SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૩૪-૩૫, ૩૬ એકાંત, અનાબાધ, અસંસક્ત=જીવોથી અસંસક્ત, સ્ત્રી-પશુ-નપુંસકથી રહિત એવાં શૂન્યધરોમાં અથવા દેવકુળમાં અથવા સભામાં અથવા પર્વત, ગુફા આદિમાં સમાધિ માટે સંલીનતા એ વિવિક્તશય્યાઆસનતા છે. આશય એ છે કે સાધુ સમભાવની વૃદ્ધિ અર્થે કોઈ એકાંત સ્થાનમાં જાય, જે સ્થાન સાધના માટે બાધ કરે તેવું ન હોય, જીવોથી સંસક્ત ન હોય અને સ્ત્રીપશુ-નપુંસક આદિથી રહિત હોય, તેવા શૂન્યધર આદિમાં કાયાને સ્થિર રાખીને ધર્મધ્યાન આદિમાં ઉદ્યમ કરતા હોય તે વિવિક્તશય્યાઆસનતા નામનો તપવિશેષ છે. આ છએ બાહ્ય પ્રકારના તપો આગમમાં કહેલ વિધિપૂર્વક અને ધર્મધ્યાનની વૃદ્ધિ થાય તે રીતે કરવામાં આવે તો તે સમ્યક તપ બને છે, અને આ છએ પ્રકારના તપથી સાધુ અસંગભાવની વૃદ્ધિને પ્રાપ્ત કરે છે, શરીરના લાઘવને પ્રાપ્ત કરે છે, ઇન્દ્રિયના જયને પ્રાપ્ત કરે છે, સંયમનું રક્ષણ કરે છે અને કર્મનિર્જરાની પ્રાપ્તિ કરે છે. ૩૪-૩માં અવતરણિકા : પૂર્વગાથા-૩૫માં છ પ્રકારના બાધતપને બતાવ્યાં પછી હવે છ પ્રકારનાં અત્યંતરતપને બતાવે છે – ગાથા :पायच्छित्तं विणओ, वेयावच्चं तहेव सज्झाओ । झाणं उस्सग्गोऽवि अ, अभिंतरओ तवो होइ ।।३६।। ગાથાર્થ : પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ અને સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ અત્યંતરતપ છે. [3] ભાવાર્થ :અભ્યતરતા છ પ્રકારનો છે : સમ્યક પ્રાયશ્ચિત્ત, સમ્યગુવિનય, સમ્યગુવૈયાવચ્ચ, સમ્યસ્વાધ્યાય, સમ્યગુ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy