈ સિદ્ધનો આત્મા ઘણા કાળ પૂર્વે સિદ્ધ થયેલો હોય ત્યારે તેનું સુખ સંખ્યાથી કરોડ પ્રાપ્ત થાય, તે જ રીતે વર્તમાનમાં પણ કોઈ સિદ્ધ થાય તો તેનું સુખ પણ સંખ્યાથી કરોડનું જ પ્રાપ્ત થાય. તેથી સિદ્ધના સુખમાં આ પહેલાં ગયો છે અને આ પાછળથી ગયો છે તે રૂપ કોઈ ભેદ પડતો નથી, પરંતુ સિદ્ધ અવસ્થામાં દરેક સિદ્ધનું સુખનું વેદન સમાન હોય છે. અહીં કોઈને પ્રશ્ન થાય કે ભલે તે રીતે સિદ્ધના સુખનો ભેદ પ્રાપ્ત ન થાય, પરંતુ જેમ કોઇ સિદ્ધના જીવને બે કરોડની સંખ્યાનું સુખ પ્રાપ્ત થયું તેમ માનીએ તો સિદ્ધના સુખમાં તરતમતા પ્રાપ્ત થઈ શકે. તેથી કરીને કહે છે કે જો એક સિદ્ધના જીવે કરોડ સંખ્યા પ્રમાણ સુખ પ્રાપ્ત કર્યું છે તેના કરતાં સ્વરૂપથી અધિક કોઇ સુખ હોય તો સિદ્ધના સુખમાં પરસ્પર ભેદ પ્રાપ્ત થઈ શકે, પરંતુ વાસ્તવિક રીતે કોઇ એક સિદ્ધના જીવે જે સુખ મેળવ્યું છે તેનાથી અધિક કોઇ સુખ નથી, તેથી સિદ્ધના સુખમાં પરસ્પરના ભેદનો જ અસંભવ છે. હવે, સિદ્ધના સુખમાં પરસ્પર ભેદનો અસંભવ છે તે જ વાત દષ્ટાંતથી બતાવે છે. કોઈ માણસ કરોડ વર્ષ પૂર્વે મરેલો હોય અને કોઈ માણસ આજે મરે તો તે બેમાં સ્વરૂપથી કોઈ ભેદ નથી. દષ્ટાંત-દાર્ટાન્તિકભાવ આ રીતે છે. કોઈ માણસ મરે છે ત્યારે તેના જીવવાની સર્વથા સમાપ્તિ થાય છે. તેથી કરોડ વર્ષ પહેલાં મરેલામાં અને વર્તમાનમાં મરેલામાં સ્વરૂપથી કોઈ ભેદ નથી. પરંતુ કોઇ માણસ અમુક વર્ષો પહેલાં જન્મેલ હોય અને કોઇ આજે જન્મેલ હોય, તો જન્મેલી અવસ્થામાં ઘણી રીતનો ભેદ પ્રાપ્ત થઈ શકે. કેમ કે જન્માવસ્થા એ શરીરના સંયોગરૂપ છે, અને નવા શરીરનો સંયોગ થાય છે તે વખતની અવસ્થા કરતાં જેને નવા શરીરનો સંયોગ પહેલાં થયેલો છે તે અવસ્થામાં તરતમતા પ્રાપ્ત થઈ શકે છે. જ્યારે મૃત્યુ અવસ્થામાં તો શરીરનો વિયોગ હોય છે. તેથી જે પહેલાં મરેલો હોય કે જે આજે મરેલો હોય તે બંનેમાં કોઈ ભેદ નથી. તે જ રીતે જે જીવો સંસારથી મુક્ત થાય છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy