SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ सिद्धान्तलेशसमहः વિવરણ : માયા અને અવિદ્યાને અભિન્ન માનીને પણ કેટલાક તેમને ભેદ માનનારાઓ સાથે એટલા અશે સંમત છે કે બ્રહ્મ વિયદાદિનું ઉપાદાન છે જ્યારે જીવ અન્તઃકરણદિનું ઉપાદાન છે. વિયદાદિ ઈશ્વરાશ્રિત માયાના પરિણામ હાઈ ઈશ્વર જ તેમનું ઉપાદાન છે, જીવ નહિ અહીં શંકા થાય કે માયા અને અવિદ્યાને અભેદ માનીએ તે અન્તઃકરણાદિ અવિદ્યાના પરિણામ છે તે પણ ઈશ્વરાશ્રિત માયાના જ પરિણામ હોઈને, ઈશ્વરને જ અન્તઃકરણદિની બાબતમાં પણ ઉપાદાન માનવો જોઈએ. આને ઉત્તર આપતાં કહ્યું છે કે કર્તા છું', હું શ્વાસ લઉં છું', “હું કોણ છું', “હું મૂંગું છું', “હું સ્કૂલ છું', વગેરેમાં અન્તઃકરણથી માંડીને શરીર સુધીનું જીવ સાથે તાદામ્ય પ્રતીત થાય છે અને જીવમાં તેમનો અયાસ થયો છે. માટે જીવને જ તેમનું અધિષ્ઠાનરૂપ ઉપાદાન માન જોઈએ, ઈશ્વરને માની શકાય નહિ. શંકરાચાર્યે બ્ર. સુ. શાંકરભાષ્યમાં આ સ્પષ્ટ બતાવ્યું છે. વિવરણમાંથી પણ આનું સમર્થન મળે છે. બ્રહ્મ તેના સ્વરૂપચૈતન્યથી સર્વદા સર્વાભાસક છે અર્થાત સર્વજ્ઞ છે એમ કહેતાં હોઈએ તે જીવને પણ સ્વરૂપૌતન્યથી જ સર્વદા સર્વદષ્ટા માને જોઈએ એ દોષ આવી પડતાં તેનું સમાધાન વિવરણમાં પ્રતિકર્મવ્યવસ્થાગ્રંથમાં અર્થાત જીવ પ્રતિ વિષયવ્યવસ્થાનું પ્રતિપાદન કરતાં કરતાં કર્યું છે. બિંબતન્યરૂપ બ્રહ્મ સર્વનું ઉપાદાન હેઈ તેની બાબતમાં ઘટાદિના તાદાભ્યરૂપ સંસર્ગની કલ્પના કરી છે. અવિદ્યા વ્યાપક હેઈને તેમાં પ્રતિબિંબરૂપ જીવ પણ વ્યાપક છે તેમ છતાં ઘટાદિ સાથે તેનું તાદામ્ય નથી. કારણ કે એ તેમનું ઉપાદાન નથી. જવને તે અતઃકરણદિ સાથે તાદામ્યરૂપ સંસગ છે એમ વિવરણમાં પ્રતિપાદિત કર્યું છે. આથી ફલિત થાય છે કે જીવ અતઃ કરણુદિની બાબતમાં ઉપાદાન છે અને વિવરણકારે પણ એમ જ કહ્યું છે. અન્યથા જેમ ઘટાદિ સાથે તેનું ઉપર્યુક્ત સંસર્ગિવ નથી તેમ અન્તઃકરણદિ સાથે પણ ન હેત. વ્યાખ્યાકાર કૃષ્ણાનંદ અને વિષે કહે છે કે માયા અને અવિદ્યાને અભિન્ન માનવામાં આવે તે ઈશ્વરને જ સર્વનું ઉપાદાન માનવો જોઈએ, અન્યથા જીવાશ્રિત અવિદ્યા ઈશ્વરા. શ્રિત માયાથી ભિન્ન છે એમ માનવું જોઈએ. ચૈતન્યમાં કાર્યરૂપે પરિણમતી પ્રકૃતિને એ આશ્રય છે. એ સિવાય બીજુ કોઈ ઉપાદાનત્વ નથી. તેથી માયા અને અવિદ્યાને અભેદ સ્વીકાર કરવો અને જીવને જ અન્ત કરણાદિની બાબતમાં ઉપાદાન માનવ એમાં પરસ્પર વિરોધ છે અને એ મતે સ્વીકારવા જેવું નથી એમ અપધ્યદીક્ષિત તમેઢવાકિafમાંના કવિ' શબ્દથી સૂચવે છે. “પતwજ્ઞાને કાળો અનરજિયાદિ જ खं वायुज्योतिरापः पृथिवी विश्वस्य धारिणी ॥" (मुण्डक. उप २.१.३) इत्यादिश्रुनेः कृत्स्नव्यावहारिकप्रपञ्चस्य ब्रह्मैव उपादानम् । जीवस्तु प्रातिभासिकस्य स्वप्नप्रपञ्चस्य च । 'कृत्स्नप्रसक्तिनिरवयवत्वશો વા (ત્ર. . ૨.૨, ગથિ ૭. . ૨૬) શુધવને ત્રણ जगदुपादानत्वे तस्य कात्स्न्येन जगदाकारेण परिणामे विकारातिरेकेण Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy