SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૧ G સિદ્ધસુખવિંશિકા જીવોને હોઇ શકે છે. ત્રીજું, ઉપશમભાવનું સુખ છે. સંસારના સ્વરૂપને જાણીને જીવ સંસારથી વિરક્ત થાય છે, તેથી આત્મકલ્યાણ માટે ધર્મમાં પ્રવૃત્તિ કરે છે. ધર્મ દ્વારા જીવને જેટલા જેટલા અંશે કષાયોનું ઉપશમન થાય છે, તેટલા તેટલા અંશે ઉપશમનું સુખ વધતાં વધતાં જીવ જ્યારે વીતરાગ થાય છે ત્યારે તે ઉપશમભાવનું સુખ પૂર્ણતાને પામે છે. આ પ્રકારનું આત્મિક સુખ મિથ્યાત્વની અને અનંતાનુબંધી કષાયની મંદતાથી અંશે અંશે પ્રગટ થાય છે અને દસમા ગુણસ્થાનક સુધી ક્રમસર વધતું હોય છે. આ સર્વ સુખ ક્ષયોપશમવાળી અવસ્થામાં થનારું આત્મિક સુખ છે. જ્યારે જીવ બારમા કે તેરમાં ગુણસ્થાનકમાં આવે છે, ત્યારે ક્ષાયિકભાવનું કષાયોના ઉપશમનું સુખ પ્રગટે છે. આમ છતાં, બારમાં, તેરમા કે ચૌદમાં ગુણસ્થાનકમાં પણ અવ્યાબાધ સુખ હોતું નથી, કારણ કે શરીરકૃત અને કર્મકૃત બાધાઓ ત્યાં હોય છે. ચોથું મોક્ષનું અવ્યાબાધ સુખ છે. સિદ્ધ અવસ્થામાં શરીરકૃત અને કર્મકૃત બાધાઓનો સર્વથા અભાવ થવાથી સર્વ બાધાઓથી રહિત નિરતિશય એવું એક પ્રકારનું સુખ પ્રગટે છે. આ ચોથા પ્રકારનું સુખ નિતિશય એકરૂપ છે, જ્યારે તેની પૂર્વનાં સુખોમાં તરતમતા છે. એ વાત બતાવવા માટે પ્રસ્તુત ગાથામાં કહ્યું કે ક્ષયોપશમભાવ સુધી ભિન્ન ભિન્ન સુખલવોના સમુદાયની પ્રાપ્તિ છે. તેથી એ પ્રાપ્ત થાય છે કે દસમા ગુણસ્થાનક સુધી જીવ ક્ષયોપશમભાવવાળો છે, અને ત્યાં સુધી જ આત્મિક સુખોના જુદા જુદા સુખાશોના સમુદાયની પ્રાપ્તિ છે. જીવ વીતરાગ બને છે ત્યારે ક્ષયોપશમભાવ નથી હોતો, તેથી ક્ષાવિકભાવનું એકરૂપ સુખ પ્રગટે છે; અને સિદ્ધ અવસ્થામાં કર્મ અને શરીર પણ નથી રહેતું તેથી અવ્યાબાધ એકરૂપ એવું ઉત્કૃષ્ટ સુખ પ્રગટે છે. સંસારી જીવોને જે શાતાનું અને રતિનું સુખ છે તે જીવના મૂળ સ્વભાવરૂપ નથી પણ વિકારી સ્વરૂપ છે. તેથી ઉપચારથી જ તેને સુખ કહી શકાય. જેમ ખણખણવાથી જીવને સુખ થાય છે તે ઉપચારથી જ સુખ છે, વાસ્તવિક તો આરોગનું સુખ જ સુખ કહેવાય. તે રીતે ઉપશમભાવનું સુખ તે જીવના આંશિક આરોગ્યનું સુખ છે અને સિદ્ધ અવસ્થામાં વર્તતું અવ્યાબાધ સુખ તે જીવના પૂર્ણ આરોગરૂપ સુખ છે. ૨૦-૯ના અવતણિકા: નવમી ગાથામાં કહ્યું કે ક્ષયોપશમ સુધી જ ભિન્ન એવા સુખલવો હોય છે, તેથી સાયિકભાવ કૃત સિદ્ધનું સુખ ભિન્ન એવા સુખલવોનો સમુદાય નથી હોતો. ત્યાં પ્રશ્ન થાય કે યોપશમભાવ સુધી જ ભિન્ન સુખાંશો હોવા માત્રથી સિદ્ધનું સુખ ભિન્ન સુખલવોના સમુદાયરૂપ કેમ નથી? તેથી કહે છે - Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy