SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ सिद्धान्तलेशसङ्ग्रहः શંકા - માયાની વિદ્યાથી નિવૃત્તિ ન થાય તો બીજુ કંઈ નિવતક ન હોવાથી સર્વ જ મુક્ત થઈ જાય તોય માયાની અનુવૃત્તિ રહે. ઉત્તર–મહાપ્રલય વખતે સર્વપ્રાણુઓના ભોગપ્રદ કર્મોને એકસાથે ઉપરમ થતાં ઈશ્વરના સંકપમાથી પ્રપ ચને લય થાય છે તેમ સર્વની મુક્તિ થાય છે એ કાળે હવે પછી કાર્યસહિત માયાનું કોઈ પ્રયજન થી' એ અનુસ ધાનવાળા ઈશ્વરના “માયા પિતાનાં કાર્યો સહિત મારામાં વસ્તુતઃ ચિકરસમાં નિઃશેષ લય પામ” એવા સંકલ્પથી જ માયાપરિણામલક્ષણ સંકટથી તેમના લયની ઉપપત્તિ છે શ્રુતિ-સ્મૃતિ વગેરેમાં જ્યાં જ્યાં માયાની નિવૃત્તિ તત્ત્વજ્ઞાનથી થાય છે એમ કહ્યું હોય ત્યાં અવિદ્યાની નિવૃત્તિ અભિપ્રેત છે. અથવા તત્ત્વજ્ઞાન અવિદ્યાની જેમ માયાની નિવૃત્તિ કરવાની યોગ્યતા ધરાવે છે પણ જુદા જુદા પ્રાણુના કર્મોને લીધે પ્રતિબંધ (રુકાવટ) થાય છે તેથી માયાની નિવૃત્તિ કરી શકતું નથી. છેલ્લે મુક્ત થનારનું જ તત્ત્વજ્ઞાન ત્યારે કોઈ પ્રતિબંધક ન હોવાથી માયાના નિવૃત્તિ કરી શકે છે -ઈત્યાદિ કલ્પી શકાય. આમ માયા અને અવિદ્યા જુદાં છે એ મતની ઉપપત્તિ છે. यथा वियदादिप्रपञ्च ईश्वराश्रितमायापरिणाम इति तत्र ईश्वर उपादानं तथाऽन्तःकरणादि जीवाश्रिताविद्यामात्रपरिणाम इति तत्र जीव एव उपादानम् । न चान्तःकरणादौ मायाकार्यमहाभूतानामननुप्रवेशे उदाहृतश्रुतिद्वयव्यवस्थाऽनुपपत्तिः। कलानां विद्ययोच्छेदश्रुतिस्तत्त्वविदृष्टिविषया। 'गताः कलाः' इति श्रुतिस्तु तत्त्वविदि नियमाणे समीपवर्तिनः पुरुषाः नश्यद्घटवत् तदीयशरीरादीनामपि भूम्यादिषु लयं मन्यन्ते इति तटस्थपुरुषप्रतीतिविषयेति व्यवस्थायाः कलालयाधिकरणभाष्ये (४.२.१५) स्पष्टत्वात् इति मायाऽविद्याभेदवादिष्वेकदेशिनः । જેમ આકાશાદિ પ્રપંચ ઈશ્વરાશ્રિત માયાને પરિણામ છે તેથી ત્યાં ઈશ્વર ઉપાદાન છે તેમ અન્તઃકરણાદ માત્ર જીવાશ્રિત અવિદ્યાને પરિણામ છે તેથી ત્યાં જીવ જ ઉપાદાન છે. અને (આમ માનતાં) અન્તઃકરણ વગેરેમાં માયાનાં કાર્ય (વા) મહાભૂતને પણ અનુપ્રવેશ ન હોય તે ય ઉદાહ્નત બે કૃતિઓની વ્યવસ્થા અનુપપન્ન નહિ બને, કારણ કે કલાઓના વિદ્યાથી ઉછેદ અંગે શ્રુતિ છે તે તરવજ્ઞાનીની દષ્ટિવિષયક છે; જ્યારે “કલાઓ (પ્રતિષ્ઠા) પ્રતિ ગયેલી હોય છે' એ શ્રુતિ તટસ્થ પુરુષની પ્રતીતિવિષયક છે કારણ કે તત્ત્વજ્ઞાની મરતે હોય ત્યારે નજીક ઊભેલા માણસો માને છે કે નાશ પામતે ઘટ જેમ ભૂમિમાં લય પામે છે તેમ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy