SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ૧03 0 આલોચનાવિંશિકાd जं जारिसेण भावेण सेवियं किं पि इत्थ दुच्चरियं । तं तत्तो अहिगेणं संवेगेणं तहाऽऽलोए ॥२०॥ यद्यादृशेन भावेन सेवितं किमप्यत्र दुश्चरितम् । तत्ततोधिकेन संवेगेन तथाऽऽलोचयेत् ॥२०॥ અqયાર્થ: ફી અહીં=સંયમના વિષયમાં ૬ વિ જ યુવયિં જે કોઈ પણ દુષ્યરિત ગારિસેન ભાવે જેવા પ્રકારના ભાવથી સેવિયં સેવાયું હોય તે તેને તે દુગરિતને તો તેનાથી મહિનો અધિક એવા સંવેગેનું સંવેગથી તાડપતો તે પ્રકારે આલોચન કરવું જોઇએ. ગાથાર્થ: સંયમના વિષયમાં જે કોઇપણ દુગરિત, જેવા પ્રકારના ભાવથી સેવાયું હોય તે દુગરિતને, તેનાથી અધિક એવા સંવેગથી તે પ્રકારે આલોચન કરવું જોઈએ. ભાવાર્થ: પાપસેવનકાળમાં પાપને અનુરૂપ જીવનો અધ્યવસાય હોય છે. જો આ પાપ કરવાના અધ્યવસાયથી શુદ્ધિનો અધ્યવસાય અધિક બળવાન ન થાય, તો તે પાપ નાશ પામી શકતું નથી. આથી જ અહીં થયેલા પાપ કરતાં અધિક સંવેગથી આલોચના કરવી જોઈએ, એમ કહ્યું છે. સંવેગ એટલે પાપથી છૂટવાનો અધ્યવસાય. સંવેગની વૃદ્ધિ કરવા માટે સંસાર પરિભ્રમણનો ભય તીવ્ર બને તેવો યત્ન કરવો જોઇએ. આલોચના નહીં કરવાથી અને જેમ તેમ આલોચના કરવાથી શું શું અનર્થો થાય છે તેનું સમ્યમ્ આલોચન કરવું જોઇએ. વળી સમ્યગૂ પ્રકારની આલોચના કરવાથી જીવ આ સંસારથી કેવી રીતે તરી જાય છે, તેની ઉપસ્થિતિ પણ કરવી જોઇએ. ઉપરાંત ફરી મારાથી આવું પાપ ન થાય તેવો દૃઢ સંકલ્પ કરીને આલોચના કરવી જોઈએ. આવા પ્રકર્ષ ઉપયોગથી સંવેગનો પ્રકર્ષ થાય છે અને આ પ્રકારે પાપોના અધ્યવસાય કરતાં અધિક સંવેગના અધ્યવસાયથી જ તે પાપ નાશ પામે છે. II૧૫-૨૦ ॥ इति आलोयणाविंशिका पञ्चदशी ।।१५।। Y-૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy