SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ સિદ્ધવિભક્તિવિંશિકાઓ |સિવિશmસિંfશવદા નિર્વિશી અવતરણિકા: અઢારમી વિંશિકાના અંતે કહ્યું હતું કે કેવળજ્ઞાન પામ્યા પછી ભવોપગ્રાહી કર્મના ક્ષયથી સિદ્ધપણું થાય છે. તેથી હવે વ્યવહારનયને આશ્રયીને સિદ્ધોના ભેદોને કહે છે - सिद्धाणं च विभत्ती तहेगरूवाण बीअतत्तेण । पनरसहा पन्नत्तेह भगवया ओहभेएण ॥१॥ सिद्धानां च विभक्तिस्तथैकरूपाणां बीजतत्त्वेन । पंचदशधा प्रज्ञप्तेह भगवतौघभेदेन ॥१॥ અન્વયાર્થ: ફુટવ અને અહીં=શાસ્ત્રમાં તરેહવી તે પ્રકારે એકરૂપવાળા સિદ્ધાર્થ સિદ્ધોની વીગતા બીજતત્ત્વ વડે ગમે ઓઘભેદથી વનરસ પંદર પ્રકારની વિમરી વિભક્તિ માવા ભગવાન વડે પત્તા કહેવાયેલી છે. ગાથાર્થ: અને શાસ્ત્રમાં ભગવાન વડે તે પ્રકારે એકરૂપવાળા સિદ્ધોની બીજતત્ત્વ વડે ઓઘભેદથી પંદર પ્રકારની વિભક્તિ કહેવાયેલી છે. ભાવાર્થ: દરેક સિદ્ધના આત્માઓ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અવ્યાબાધ સુખ આદિ ભાવોથી એક સ્વરૂપવાળા છે; તેથી સિદ્ધ અવસ્થામાં તેઓનો પરસ્પર ભેદ નથી. ફક્ત છેલ્લા શરીરની અપેક્ષાએ દરેકના આત્મપ્રદેશોની અવગાહના જુદી જુદી હોય છે, અને છેલ્લે જે સ્થાનથી સિદ્ધ થયા છે તેના ઉપરના ક્ષેત્રમાં દરેક સિદ્ધના જીવો રહે છે; તેથી ક્ષેત્રકૃત પરસ્પર ભેદ છે. વળી કોઇક વહેલા ગયા હોય કે કોઇક પાછળથી ગયા હોય એમ કાલકૃત ભેદ હોય છે. આમ છતાં, તેઓની સિદ્ધાવસ્થાની પૂર્વ-અવસ્થાનું જે તત્ત્વ છે તેને અહીં બીજતત્ત્વથી કહીને તેની અપેક્ષાએ સિદ્ધના પંદર ભેદો શાસ્ત્રમાં કહેવાના છે. આ ભેદો પગ સામાન્યથી પંદર પ્રકારના છે. અવાંતર ભેદો કહીએ તો અધિક છે, તે બતાવવા માટે ઓઘથી પંદર ભેદો કહ્યા છે. II૧૯-૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy