SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ सिद्धान्तलेशसङ्ग्रहः મતા છે તેથી તેમની વચ્ચે કોઈ વિરોધ નથી. તેા પશુ “ઉત્પન્ન થયેલી બ્રહ્મવિદ્યા પોતે અવિદ્યાની નિવૃત્તિ કરવાની છે તેમાં નિયમાદષ્ટથી સાધ્ય કક્ષ્મણનિવૃત્તિની અપેક્ષા રાખે છે એમ માનવું બરાબર નથી, કારણ કે એ પ્રમા છે, શુક્તિ વગેરેની પ્રમાની જેમ”- એવી શંકા સભવે છે તેથી કર્યુ છે કે જ્ઞાનના ઉદ્ય થાય છતાં અજ્ઞાનની નિવૃત્તિ ન થાય એમાં કશુ અનુપપન્ન નથી-એ તદ્દન શકય છે. શુક્તિપ્રમાને અન્યની અપેક્ષા નથી પણ પ્રતિબિંબભ્રમ થાય છે ત્યાં પ્રતિબંધકના અભાવની અપેક્ષા જોવામાં આવે છે. તેથી બ્રહ્મવિદ્યાને પણ પ્રતિબ ધકના અભાવની અપેક્ષા રહે એ સમજી શકાય તેવુ છે. જો કે પ્રતિબંધકના અભાવને સિદ્ધાંતમાં ક્યાંય હેતુ કહ્યો નથી તો ણુ ‘અપ્રતિબદ્ધ સામગ્રી કાર્ય હેતુ છે’ એમ સ્વીકારવામાં આવ્યું છે તેથી અવચ્છેદક તરીકે પ્રતિબંધકના અભાવની જરૂર છે. ગુરુરહિત વિચારથી સાધ્ય વિદ્યાથી અવિદ્યા દૂર ન થાય એ ઉપપન્ન છે એમ કહેવાના આશય છે. અભ્યુદય (સ્વર્ગાદિ) અને નિઃશ્રેયસ (મુક્તિ)ની ઇચ્છા રાખનારને વૈદાના અનુષ્ઠાન વિના અભ્યુદય કે નિ.શ્રેયસની સિદ્ધિ થતી નથી, અને વેદાર્થાનુષ્ઠાન વેદાથ ના જ્ઞાન વિના સ ભવતું નથી, અને વેદનું જ્ઞાન જેને સ્વાધ્યાય કહેવામાં આવે છે એ વેદાવાપ્તિ વિના સંભવતું નથી અને વેદાવાપ્તિ માટે ગુરુમુખેથી કરેલા ઉચ્ચારણની પાછળ પાછળ ઉચ્ચારણ કરવુ એ પ્રકારનું અધ્યયન, લખેલુ વાંચવુ... વગેરે લેાકમાં જાણીતાં સાધન છે. આ સંજોગેામાં ‘વાયાઽચૈતન્ય:’ એ અધ્યયનવિધિથી વેદાધ્યાનનું નિયમન કરવામાં આવે છે કે અધ્યયનથી જ અક્ષરની અવાપ્તિ કરો. તેનાથી જેમ લખેલાના પાઠ વગેરે સાધનની વ્યાવૃત્તિને લાલ થાય છે તેમ પ્રસ્તુતમાં પણ સ્વપ્રયત્નમ ત્રથી સાધ્ય વેદાન્તવિચારની વ્યાવૃત્તિ થાય છે. શંકા—બ્રહ્મવિજ્ઞાનને માટે ગુરુની પાસે જવા મંગે શ્રુતિ છે, પણ ગુરુની પાસે જવું એ શ્રુતિજન્ય બ્રહ્મજ્ઞાનમાં સાક્ષાત્ સાધન નથી. તેથી તેનાથી જ્ઞાન ઉત્પન્ન કરવાનું હેાય અને કાઈ દ્વારની જરૂર હોય તે ગુરુને અધીન વિચારની જ એ દ્વાર તરીકે કલ્પના કરવી જોઈએ કારણ કે તેની એ ખાબતમાં યોગ્યતા છે. અદૃષ્ટની કલ્પના કરી ન શકાય, કારણ કે દૃષ્ટ દારના સ ંભવ હાય ત્યારે અદૃષ્ટ દ્વારની કલ્પના કરવી ખરાખર નથી, આમ ગુ`ભિગમન ગુરુને અધીન વિચાર દ્વારા જ્ઞાનનું સાધન છે એ અભિગમન વિધિથી જ સિદ્ધ થાય છે; ત્યારે તેનાથી જ ગુરુરહિત વિચારની વ્યાવૃત્તિ સિદ્ધ થઈ જાય છે તેથી શ્રોતન્ય: એ વાકયથી શ્રવણુને વિષે નિયમવિધિ ન્યથ બની જાય છે. 1 ઉત્તર—આવી શકા કરવી નહિ. · માાળ: નિવૃતમાચાય,ત: ་તેન ' (મુંડક ઉપ ૧.૨.૧૨) (બ્રાહ્મણ નિવેદ પામે—અમૃત નિત્ય મેાક્ષ કમથી નથી) એ પુવાકયમાં જે બ્રાહ્મણુના નિર્દેશ છે તેના જ પરામશ`fજ્ઞાનાર્થ મેં મુમેવામિનÐતૂ'માં 'સ:'થ' કર્યાં છે. મેાક્ષ બ્રહ્મજ્ઞાનથી સાધ્ય છે એમ જાણીને તેણે એ જ્ઞાનને માટે ગુરુની પાસે જવું જોઈએ એવા અથ' છે. સ્ત્રોત=:—એ વાકષથી ગુરુને અધીન વિચાર અ ંગે નિયમ સિદ્ધ થતાં તેના અંગ તરીકે ગુવ*ભિગમનનુ વિધાન છે. જો શ્રવણવિધિ જ ન હોય તો આ તેના અ ંગભૂત અભિગમનવિધિનું અસ્તિત્વ જ ન હોય. તેથી અભિગમનવિધિ શ્રવણુવિધિને વ્યથ" કે વિલ બનાવી શકતા હાય તા સ્વાઘ્યાયોઽચેતથ્યઃ એ અધ્યયનવિધિના અંગભૂત અભિગમનવિધિથી જ લખેલું વાંચવું વગેરે ઉપાયેાની નિવૃત્તિ થઈ જતાં અઘ્યયનનિયમ પણ નિર॰ક બની જાત; ગુરૂપગમનને અક્ષરાવાપ્તિની પ્રતિ (વેદ માઢે કરી લેવાને માટે) અધ્યયનરૂપ દૃષ્ટ દ્વાર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy