SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ નવતત્વ પ્રકરણ | ગાથા-૩૬ (૭) છેદપ્રાયશ્ચિત્ત :- છેદ, અપવર્તન, અપહાર એ છેદપ્રાયશ્ચિત્તના એકાર્ણવાચી શબ્દો છે, અને તે છેદપ્રાયશ્ચિત્ત પ્રવ્રજ્યાના દિવસ, પક્ષ, માસ કે સંવત્સરમાંથી જે પ્રાયશ્ચિત પ્રાપ્ત થાય તેટલા પ્રમાણમાં દીક્ષાપર્યાય ન્યૂન કરવાથી થાય છે. (૮) પરિહારપ્રાયશ્ચિત્ત :- જેટલા મહિનાનો સાધુને પરિવાર પ્રાપ્ત થયો હોય એટલા મહિનાઓ સુધી તેને વંદન કરવાનો, તેની સાથે આલાપ કરવાનો-બોલવાનો, તેને અન્ન-પાન આપવાં આદિ ક્રિયાઓનો અન્ય સાધુઓ પરિહાર કરે છે. ત્યારપછી તેના સંયમનો પર્યાય ગણાય છે. (૯) ઉપસ્થાપન પ્રાયશ્ચિત પારાંચિતપ્રાયશ્ચિત:- ઉપસ્થાપન, ફરી દીક્ષણ, ફરી ચારિત્રનો સ્વીકાર, ફરી વ્રતનું આરોપણ એ સર્વ પારાંચિતપ્રાયશ્ચિતનાં એકાર્ણવાચી શબ્દો છે. (i) સમ્યવિનય તપ:- જેનાથી કર્મોનું વિનયન થાયઃકર્મો નાશ થાય તે વિનય કહેવાય. અને જ્ઞાન, દર્શન અને ચારિત્રની પરિણતિને અભિમુખ જીવનો પરિણામ કર્મનું વિગમન કરનાર હોવાથી અનુક્રમે જ્ઞાનવિનય, દર્શનવિનય અને ચારિત્રવિનય અને ઉપચારવિનય એમ વિનયતપ ચાર પ્રકારનો છે. (૧) જ્ઞાનવિનય :- મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન એ પાંચ ભેદથી જ્ઞાનવિનય પાંચ પ્રકારનો છે. પાંચ પ્રકારના જ્ઞાનની ભક્તિ, બહુમાન અને યથાર્થ સદ્દતણા એ જ્ઞાનવિનય છે. (૨) દર્શનવિનય :- દર્શનવિનય એક પ્રકારનો છે અર્થાતુ ભગવાનના વચનમાં યથાર્થ શ્રદ્ધાનરૂપ દર્શનવિનય એક પ્રકારનો છે. (૩) ચારિત્રવિનય - સામાયિક આદિ ચારિત્રના પાંચ ભેદથી ચારિત્રવિનય પાંચ પ્રકારનો છે. (૪) ઉપચારવિનય :- ઉપચારવિનય અનેક પ્રકારનો છે. ભગવાનની ભક્તિ કરતાં, ગુણવાન સાધુ આદિની ભક્તિ કરતાં જે ઉપચાર કરાય છે, તે ઉપચારવિનય છે. જેમ કે ભગવાનની પુષ્પાદિ સામગ્રીથી ભક્તિ કરાય તે ઉપચારવિનય છે. વળી ગુણવાન સાધુની સન્મુખ જવું, આદર-સત્કાર કરવો વગેરે ઉપચારવિનય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy