SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ 7 યોગવિંશિકાo ૧૬૦ તે વખતે તેનો ઉપયોગ સિદ્ધ પરમાત્માના સ્વરૂપને જ પકડવા માટે યત્નવાળો હોય છે, Y અનાલંબનયોગ છે. પાઠાન્તર પ્રમાણે તદ્ગુણપરિણતિરૂપ સૂક્ષ્મ આલંબન યોગ છે અને તે આલંબન અલ્પ હોવાને કારણે તેને ‘અનાલંબનયોગ’ પણ કહેવાય છે, તે પ્રકારે અર્થથી યોજન કરવું. ||૧૭-૧૯॥ અવતરણિકા: ગાથા ૧૮ માં બતાવ્યું કે અસંગઅનુષ્ઠાન તે અનાલંબનયોગરૂપ છે. ગાથા - ૧૯ માં બતાવ્યું કે તે અનાલંબનયોગ આલંબનરૂપ પણ છે, અને હવે અનાલંબનયોગના ફળની પરંપરા બતાવે છે - एयम्मि मोहसागरतरणं सेढी य केवलं चेव । तत्तो अजोगजोगो कमेण परमं च निव्वाणं ॥२०॥ एतस्मिन्मोहसागरतरणं श्रेणिश्च केवलं चैव ततोऽयोगयोगः क्रमेण परमं च निर्वाणम् ॥२०॥ અન્વયાર્થ: મ્મિ આ હોતે છતે=નિરાલંબનધ્યાન હોતે છતે મોહસાતળું મોહસાગરનું તરણ છે. ય સેઢી અને તેનાથી શ્રેણી (સમાપ્ત થાય છે) ૬ અને (ત્યાર પછી) વતં વ કેવલજ્ઞાન જ થાય છે. ત્તો અનોનનોશો ત્યાર પછી અયોગનો યોગ ૬ મેળ પરમ નિજ્વાળું અને (નિરાલંબનધ્યાન દ્વારા પૂર્વના બતાવેલા) ક્રમથી પરમ નિર્વાણ (થાય છે.) ગાથાર્થ: નિરાલંબનધ્યાન હોતે છતે મોહસાગરનું તરણ છે, અને તેનાથી શ્રેણી સમાપ્ત થાય છે અને ત્યાર પછી કેવલજ્ઞાન જ થાય છે. ત્યાર પછી અયોગનો યોગ અને ક્રમથી પરમ નિર્વાણ થાય છે. ભાવાર્થ: જીવમાં એક વાર જ્યારે નિરાલંબન ધ્યાન આવે છે, ત્યારે તે ધ્યાન મોહસાગરને પાર કરવા તરણ સમું બની જાય છે અને તેથી ત્યારે જીવ મોહસાગરને તરી શકે છે. મોહસાગરને પાર કરે એટલે શ્રેણી સમાપ્ત થાય છે. શ્રેણી સમાપ્ત થાય એટલે ઘાતીકર્મોનાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy