________________
|| નમો નમઃ શ્રી ગુરુ નેમિ સુર |
કિંચિત્ નિવેદન વર્ષો પહેલાં પ્રબોધટીકાનુસારી પંચ પ્રતિક્રમણ સૂત્રોનું પુસ્તક જોયું ત્યારથી પ્રતિક્રમણના સૂત્રોના છંદની વિશેષતા જાણવા મળી. તે પછી તે પ્રમાણે બોલવાનું અને અવસરે અવસરે વાર્તાલાપ/પ્રવચન વગેરેમાં તે તરફ અન્ય વ્યક્તિઓનું ધ્યાન દોરવાનું બનતું રહ્યું. પ્રબોધટીકાનુસારી પંચપ્રતિક્રમણના સૂત્રોનું પુસ્તક સુલભ નથી ક્યાંક જ જૂના જ્ઞાન ભંડારમાં તે મળે તો મળે. તેથી “તે તે સૂત્રોના છંદના ઉલ્લેખ વાળું એક પ્રકાશન થાય તો સારું” આવી માંગણી અવરજવર થતી એ અનુસાર આ પ્રમાણેનું પહેલીવારનું પ્રકાશન વિ.સં. ૨૦૫ર માં સુરત અઠવા લાઇન્સની શ્રી જગદ્ગુરુ હર વિજયસૂરીશ્વરજી જૈન પાઠશાળા તરફથી થયું. તે આવૃત્તિ ટૂંક સમયમાં જ ખપી જવાથી આ તેનું પુનઃ પ્રકાશન થઇ રહ્યું છે. આ સૂત્રોમાં ક્યાંક ક્યાંક જરૂરી પાઠશુધ્ધિની વિચારણા કરી છે. તે પાઠ શુધ્ધિ આ પ્રમાણે છે. ભરફેસર બાહુબલી સૂટમાં - (૧) પાવપૂબંઘા વિલિજ્જત પાક્ષિક અતિચારમાં - (૧) પરમાર્થ જાણ્યા વિના મૂલ્યા, વ્યામોહયા (૨) મુહપત્તિ ઉલ્લંઘટ્ટી (૩) ખાધિ લગે અદેખાઈ ચિંતવી મોટી શાંતિમાં - (૧) ઓ હ્રી, શ્રી, ગૃતિ મતિ કીર્તિ કાંતિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org